SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણવાને વિજય પ્રમાણુ હાય નય, નિક્ષેપ અને સપ્તભંગી વિષેની સ ́ક્ષિપ્ત માહિતી મેળવ્યા પછી, પ્રમાણુ વિષેની જાણકારી પણુ અનિવાય અની જાય છે. આજે પ્રમાણને અભિમુખ રાખી વાત કરીએ. તદનુસાર'सम्यग्ज्ञान' प्रमाणम्'- प्रकर्षेण-संशयादिव्यवच्छेदेन मीयते - परिच्छिद्यते- ज्ञायते वस्तुतत्व' येन તત્ પ્રમાળમ્'—જેના વડે વસ્તુ યથા રૂપમાં જણાય છે તે પ્રમાણ કહેવાય છે. વસ્તુને જાણવાનું કામ કરનાર આત્માના જ્ઞાન નામને ગુણુ છે. એટલે પ્રમાણુ શબ્દથી જ્ઞાન જ અભીષ્ટ છે. એટલે ઘણા આચાર્યએ પ્રમાણનું લક્ષણ સભ્યજ્ઞાન ખતાવેલ છે. વ્યવહારમાં તે જ્ઞાન સિવાયના ખીજા પદાર્થો પણ પ્રમાણભૂત ગણાય છે. આપણે કેાઇની પાસેથી રૂપિયા ઉછીના લીધેલા હાય તે તે માટે અમુક માણસ પ્રમાણ હોય છે અથવા આપણે લખી આપેલે પત્ર છે. અત્રે અમુક માણસને લખી આપેલ પત્રને, પ્રમાણુ કહેવાનો અર્થ એ છે કે તે માણસ અથવા તે પત્ર વડે આપણે સત્ય વાત જાણી શકીએ છીએ. જો કે જાણવાનું કારણ તા જ્ઞાન જ છે; પરંતુ જ્ઞાનનું નિમિત્ત કારણ માણસ અથવા તે લખી આપેલેા પત્ર છે. તેથી ઉપચારથી તેને પણ પ્રમાણુ કહેવાય છે. ‘મુદ્દામાવે સતિ પ્રાનને નિમિત્તે ચેવચાર: પ્રવર્તતે’અર્થાત્ મુખ્યના અભાવમાં, કોઈ પ્રયેાજન અથવા નિમિત્ત મળવા પર, ઉપચારની પ્રવૃત્તિ હોય છે. આજ કારણ છે કે નૈયાયિક–વૈશેષિકાદિ દાશનિકોએ ઇન્દ્રિયા અને તેમના સન્નિક અથવા તેમના વ્યાપારને પ્રમાણુ માનેલ છે. પરંતુ એને મુખ્ય પ્રમાણ ન સમજવું જોઇએ. કારણ ઇન્દ્રિયા વગેરે સ્વયં મુખ્ય પ્રમાણ નથી પરંતુ મુખ્ય પ્રમાણનાં કારણા છે. મુખ્ય પ્રમાણુ તે તે છે કે જે પદાથ ને જાણવાનું અંતિમ કારણ હાય. ઉપર્યુક્ત ઇન્દ્રિયા વગેરે આત્યંતિક કારણ નથી, કારણ ઇન્દ્રિયાક્રિક જડ છે. તેમનેા વ્યાપાર થવા છતાં પણ જો જ્ઞાનના વ્યાપાર ન હાય તે પદાર્થ જાણી શકાય નહિ. ઇન્દ્રિયાના વ્યાપાર પછી જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે જ્ઞાન જ અંતિમ કારણુ કહેવાય, ઇન્દ્રિયાના વ્યાપાર નહિ. એટલે ઇન્દ્રિયાના વ્યાપારને ગૌણ અથવા ઉપચરિત પ્રમાણુ માનવુ' જોઈ એ. જો પદ્મા ને જાણવામાં પ્રમાણ કારણ છે તે પ્રમાણને જાણવામાં શું કારણ ? આના સીધા જવાખ એ છે કે, પ્રમાણુ પદાર્થાને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. જેમ દીપક પદાર્થોને પ્રકાશિત કરવાની સાથે પેાતાને પણ પ્રકાશિત કરે છે. એટલેકે જેવી રીતે દીપકને જોવા માટે બીજા દીપકની જરૂર પડતી નથી, તેવી રીતે પ્રમાણને જાણવા માટે ખીજા પ્રમાણુની જરૂર પડતી નથી. એટલે પ્રમાણ સ્વપરિચ્છેદક અથવા સ્વવ્યવસાયાત્મક છે. અત્રે પ્રશ્ન થવા સંભવ છે કે બધા જ્ઞાને સ્વપરિચ્છેદક-સ્વવ્યવસાયાત્મક છે, કે માત્ર સભ્યજ્ઞાન જ સ્વપરિચ્છેદકસ્વવ્યવસાયાત્મક છે ? તેના જવાબમાં જણાવવાનું કે જ્ઞાનમાત્ર સ્વનિર્ણાયક હાય છે. સ્વપરિચ્છેદની દ્રષ્ટિથી કોઇ જ્ઞાન અપ્રમાણુ અથવા મિથ્યાજ્ઞાન હેાતું નથી. કહ્યું પણ છે કે ઃ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy