SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું ધન શું ? વહેલી સવારે જે મનુષ્ય ભગવાન સૂર્ય સામે વાંસે રાખીને ચાલે તે તેને પડછા તેની આગળને આગળ ભાગવા માંડશે. પડછાયાને પકડવા તે હજારે ઉપાયે કરે તે પણ તે તેને પકડી શકશે નહિ. આગળ દોડતા પડછાયાને પકડવાનું શક્ય જ નથી. પરંતુ જે તે જ માણસ સૂર્ય તરફ મોઢું ફેરવી નાખે, તે પડછાયે તેની પાછળ દોડવા માંડશે. પ્રકૃતિના આ નિયમને પ્રાયઃ ભૌતિક સંપત્તિ પણ આ જ રીતે અનુસરે છે. માણસ જ્યારે તેને મેળવવા તેની પાછળ પડે છે, ત્યારે પડછાયાની માફક તે આગળને આગળ ભાગતી જાય છે. માણસ હજારે પ્રયત્ન કરે છતાં તે હાથ આવતી નથી. પરંતુ જે તે વ્યકિત તેની તરફ પીઠ ફેરવીને ચાલવા માંડે, તે ભૌતિક સંપત્તિ તેની પાછળ પાછળ દેડતી આવે છે, તેને અનુસરનારી બની જાય છે. આમ તે પરિગ્રહને પાપનું મૂળ ગણવામાં આવ્યું છે. શ્રીમત્ શંકરાચાર્યના સિદ્ધાંત મુજબ પણ “અર્થ અર્થમારાં નિત્ય.” અર્થને સદા અનર્થ રૂપ જ માન જોઈએ. આમ છતાં વ્યાવહારિક જગતમાં તેને ભારે મહિમા છે. સામાજીક પ્રતિષ્ઠા માટે તે ચરમ માપદંડ છે. અર્થની આ પ્રતિષ્ઠા કંઈ આજકાલની નથી. સનાતન કાળથી તે પિતાની પ્રતિષ્ઠાને ટકાવતે આવ્યું છે. મહાભારતના યુગમાં જ્યારે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યને પૂછવામાં આવ્યું કે, તમે ધર્મ અને અધર્મના ભેદના પારખુ છે, છતાં તમે અધર્મના પક્ષે રહે, એ કઈ રીતે ઉચિત છે? ત્યારે તેમણે જવાબ આપેઃ “અર્થસ્થ સર્વે રાત ના રાજુ ચરિત જગતમાં બધા પૈસાના દાસ છે. પૈસે કેઈને દાસ નથી. આ ઉપરથી તમે કલ્પી શકે છે કે પૈસાએ પિતાની મહત્તાને એટલે ઊંડે પાયો નાખે છે કે, તેની પ્રતિષ્ઠાને યુગો સુધી આંચ આવે એમ નથી. પૈસાનું મહત્વ કેટલું છે એ તમારા સૌની સાક્ષાત્ અનુભૂતિને વિષય છે. પૈસાદાર માણસો જ્યારે પિતાના વૈભવનું પ્રદર્શન કરવામાં મહત્તા માનવા લાગે છે, ત્યારે પૈસે તેમની સામાજીક જીવનની પવિત્રતાને ડહોળી નાખનાર એક દૂષણ બની જાય છે. તેમનાં સામાજીક જીવનને છિન્નભિન્ન કરી નાખનાર એક પાપ બની જાય છે. આવા માણસો આંતરિક સત્વ અને શકિતથી શૂન્ય હોય છે. તેમની આંતરિક શક્તિ અને સર્વ પૈસે બની જાય છે. પૈસે જ તેમનું સર્વસ્વ, તેમની સમજણને આધાર, તેમની પ્રતિભાનું મૂળ, તેમનાં સન્માનનું કારણ અને તેમના માનભર્યા સ્થાનનું સંરક્ષણ બની જાય છે. સમાજમાં તેમને જે માન અને મે મળે છે તે તેમની આંતરિક શકિતને કારણે નથી મળતાં પરંતુ પૈસાને કારણે મળે છે. તેમને મળતાં માન કે પ્રતિષ્ઠા, સદાચારમૂલક નથી હોતાં. તેમના માન મરતબા અને વિકાસની આધાર શિલા પૈસામાં સંન્નિહિત હોય છે. તેને પાયે એ તે કા હોય છે કે,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy