SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ઇચ્છીએ છીએ એટલે અગ્નિ સાથે થયે. જો કે આટલા કથનથી જ સાધ્યની પ્રતીતિ થઈ જાય છે. આમ છતાં સાધ્યની સવિશિષ્ટ માહિતી માટે સાયમાં ત્રણ વિશેષણે આવશ્યક ગણાવ્યા છે. તે ત્રણ વિશેષણો છે-ઈષ્ટ, અબાધિત અને અસિદ્ધ ઈષ્ટને અર્થ છે- આપણી ઈચ્છાને વિષય, એટલે આપણે જેને સિદ્ધ કરવા ઈચ્છીએ. છીએ તે. અબાધિતથી તાત્પર્ય છે-જે બીજા પ્રમાણેથી બાધિત ન હોય. જેમ કેઈ કહે કે, અગ્નિ ટાઢે છે –તે અગ્નિનું ટાઢાપણું પ્રત્યક્ષ પ્રમાણુથી બાધિત છે. એટલે તે સાધ્ય ન થઈ શકે. સાધ્ય અસિદ્ધ જરૂરી છે. જે તે સિદ્ધ હશે તે તેને સિદ્ધ કરવાની આવશ્યકતા રહેશે નહિ. આંખેથી અગ્નિને જોતાં અગ્નિનું અનુમાન કરવું વ્યર્થ છે એટલે “વિપર્ય તાળુqનાના નાથ રથા ચારિત્ર્ય ઉત્તર પ્ર” જે વસ્તુને નિર્ણય ન થયો હોય અથવા વિપરિત નિર્ણય થયે હોય અથવા જેના વિષે સદેહ હોય તે વસ્તુને સાધ્ય બનાવવી જોઈએ. જે સાધ્યને એટલે જ અર્થ લેવામાં આવે છે, જેને આપણે સિદ્ધ કરવા ઈચ્છીએ તે સાધ્ય, અર્થાત્ અબાધિત અને અસિદ્ધ એવા વિશેષણે ન આપીએ તે પણ કામ ચાલી શકે છે. અબાધિત અને અસિદ્ધ વિશેષણે વગર આવનાર દોષ અકિચિકર હેત્વાભાસમાં સમાવિષ્ટ થઈ જાય છે. અકિંચિકર હેત્વાભાસના બે ભેદે છે. (૧) સિદ્ધ સાધન અને (૨) બાધિત વિષય. જેનું સાધ્ય સિદ્ધ હોય તે સિદ્ધ સાધન કહેવાય છે અને જેનું સાધ્ય પ્રમાણુતરથી બાધિત હોય તે બાધિત વિષય કહેવાય છે. જે સાધ્યનાં લક્ષણમાં અસિદ્ધ અને અબાધિત વિશેષણ ઉપર ભાર દેવામાં આવે, તે અકિંચિકર હેત્વાભાસ નિરર્થક થઈ જશે. જે અકિંચિત્કરના ભેદને ગૌણ સ્થાન આપવામાં આવે તે બન્ને વિશેષ સાધ્યનાં લક્ષણોમાં મૂકવા જ જોઈએ. તમને તર્ક અને અનુમાનના ઉપર્યુક્ત લક્ષણોને ખ્યાલ આવ્યા પછી પણ શંકા થાય કે, તર્ક અને અનુમાનમાં શું ફેર છે? “જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ—આ નિર્ણય તે તર્કથી જ થઈ જાય છે પછી અનુમાનથી સાધ્યને સિદ્ધ કરવામાં કઈ જાતની વિશેષતા છે? સૂકમતાપૂર્વક જે વિચાર ન કરીએ તે તક અને અનુમાન એક જ કાર્ય કરનાર જણાય છે. પરંતુ અનુમાન તે તર્કનું કાર્ય છે. તર્ક અનુમાનનું કારણ છે. બન્ને વચ્ચે કાર્ય-કારણભાવ સંબંધ છે. તર્કથી તે ધૂમ અને અગ્નિના અવિનાભાવને નિર્ણય થયે. તર્કથી પર્વતમાં અગ્નિ છે તેની પ્રતીતિ થતી નથી. પર્વતાદિકમાં અગ્નિને સિદ્ધ કરવાનું કામ અનુમાનનું છે. એટલે તર્કના સાધ્યમાં અને અનુમાનના સાધ્યમાં અંતર છે. તર્કમાં માત્ર અગ્નિ સાધ્ય છે પરંતુ અનુમાનમાં અગ્નિવાળ પર્વત એટલે પર્વતમાં અગ્નિ સાધ્ય છે. આ જ વાતને બીજા શબ્દોમાં આ રીતે કહી શકાય કે તર્કમાં તે માત્ર ધર્મ જ સાધ્ય છે. પરંતુ અનુમાનમાં ધર્મસહિત ધમી સાધ્ય છે. જે અનુમાનનાં સાધ્યને તર્કનું સાધ્ય બનાવી દેવામાં આવે તે વાત વણસી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy