SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૭ મૂર્તિ અને મંત્ર સંસાર અને મોક્ષ, પુણ્ય અને પાપ, સુખ અને દુઃખ એ બધું આત્માન અને આત્મજ્ઞાનનું જ ફળ છે શુદ્ધ આત્માનું જ્ઞાન દ્રવ્યરૂપે એક છે, તેનું સ્થાપન મૂર્તિમાં થયેલું હોય છે. તેથી મતિના દર્શનમાં સમગ્ર વિશ્વના શુદ્ધાત્મ-દ્રવ્યનું દર્શન થાય છે. એ દર્શન રાગદ્વેષરૂપી મળને નાશ કરી શુદ્ધ સ્વરૂપની અભિવ્યક્તિ કરે છે. મૂર્તિને દર્શનમાં સ્વરૂપનાં દર્શન છે. સ્વરૂપની સાથે એકત્વની અનુભૂતિને ભાવ મૂર્તિમાં આરોપિત કરેલ છે. તે આરેપ એ અદાપ છે. અભેદારે ૫ એટલે એકતાની અનુભૂતિને ભાવ, તેનું મૂર્ત સ્વરૂપ તે મૂર્તિ. શખમાં જેમ સંકેતગ્રહ શબ્દધનું કારણ છે, તેમ મૂર્તિમાં અભેદારપ એ ઉપાસનાનું બીજ છે. પ્રતિષ્ઠાવિધિ અને પ્રતિષ્ઠાકારક મૂર્તિમાં પ્રતિષ્ઠાકારકને પરમાત્મવિષયક સ્વ–આત્માનો અભેદભાવ આરેપિત થાય છે, તેથી મૂતિ તે અભેદભાવના વિષયભૂત પરમાત્માનું સમરણ કરાવે છે. આરોપમાં નિમિત્ત અને પ્રજન જેવાં જરૂરી છે. નિમિત્ત સદશાકાર છે અને પ્રયજન પરમાત્માની ઉપાસના, ધ્યાનાદિ છે. કાષ્ઠ યા પાષાણની મૂર્તિમાં પરમાત્મા સદશ આકૃતિ હોવાથી તેમાં આપ સહજ બને છે. નિરાલંબનમાં પ્રવૃત્તિ કરવા માટે આલંબન આવશયક છે. મૂર્તિ તે આલંબન પૂરું પાડે છે. પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિના દર્શનથી, પરમાત્મવિષયક સ્વ–આત્માને અભેદ મત સ્વરૂપ ધારણ કરે છે. અમૃત ભાવનું મૃત મૂર્તિમાં સ્થાપન અને મૂર્તિના દર્શનાદિ વડે અમૂર્ત ભાવનું ભાવન, એ રીતે પરસ્પર કાર્યકારણ ભાવ છે. મૂર્તિમાં પ્રતિષ્ઠાકારક ભાવાચાર્યની સમાપત્તિનું સ્થાપન થાય છે. સમાપત્તિવિષયક ભાવનું આરોપણ થાય છે, તેથી તે મૂર્તિના દર્શનથી વ્યુત્પન સમ્યગદષ્ટિને સમાપત્તિનું દર્શન થાય છે. અને વ્યુત્પન્નને પ્રતિષ્ઠાનું પ્રત્યભિજ્ઞાન થાય છે. એટલે કે આ મૂર્તિ પ્રતિષ્ઠિત છે, એવું જ્ઞાન થવાથી દર્શકને પ્રતિષ્ઠાવિધિ તથા પ્રતિષ્ઠાકારક આચાર્યનું સ્મરણ થાય છે. પ્રતિષ્ઠાવિધિ, એ પ્રવર્તકતા સંબંધથી પરમાત્માનું જ્ઞાન કરાવે છે અને આચાર્યનું જ્ઞાન કરાવે છે અને આચાર્યનું સ્મરણ એ તેમણે સ્થાપેલા ભાવનું સ્મરણ કરાવે છે. ઉભયમાં પરમાત્માનું સ્મરણ અનુસૂત હોવાથી પરમાત્મા સદશ આત્માનું સ્મરણ થાય છે, એ સ્મરણ પરંપરાએ મુક્તિહેતુક બને છે અને સાક્ષાત્ ધર્મનું કારણું થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy