SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અધ્યાત્મ દર્શન ઈષ્ટની પ્રાપ્તિમાં પ્રધાન ભાગ સવનું ઈષ્ટ ઈચ્છવરૂપ શુભ ભાવ ભજવે છે. ઈશિત્વ અને વશિત્વ એ જીવના મૂળ સ્વભાવ છે. નાદ વડે ઇશિત્વ અને જાતિ વડે વશિત્વ પ્રાપ્ત કરી શકે છે. નાદની અભિવ્યક્તિ નામ રૂપે અને જ્યેાતિની અભિવ્યક્તિરૂપ સ્વરૂપે થઈ છેથાય છે–થતી હાય છે. નાદમાં પૂર્ણ સ્વાધીનતા છે. જે આ નથી, તેા તે નાદ નથી પણ ઉન્માદ છે. ન્યાતિમાં સર્વાશતા છે. જીવની જ્ઞાનરૂપી જયાતિ વિશ્વવ્યાપી છે. તે સને વશ કરે છે, વશ થતી નથી. પણ કોઈને પ્રભુનુ' નામ નાદરૂપે અ`તરમાં સતત ચાલ્યા કરે છે. તેનું ધ્યાન સ્વાધીનતા સમપે છે, નાદનુ ધ્યાન કરવું–એ અસાધારણ કળા છે. શુદ્ધ, શાન્ત અને રિક્ત ચિત્ત આ ધ્યાનને ચાગ્ય છે. પ્રભુની જ્ગ્યાતિ જ્ઞાનરૂપે સદા પ્રગટે છે. તેનુ ધ્યાન વિશ્વવ્યાપિતા અને સવશિતા અપાવે છે. નામ અને રૂપ ગ્રહણ કરવા વડે નાદ અને જ્યેાતિનું ગ્રહણ થાય છે અને નાદ અને જ્યેાતિના ગ્રહણ વડે સ્વાધીનતા તેમજ સર્વોપરિતા પ્રાપ્ત કરી શકાય છે. ધમ સાધનાના આ સરળ ઉપાય છે. ધર્મ સાધના એટલે શુદ્ધ આત્મસ્વભાવની સાધના આત્મા ખરેખર જેવા છે, તેવા જીવનની સાધના. '; અધ્યાત્મ-દશ ન પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીના દર્શનમાં પ્રત્યેક જીવાત્મા દ્રવ્યથી અનાદિ અનત છે, શુદ્ધ છે, નિર્જન છે. જે કાંઈ અશુદ્ધતા છે, તે પર્યાયગત અને આપાધિક છે, મૂળભૂત નથી. નિશ્ચય દૃષ્ટિથી વિચારતાં નિગેાદથી માંડીને સિદ્ધ પર્યંતના જીવા શુદ્ધ છે, એક રસ છે, સમ છે, નિર્વિકલ્પ અને નિભેદ છે. ‘સત્વે સુદ્ધા હૈં યુદ્ધના (સ`જીવ શુદ્ધ નયથી શુદ્ધ છે) આ રીતે નિશ્ચય નય કાઇ પણ જાતના ભેદભાવ વિના વિશ્વ ચૈતન્યને અખડે પરબ્રહ્મ સ્વરૂપ જુએ છે. નરમાત્રમાં નારાયણને જુએ છે, પ્રાણી માત્રમાં પરમાત્મ દેન કરે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy