SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ શબ્દપ્રમાણ : ૪૨૩ બીજી વાત સ્વયં સિદ્ધ થઈ જાય તે અર્થપત્તિ છે. અનુમાનથી અથપત્તિમાં બે વિશેષતાઓ છે. આમાં પક્ષ ધર્મ નથી હોતું અને અવિનાભાવ સંબંધનું જ્ઞાન પહેલેથી હેતું નથી અને હોય તે પણ તેની ઉપયોગિતા નથી રહેતી. કહ્યું પણ છેઃ , अविना भाविता चात्र तदैव परिगृह्यते । न प्रागवगतेत्येव सत्यप्येषा न कारणम् ॥ જેમકે, નદીનાં પૂરને જોઈ કલ્પના કરવી કે ઉપર વરસાદ વરસ્યો હશે. આ અર્થપત્તિમાં પક્ષ ધર્મ નથી. કારણ, જ્યાં વર્ષોની કલ્પના કરવામાં આવી ત્યાં પૂર નથી. અવિનાભાવ સંબંધનું જ્ઞાન પણ પહેલેથી નથી. પરંતુ વગર વરસાદે પૂર આવી શકે નહિ. એટલે અર્થપત્તિથી આ કલ્પના કરવામાં આવી છે. અભાવઃ જે પ્રમાણ વડે કઈ વસ્તુને અભાવ જણાય તે અભાવ–પ્રમાણુ કહેવાય છે. સંભવ-પ્રમાણ: મ મયઃ રાજપીત્તજ્ઞાન–વથા સંમતિ ત્રીજે વિ'– જે પ્રમાણ વડે કઈ વસ્તુની સંભાવના કરાય તે સંભવપ્રમાણ છે. જેમકે, બ્રાહ્મણ છે તે વિદ્વાન પણ હશે. ઐતિહપ્રમાણુઃ “તિ પુનિત્યનિદિ કવ7થાપારંપતિદા–લેકપ્રવાહની પરંપરાથી જે આપણને જ્ઞાન થાય, તે ઐતિહ્યપ્રમાણ છે. જેમકે, આ ભૂતીઓ વડલો છે. આમાં પાછલા બે પ્રમાણેની પ્રામાણિકતાને તે નિર્ણય પણ થઈ શકતું નથી. એટલે તેને આધારે અસંદિગ્ધ પ્રવૃત્તિ પણ શકય નથી. શાબ્દ પ્રમાણમાં તે વકતાની પરીક્ષા કરીને વિશ્વાસ કરી શકાય છે, પરંતુ એતિહામાં તે કઈ વક્તા નથી હોતે, માત્ર લેકપ્રવાદ જ હોય છે. જે રીતે સંશય અપ્રમાણ હોવા છતાં, સમ્યજ્ઞાનની ઉપલબ્ધિમાં સહાયક બને છે તેવી જ રીતે અતિહાને માટે પણ સમજવું જોઈએ. જે લેકપ્રવાદ દઢતમ આધાર પર આધારિત હોય છે તે શાખ પ્રમાણ અંતર્ગત થઈ જાય છે. જે રીતે શાબ્દ પ્રમાણમાં, કઈ વ્યકિત વિશેષને આન માની તેની વાત પર વિશ્વાસ કરાય છે તેમ અતિામાં અનેક લોકોને આપ્ત માની વિશ્વાસ મૂકાય છે, એટલે તે આગમમાં સમાઈ જાય છે. સંભવ પ્રમાણમાં સંશયની ઘણુ માત્રામાં મળી આવે છે. અને જે સંશયની માત્રા ન હોય તે તે અનુમાનમાં સમાઈ જાય છે. જેમકે, ઉપર્યુક્ત દષ્ટાંતમાં બ્રાહ્મણ અને વિદ્વત્તાને અવિનાભાવ છે એટલે બ્રાહ્મણરૂપ સાધનથી વિદ્વત્તારૂપ સાધ્યનું અનુમાન કરાય છે. તાત્પર્ય એ કે, સંભવ અને અતિક્ષ્યમાં સંશયની માત્રા હોય તે તે પણ અપ્રમાણ છે. અન્યથા આગમ અને અનુમાનમાં તે અંતહિત થઈ જાય છે. એટલે ભાટ્ટ લેકેએ છ પ્રમાણ જ માન્યા છે. આમાં પણ અભાવને સ્વતંત્ર પ્રમાણ માનવાની જરૂર નથી. કારણ પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અભાવ જાણી શકાય છે. વિરુદ્ધ પલબ્ધિ અને અવિરુદ્ધાનુપલબ્ધિ રૂપ હેતુઓથી પણ અભાવનું અનુમાન કરી શકાય છે. એટલે પ્રભાકરેએ પાંચ જ પ્રમાણે સ્વીકાર્યા છે. અર્થાપત્તિમાં ભલે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy