SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું ધન શું? : ૧૮૭ રાજ્યાભિષેક વિધિને સ્થગિત કરવામાં આવે છે. એક રૂપિયાનું તમને દાન આપ્યા પછી જ રાજ્યાભિષેક થશે. કુમાર મહેન્દ્ર સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. એક રૂપિયો કામવાની તજવીજમાં તે પડી ગયું. તેણે બહુ વિચાર કર્યો, તે ઘણું ફર્યો, પરંતુ પરસેવાને રૂપિયે મળે તેવી મજુરી તેને કયાંય મળી નહિ. અંતે એક લુહારને ત્યાં તેને કામ મળ્યું. લુહારે કહ્યું: “આ લેઢાને હથેડા વડે ટીપ અને મજુરી મેળવે. હડે ઉપાડી રાજકુમાર કામે તે લાગે, પણ તે પરસેવે રેબઝેબ થઈ ગયે. એક રૂપિયે કેવી મુશ્કેલીથી પેદા થાય છે તેની આજે તેને ખબર પડી. રાજકુમાર હોવાથી તેણે કદી કામ તે કર્યું જ નહોતું એટલે વચ્ચે વચ્ચે કયારેક તે અટકી જતું, ત્યારે લુહાર તરતજ બેલી ઊઠતેઃ “ભાઈ ! મારે ત્યાં હરામના પૈસા નથી આવતા. આમ પિરે ખાતાં ખાતાં કામ કરવું હોય તે ઘેર સિધા. અહીં તે બરાબર કામ કરશે તે જ પૈસા મળશે. કુમાર મહેન્દ્ર તે બધું સાંભળ્યું અને સહન કર્યું. સાંજ સુધી કામ કરી તે થાકીને લોથપોથ થઇ ગયે હતે છતાં પ્રમાણિકતાપૂર્વક એક રૂપિયા કમાયાને તેના મનમાં સંતોષ હતે. રૂપિયે લઈને ખુશી થતે તે તરતજ અમરના મકાન તરફ ચાલે. માર્ગમાં તે વિચાર કરવા લાગે આવી રીતે પરસેવો પાડનાર અને લેહી પાણી એક કરી, સાચી મહેનત અને પ્રામાણિકતાથી કમાનારની સમાજમાં શી કીમત અંકાય છે? જે લોકે માત્ર પિતાના સાધારણ માજશેખ ખાતર એક મહિનાની કારમી મજુરીને, માત્ર એક કલાકમાં જ ઉડાડી દે છે, તે કેટલું અમાનુષી અને શેચનીય છે? આ વિચારે કુમાર મહેન્દ્રનું જીવન રૂપાંતરિત કરી નાખ્યું. તે એક રૂપિયાએ તેના જીવનમાં ગજબનું પરિવર્તન આણી દીધું. તે કવિ અમરને ઘેર પહોંચ્યું, અને જાત મહેનતથી કમાયેલા એક રૂપિયાનું દાન આપ્યું. કવિએ પણ તેને સ્વીકાર કર્યો અને અંતઃકરણના આશીર્વાદ આપતાં ફરી કહ્યું: “રાજન્ ! તમે માત્ર સુવર્ણ સિંહાસન પર જ નહિ, પ્રજાના હૃદય સિંહાસન પર પણ બિરાજમાન થાઓ.” આજે તમારે પૈસે કેવી કમાણીને છે? તે ખરા પરસેવાને છે કે શેષણને છે? આજે તમારાં દાને કેવાં છે? એરણની ચોરી કરી, સોયનું દાન આપવા જેવા તે નથી ને? આ પ્રશ્નો તમારા આત્મમંથન માટે રાખી, હવે મૂળ સૂત્રના સ્વાધ્યાય તરફ વળું છું. તે મુજબ શ્રાવસ્તી નગરીમાં બંને પરંપરાના શિષ્ય સમુદાયો એકત્રિત થયા છે. બંનેનાં માનસ સંદેહગ્રસ્ત બન્યાં છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીને પોતપોતાના શિષ્યના સંદિગ્ધ માનસ વિષેના નિદેશે મળ્યા છે. મિલાપનું આયોજન કરવાની માનસિક આકાંક્ષા જન્મી છે. ભેગા મળી પરસ્પર વિચાર વિનિમય કરી, શિષ્યનાં મનનું સમાધાન કરવું બંનેને અનિવાર્ય લાગ્યું છે. તે માટે તૈયારીની ભૂમિકાને સંકેત શાસ્ત્રીય ગાથાથી જ સમજવા પ્રયત્ન કરીએ. તદનુસાર–
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy