SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પુરૂષા વાદ ૬૧ અય એ દૃગતિદાયક હોવા છતાં પણ એનાથી પ્રાપ્ત થનારા કામ સુધાની અભિલાષાવાળા આત્માઓને એના માહ છૂટતા નથી. કેટલાક આાત્માએ કામની ખાતર નહિ પણ અર્થની ખાતર જ અથ ઉપાર્જન કરવામાં રસિયા હોય છે. તેઓના અધ્યવસાય અતિ સકલિષ્ટ હાય છે. શાસ્રોમાં તેઓને નરાધમ તરીકે વણુ વેલા છે. કારણ કે તેઓના ચિત્ત સદા માયા, શાક, ભય, ક્રાધ, લાભ, માહ, અને મદથી ઘેરાયેલાં હાય છે એમાંના એકેક દોષ પણ દુર્ગતિનું કારણ છે. તે પછી એ સઘળા દોષાનું જયાં સંગમ સ્થાન હાય, ત્યાં ચિત્તની એ કિલષ્ટતાનું વર્ણન થવુ જ અશકય છે એ કારણે ઇતર દર્શીનકારાએ એવા આત્માને તામસ પ્રકૃતિવાળા ગણાવ્યા છે અને જૈન શાસ્રકારોએ કૃષ્ણાતિ અધમ લેશ્યાવાળા વર્ણવ્યા છે. કામની ખાતર અર્ધાંપાજનની ઈચ્છાવાળા આત્મા તેટલા ક્લિષ્ટ અધ્યવસાયવાળા નથી હોતા, તે પણ તેઓનુ` ચિત્ત હમેશા રાગગ્રસ્ત તથા વિવેકવિકલ હોય છે. તેઓ પણ દુગતિના અધિકારી થાય છે. અ પુરૂષાની જેમ કામ પુરૂષાર્થીનાં પણ કાર, સ્વરૂપ, વિષય અને ફળ ગ્રહણીય છે. કામનું કારણ જે મ છે એ તા સ્વભાવથી જ અસુંદર છે. કામનુ સ્વરૂપ તીવ્ર અભિખ્ખુંગ છે તે પણ સંતાપને પેદા કરનારૂ છે. કામના વિષય શ્રી કલેવર છે, પણ અત્યંત અશુચિમય છે અને કામનું ફળ તા અત્યંત કટુ અને વરસ છે. તેથી તે પશુ જીવને અનિષ્ટ જ છે તે કામની સાધન સામગ્રી જેમ લક્ષ્મી છે. તેમ શરીર, વય, કલા, દાક્ષિણ્ય, અનુરાગ, વ્રુતિ આદિના વ્યાપારા રતિક્રિડા વિગેરે છે. એ સઘળી વસ્તુ સ્વયં-અશુભ છે. ક્ષણમાત્રમાં વિપરિણતિને પામનારી છે. તથા અતિ અલ્પ અને કલ્પિત સુખને આપનારી છે, એટલું જ નહિ પણ સરસવ જેટલા સુખને આપી મેરૂ જેટલા ને આપે છે અથવા બિંદુ માત્ર સુખને અનુભવ કરાવી સાગર જેટલા દુ:ખામાં નાંખે છે. કામ-સુખની તૃષ્ણાથી જ જીવને સ્વર્ગ અને મેાક્ષનાં અન"ત સુખેા હારી જવાં પડે છે. તથા નરક અને તિયાઁ"ચગતિઓના દુઃસહ કષ્ટોને ભાગવવાં પડે છે. ધમ-પુરૂષા કામ પુરુષામાં જેમ મિલન કામભાગેામાં રાગના ઉત્કર્ષ વધીને વિપર્યાસ વધતા જાય છે અને વધતા વધતા દુ॰તિમાં પરિણમે છે, તેમ ધમ પુરુષા માં એથી વિપરીત થાય છે ધ પુરુષાનાં સાધન, સ્વરૂપ, વિષય અને ફળ એ ચારે અગા વિશુદ્ધ છે. દયા, દાન, ક્ષમાદિ એનાં અંગા કારણેા છે. આત્માનાં વિશુદ્ધ અધ્યવસાય એ એનુ સ્વરૂપ છે. પંચપરમેષ્ઠિ આદિ પરમ તરવાની શક્તિ, ઉપાસના અને આજ્ઞાપાલનાદિ એ એના વિષય છે અને ઉત્તમ પ્રકારનાં દેવ ભવનાં અને મુક્તિનાં સુખા, એ એનું ફળ છે,
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy