SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૩ ચિત્તના પાંચ શુભાશય આવો અનુભવી એટલે કે આત્મનિષ તત્વદર્શી, ફલેશના મૂળ જેવા ક્ષણભંગુર વિષયે પાછળ ભમતે નથી સત, ચિત્ત, આનંદ સ્વરૂપ પરમાત્મા સિવાય બીજા કશાની સાથે તન્મય થતું નથી ને પોતામાં જે આત્મા રહ્યો છે, તે જ આત્મા ભૂત-પ્રાણી માત્રમાં પણ રહ્યો હોવાથી ઋણાનુબંધને ગે પોતાના પરિચયમાં આવનાર કોઈ પણ વ્યક્તિને કચવાવતે કે પીડાતું નથી. એ આત્મનિષ્ઠ અને અસંગ હેવાથી મનથી તે એ સદા કાળ આનંદમાં જ રહેતો હોય છે. પણ દેહ ધારણ કર્યો હોવાથી દેહની સાથે અનિવાર્ય રીતે જોડાયેલાં જ છે, તેવાં જે સુખ-દુઃખ, તેને ભોગવવામાં આવે, ત્યારે એ હર્ષ શેક વિના સમતાથી સહન કરી લેતા હોય છે. દુખ તે ઠીક પણ સુખ પણ માણવાનું કે ભેગવવાનું નહિ, પણ સહન કરી લેવાનું જ હોય છે. આ આત્મનિષ્ઠ, તવદર્શી, મેહ અને માંથી મુક્ત થઈને ચિત્તની ઊંચામાં ઊંચી ભૂમિકાએ રહેતે હેય છે. તેના અંતરમાં પ્રભુ નામને અજપાજપ ચલતે રહે છે. ચિત્તના પાંચ શુભાશય ૧. પ્રણિધાન, ૨. પ્રવૃત્તિ, ૩. વિજય, ૪ સિદ્ધિ, પ. વિનિયોગ. ૧. પ્રવચનની આરાધના, ઉપકારીઓના ઉપકારની અખંડ સ્મૃતિ, જેને ‘પ્રણિધાન કહેવાય છે. ૨. સમાગમાં દઢતા, મોક્ષ સાધક અનુષ્ઠાને માં અખંડ ઉત્સાહ જેને “પ્રવૃત્તિ' કહે છે. ૩. કર્તવ્યતાને નિશ્ચય “આ જ મારૂં કર્તવ્ય છે, એવા અખંડ વિશ્વાસપૂર્વક સન્માર્ગમાં દઢ રહીને આવતાં વિદનેને વિદારવાં, જેને “વિદનજય' કહે છે. ૪. શુભાશયની વૃદ્ધિ, અંતઃકરણની પ્રસન્નતા તે સિદ્ધિ છે. ૫. સાનુબંધ ભાનુકાનની પ્રાપ્તિ જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી પુનઃ પુનઃ સદનુષ્ઠાનની પ્રાપ્તિ તે વિનિયોગ. નમો અરિહંતાણુંની અર્થ ભાવના मयि तद्पं, स एवा ह। તથા = “મતિ” સંસર્ગારે પ. તલના = “વા ડ ઢું | અભેદ્યારે ૫. તાય એટલે અંતરાત્માને વિષે પરમાત્માનો ગુણને સંસર્ગારેપ અને તરંજનવ એટલે અંતરાત્મામાં પરમાત્માને અભેદારોપ.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy