SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર ઠંડે લાગે છે, અને જ્યારે તેમાં ૧૦૧ થી ૧૦૨ ડીગ્રી ગરમી બતાવે ત્યારે આપણને માંડ એક બે ડીગ્રી જેટલે તે ગરમ લાગે છે. જે જ્ઞાનમાં આવી જાતને વિસંવાદ હેય તે જ્ઞાનને પ્રત્યક્ષ કેમ કહી શકાય? આ મુશ્કેલીનું સ્પષ્ટ કારણ એ છે કે આપણું શરીરમાં ૯૮ અથવા ૯૮ ડિગ્રી ઉષ્ણુતા સદા વર્તમાન હોય છે. એટલે આપણે સ્પર્શેન્દ્રિયના ત્રાજવામાં ૯૮ કે ૯૮ ડિગ્રીને પાસિંગ સદા રહે જ છે જે આપણને સ્પર્શનું યથાર્થ જ્ઞાન થવા દેતું નથી. આજ સ્થિતિ રસેંદ્રિયના સંબંધમાં પણ છે. જે વસ્તુ એક વ્યકિતને ભારે તીખી લાગે છે તે જ વસ્તુ બીજાને ઓછી તીખી લાગે છે. જે બધા માણસ અને પશુ પક્ષીઓના અનુભવે ઉપર વિચાર કરવામાં આવે તે બધામાં કોઈ ને કાંઈક વિશેષતા દેખાશે. તેમાંથી કયો અનુભવ નિર્મળ છે તે કેમ કહી શકાય? હાં, ગંભીરતાપૂર્વક વિચારવાથી એટલું અવશ્ય જણાશે કે કઈ પણ અનુભવ પૂર્ણ નિર્મળ નથી. કારણ રસેંદ્રિયના પરમાણુઓને પ્રભાવ બધાને વિકૃત કરી દે છે. આ જ કારણ છે કે માણસને એક જ વસ્તુને સ્વાદ સદા એક સરખે લાગતું નથી. નીરોગી અવસ્થામાં જે સ્વાદ જણાય છે તે પિત્ત-જવર સ્થિતિમાં જણાતું નથી. હરડે ખાધા પછી પાણીનો સ્વાદ મીઠે લાગે છે. એના સંબંધમાં જે એમ કહેવામાં આવે કે તે તે હરડેના પરમાણુઓને પ્રભાવ છે તે તે પણ એકાંશે સત્ય છે. પરંતુ જે પરમાણુઓથી રસેંદ્રિયની રચના થઈ છે તેના રસને પ્રભાવ પણ અવશ્ય પડે જ છે. રસેંદ્રિયના પરમાણુઓ નીરસ નથી હોતા એટલે રસેંદ્રિય વડે કઈ વસ્તુના શુદ્ધ સ્વાદની પ્રતીતિ થઈ શકતી નથી. જે વાત રસેંદ્રિયના સંબંધમાં કહેવામાં આવી છે તે ઘાણે દ્રિયના વિષયમાં પણ કહી શકાય. કારણ તેમની રચના જે પરમાણુઓથી થઈ છે તેમાં ગંધ અવશ્ય છે અને તેને પ્રભાવ પણ અવશ્ય પડે છે. આ જ કારણ છે કે કેઈ માણસને કેઈ એક પદાર્થ વધારે સુગંધિત જણાય છે તે તે જ પદાર્થ બીજા માણસને અલ્પ સુગંધિત જણાય છે. નિષ્કર્ષ એ છે કે ગંધના વિષયમાં પણ જુદી જુદી વ્યકિતઓને જુદા જુદા અનુભવ હોય છે. અને તે અનુભવમાંથી કઈ પણ અનુભવને પૂર્ણ નિર્મળ કહી શકાય નહિ. ચક્ષુરિન્દ્રિયના અનુભવોની ભૂલે તે એકદમ સુસ્પષ્ટ છે. જે સૂર્ય અને ચંદ્રને આપણે થાળી જેવડા અને પર્વતના શિખરથી ચેડા જ અદ્ધર જોઈએ છીએ, તે ખરેખર તે ઘણું મોટા અને ઘણું દૂર છે. જોવામાં પણ આપણને નજીક અને દૂરને પ્રભાવ અવશ્ય પડે છે. પદાર્થ જેટલે સન્નિકટ હેય તેટલે તે મોટો દેખાય છે. આ સાથે સંયુકત કરેલે પદાર્થ દેખાતે નથી. આંખની સાથે સંયુક્ત પદાર્થ બિલકુલ ન દેખાય તેવું ન બને તે પણ તે તેવો જ દેખાય છે જેવડી આપણી આંખ હોય છે. આ રીતે દેખાવું પણ એક રીતે નિરર્થક છે. આ તે આકારની વાત થઈ. હવે રંગની વાત ઉપર પણ વિચાર કરીએ. સૂર્યના પ્રકાશમાં જે વસ્તુ જે રંગની દેખાય છે તે વસ્તુ ચંદ્ર, વિજળી આદિને પ્રકાશમાં તે રંગની દેખાતી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy