SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યા દ્વાર ચેાથેા પ્રકાર શુદ્રના છે. આજે જે રીતે અમુક પ્રકારનાં કામ અમુક માણસેાએ જ કરવાં જોઇએ એવુ માનવામાં આવે છે પરંતુ ખરેખર તે આ ચોથા પ્રકારના અર્થ નથી. ચોથા પ્રકારના અથ છે—શ્રમની આકાંક્ષા. માણસ શ્રમ વગર રહી શકે નહિ. શ્રમ એ જ તેને માટે જીવન છે. શ્રમ એ જ જીવનના આનંદ છે. શ્રમમાં જે પરમાત્માનાં દન કરે છે, શ્રમને જ જે પોતાનું સસ્વ માને છે તે ચેાથા પ્રકારનુ વ્યકિતત્વ છે. શ્રમ કરવા આતુર તેનું વ્યક્તિત્વ શ્રમમાં એવું તેા નિમગ્ન બની જાય છે કે, જો તે કુહાડાથી લાકડાં કાપતા હાય તા જેવા કુહાડો ઊપડે કે તે પણ ઊભા થાય, અને જેવા કુહાડા પડે કે તેની સાથે તે પણ પડી જાય. કુહાડા અને તેની વચ્ચે કશું જ અંતર ન રહે તે જ તે ધ્યાનને, સમાધને અને પરમાત્મભાવને ઉપલબ્ધ થઈ શકે છે. બ્રાહ્મણ જો જ્ઞાનની સાથે આત્મસાત્ થઈ જાય તેા જ તેની ચેતના શ્રેષ્ઠ થઈ જાય છે. ક્ષત્રિય શકિત સાથે એકાકાર બની જાય તે તે શકિત તેનાં જીવનની અંતર વીણા બની જાય છે. વૈશ્ય ધનની સાથે અને શુદ્ર શ્રમ સાથે તાદાત્મ્ય સાધી લે તે જ, બ્રાહ્મણ જેમ પેાતાની મઢુલીમાં એઠો પ્રભુતાને પામી જાય છે, તેમ ચાર વણુના લે!કો પોતપેાતાના ઢંગથી પરમાત્મભાવને ઉપલબ્ધ થઇ જાય છે. શ્રેષ્ઠતાના સંબંધ જન્મની સાથે નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર–એમ વના ભેદને કારણે કોઇને શ્રેષ્ઠ કેકાઇને અશ્રેષ્ઠ માની શકાય નહિ. શ્રેષ્ઠતાના સંબંધ ચેતનાના વિકાસ સાથે છે. જો ચેતનાને, ગમે તે માર્ગથી ધ્યાન ઉપલબ્ધ થઈ જાય, તે તેને શ્રેષ્ડતા ઉપલબ્ધ થઈ જાય છે. આવી એકાગ્રતા વૈજ્ઞાનિકને પ્રયોગશાળામાં, શિક્ષકને ભણાવતાં, ખેડૂતને ખેતર ખેડતાં અને વણકરને વણતાં જો પ્રાપ્ત થઇ જાય, તેા ચેતનાની શ્રેષ્ઠતા તેમને સોંપ્રાપ્ત થઇ જાય. આ રીતે ગીતાના આધારે વર્ણ વ્યવસ્થાના મૂળને ઊંડાણ અને ગહનતાથી સ્પવાને મે પ્રયત્ન કર્યો છે. ઉપર કરેલાં વિવેચન મુજબ ડાકટર, એન્જીનીયર, જે કોઈ પણ શિલ્પના આધારે જીવન જીવતા હોય તે બધા શૂદ્રમાં જશે. शूद्र કઈ નાના વણુ નથી. ઘણુંા અદ્ભુત અને વિશાળ છે. તેની ભારે કીમત છે, તેની ભારે મહત્તા છે. સમસ્ત શિલ્પી શૂદ્રમાં જશે. જે શિલ્પી હાય, કામ મહત્વપૂર્ણ હોય તે તે શૂદ્રમાં જશે. જે વ્યવસાયી છે, ઘન જેને કેન્દ્રમાં અને મહત્વપૂર્ણ છે તે વૈશ્યમાં પગિણિત થશે. જે શકિતની શોધમાં, સત્તાની ખોજમાં, સત્તાનાં માધ્યમથી શકિતની જ પૂજા કરતા હાય તે ક્ષત્રિયમાં ગણાશે. જે વિશ્વની મૂળ શકિત, બ્રહ્મની જીજ્ઞાસામાં સંલગ્ન છે. તે બ્રાહ્મણની કેટિમાં આવશે. ગીતાનાં આંતરિક રહસ્યને સ્પર્શીને આ વાત થઇ છે. જૈન શાસ્ત્રામાં પણ વર્ણોના આ વિભાગેા ગુણકર્મોને અનુસરીને જ સ્વીકારેલા છે. તદ્નુસાર
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy