SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ આત્મ-હત્યાનને પાર આત્માને રાજી કરે તે જિનરંજન. આત્મ-રંજન એ જિનેન્દ્ર માગ છે. સંસાર પરિભ્રમણને અંત લાવવાનું સાધન, મોહને છોડીને આત્મસ્વભાવનું ચિંતન-યાન કરવું તે છે. નેત્ર અગ્નિને રખે છે, પણ અગ્નિનું સર્જન કે વેદન કરતું નથી, તેમ આત્મા જ્ઞાન-દર્શનરૂપી ચક્ષુ વડે રાગાદિને જાણે છે, પણ તેનું સર્જન કે વેદન કરતે નથી. શુદ્ધ જ્ઞાન જેમ અકર્તા, અભક્તા છે, સર્જક કે વેદક નથી, તેમ શુદ્ધ જ્ઞાન પરિણતિરૂપે પરિણમેલે જીવ પણ અન્ત, અભતા છે, વેદક કે સર્જક નથી. મેક્ષમાગ જ્ઞાનભાવ પરિણમન તે શુદ્ધ ધર્મ છે, ભાવધર્મ છે. તેને શ્રદ્ધા–જ્ઞાન-અનુભવમાં લે તે ક્ષમાર્ગ છે. બાહા ચક્ષુ પુદગલની રચના છે. આત્મા જ્ઞાનચક્ષુવાળ-જ્ઞાનનેત્રવાળો છે. આત્મા અધ્યાયરૂપ છે, તેથી શાન્ત અને શીતળ છે. જ્ઞાન અને દર્શન એ આત્માનાં ગુણ છે, તેથી શાન અને શીતળ છે. રાગમાં આકુળતારૂપ અગ્નિ છે. જ્ઞાનમાં શીતળતારૂપ શાનરસ છે. જ્ઞાનચેતના રાગાદિ રહિત છે માટે અર્તા છે. અને સુખાદિ રહિત છે, માટે અભોક્તા છે. શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને અનુભવ તે ધર્મ છે. જેમ આંખ છે, તે શરીરની શોભા છે, તેમ આત્માની શોભા ચૈતન્ય-ચક્ષુ વડે છે. સંસાર અસાર છે, તેમાં આત્મા જ સાર છે. નિજ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન એ અતિ દુર્લભ છે. તેથી તે માટે પુરુષાર્થ કરવો એ જ કર્તવ્ય છે. દેહરૂપી ગુફામાં અંદર ઊંડે ઊંડે આત્મા છે. તેને લયમાં લેવું જોઈએ, બહાર ફાંફાં મારવા કરતાં મનને અંદર વાળવું તે અંતર્મુખતા છે. દેહ આવે અને જાય, પણ આત્મા કદી દેહરૂપી ન થાય. મરણને જાણનારે કદી મરતો નથી. દેહ આવ્યા અને ગયે પણ આત્મા તે એને એ જ રહ્યો આત્માને આત્માને વિયાગ કદી હાય નહિ. શરીરના વિયેગે આત્માનો વિયોગ થતું નથી. આગમ મૂતિરૂપી આદર્શ (ઇપણ) માં જે શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાયું, જાણવામાં આવ્યું તે જ્ઞાન છે અને એ મુજબ ધ્યાન કર્યું, તે ક્રિયા છે. “જ્ઞાન વિજ્ઞા મો: ” એનો ટૂંકે અર્થ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy