SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર शब्दात्पर्यायभेदेनाभिन्नमर्थमभीप्लिनः । न स्यात् समभिरूढोऽपि महार्थस्तद्विपर्ययः ॥ क्रियाभेदेऽपि चाभिन्नमर्थ मभ्युपगच्छतः । नैवंभूतः प्रभूतार्थो नयः સમમિ દ્ધતઃ ॥ આ જે દ્રવ્યાર્થિ ક અને પર્યાયાકિનયનું વિવેચન કરવામાં આવ્યું છે તે વ્યાવહાRsિ દૃષ્ટિને પ્રમુખ રાખી કરવામાં આવેલ છે. જ્યાં દાર્શનિક પદ્ધતિથી આત્માનું વિવેચન કરાય છે ત્યાં એવા અધ્યાત્મ પ્રકરણેા માટે દ્રબ્યાર્થિ ક અને પર્યાયાર્થિ કનયનુ. વિવેચન કાંઇક જુદા ઢંગનું ડાય છે એટલે એના ભેદો આધ્યાત્મિક રીતે જુદા જ ઢંગના છે, આધ્યાત્મિક દૃષ્ટિથી દ્રવ્યાકિના દસ ભેદો છે. (૧) કૅપિાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાકિનય : કર્મ આદિની ઉપાધિથી શૂન્ય શુદ્ધ આત્માને વિષય કરનાર આ નય છે. જેમકે, સંસારી આત્મા પણ મુકતાત્માની પેઠે શુદ્ધ યુદ્ધ છે. (૨) સત્તાગ્રાહક શુદ્દે દ્રવ્યાધિ નય : ઉત્પાદ (નવી પર્યાય જન્મવી) વ્યય (પર્યાયનો નાશ) ને છેડી સત્તા માત્રને વિષય કરનાર આ નય છે. જેમકે, જીવ નિત્ય છે. (૩) ભેદ વિકલ્પ નિરપેક્ષ શુદ્ દ્રવ્યાકિનય : ભેદ વિકલ્પોની વિવક્ષા કર્યાં વગર અભેદ્ય માત્રને વિષય કરનારા આ નય છે. જેમકે, ગુણુપર્યાય (અવસ્થાથી) દ્રવ્ય અભિન્ન છે. (૪) કૅપિાધિ સાપેક્ષ અશુ દ્રવ્યાકિનય : કર્મોની ઉપાધિ સહિત દ્રવ્યને ગ્રહણ કરનારી આ નય છે. જેમકે, ક્રોધ આત્માના સ્વભાવ છે. (૫) ઉત્પાદવ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિ કનય : દ્રવ્યને ઉત્પાદન્યય સહિત ગ્રહણ કરનારા આ નય છે. જેમકે, દ્રવ્ય પ્રતિસમય ઉત્પાદ, વ્યય, ઘૌન્ય સહિત છે. અત્રે સમજવાની વાત એ છે કે જૈન દનમાં પ્રત્યેક દ્રવ્ય પ્રતિસમય ઉત્પાદ, વ્યય, પ્રૌવ્યરૂપ છે. અર્થાત્ પ્રતિક્ષણ નવી અવસ્થા જન્મે છે, જૂની અવસ્થા વિનષ્ટ થાય છે. છતાં દ્રવ્ય ધ્રુવ એટલે કે નિત્ય છે. જેમ બેંકમાં દરરોજ આવક-જાવક થાય છે છતાં સિલક બની રહે છે. હાં, આકાશ આદિ અમૃત દ્રવ્યેામાં ઉત્પાદ વ્યય દૃષ્ટિગોચર નથી થતા તેનું કારણ તે દ્રબ્યાની સૂક્ષ્મતા છે. દરેક દ્રવ્યનું કાંઈક કાય હાય જ છે. જેમકે આકાશનું કાર્ય અવકાશ આપવાનું અને કાળનું કામ પરિવર્તન કરાવવાનુ' છે. જગ્યાની આપલેમાં અથવા પરિવર્તનમાં જ્યારે ખાદ્ય પદાર્થોમાં પરિણમન થાય છે ત્યારે કાળ, આકાશાદિ નિમિત્ત દ્રવ્યેામાં પણ પરિવર્તન અનિવાય છે. કાના ભેદથી કારણમાં ભેદ અને કાના પરિણમનથી કારણમાં પરિણમન માનવુ ́ જ જોઇએ. એ તેા કદી પણ સંભવ નથી કે કુંભારના ચાક પર માટી જુદા મહારના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy