SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ અર્હ મંત્રનું તાત્પય પર૯ અભેદ ઉપાસનામાં પણ સામાન્ય અને વિશેષ એમ બે ભેદ પડી શકે. મારો આત્મા અરિહંત સ્વરૂપ છે, એવા જ્યારે સ્પષ્ટ ઉલ્લેખ સાથે વિચાર પ્રવાહ હોય, ત્યારે ત્યાં વિશેષ અભેદ્ય ઉપાસના કહેવાય. અગ્નિ એ માણવાનુ' તાવિક પરિણામ નથી, જ્યારે પરમાત્મપણ' એ આત્માનું તાત્ત્વિક પરિણામ છે. આગમથી ભાવ નિક્ષેપમાં તાત્ત્વિક-અતાત્ત્વિક બંને પ્રકારની સમાપત્તિ આવી જાય. ભેદ ઉપાસના, પછી તે ગમે તેવી તન્મયતાવાળી હાય, તે પણ અરિહંત અને હું જુદા છીએ. એવા ભાવવાળી હૈાય ત્યાં સુધી એ અતાત્ત્વિકી સમાપત્તિ છે અને જયારે આત્મામાં અહત્વને જાણે, અનુભવે ત્યારે એ તાત્ત્વિક સમાપત્તિ બને. 卐 ૐ અર્હ મંત્રનું તાત્પર્ય ૐ હૈં, એ મંત્ર આત્ત ધ્યાન, રૌદ્રધ્યાન-નિવારક છે અને ધમ ધ્યાન-શુલખ્યાનકારક છે. ૐ એ પદ વડે ક્રમના વિચાર, રૌદ્રધ્યાનને શકે છે અને અહં પુઃ વડે થતા ધના-આત્મધર્મના વિચાર આત્તધ્યાન નિવારે છે. ધર્મ ધ્યાનના વિચાર, રૌદ્રધ્યાન નિવારક છે. શુક્લયાનના વિચાર, આત્ત ધ્યાન નિવારક છે. ધર્મ ધ્યાનમાં આલેખન તરીકે મુખ્યત્વે કમના વિચાર છે અને લધ્યાનમાં આલંબન તરીકે આત્મતત્ત્વનુ' એકાગ્ર ચિંતન છે. પ'ચપરમેષ્ઠિ વાચક છે. અહુ પ્રથમ પરમેષ્ટિવાચક્ર છે. પરમેષ્ઠિ મંત્ર ધ-શુક્લના વિચાર વડે આ રૌદ્ર વિનાશક છે. વિચાર ધર્મ ધ્યાનને પેાષક છે. આત્મવિચાર શુક્લધ્યાનવધ ક છે. ક્રમ -વિજ્ઞાન વડે નમ્રતા અને આત્મ-વિજ્ઞાન વડે નિભયતા પ્રાપ્ત થાય છે. અણુથી પણુ અણુ બનવું તે નમ્રતાનુ' પ્રતીક છે મહી પણ મહંત થવું, તે નિ યતાનુ પ્રતીક છે. લેાકેાત્તર પુરુષાનાં ચિત્ત-વજ્રથી પણ વધુ કઠાર હાય છે, તે તેમની નિસઁયતાને સૂચવે છે. અને કુસુમ કરતાં વધુ કોમળ હાય છે, તે તેમની નમ્રતાને સૂચવે છે. નમ્રતા ગુણુની પરાકાષ્ઠા નિર્ભયતાને આપે છે અને નિર્ભયતા ગુણુની પરાકાષ્ઠા નમ્રતામાં પરિણમે છે. ૐ હૈં મંત્રનું આ તાત્પય છે. આ. ૬૭
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy