SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ આદર્શ મુનિજીવન કરવું એવી આજ્ઞા છે. કારણ કે હિત પણ સામાની ઈચ્છા કરાવ્યા વગર થઈ શકતું નથી. અને જે થઈ શકતું હોત તો દયા સાગર શ્રી તીર્થકર દેએ કયારનાય સવ અને મોક્ષમાં પહોંચાડી દીધા હત. જે સામે મુલ ઈચ્છતે જ નથી, છતાં આપણે ઉપાર કરવા જઈએ છીએ, તે તેમાં સવ–પરનું હિત નહિ, પણ એકાંત અહિત જ રહેલું છે. ઈરછા એ એક એવી વસ્તુ છે કે તે જગ્યા પછી માણસ બહુ જ હર્ષભેર તદનુરૂપ પ્રવૃત્તિ કરે છે. ઈરછાથી જ જીવ કરવતથી પિતાનું શરીર કપાવે છે. ઈચ્છાથી જ જીવ સળગતી ચિતામાં ઝંપલાવી દે છે. ઈરછાશક્તિ મુક્તિ માટે પ્રબળ પુરુષાર્થ જીવ પાસે કરાવે છે. માટે શ્રી તીર્થકર ભગવંતોએ મોટે ભાગે પ્રથમ ઈરછા કરાવ્યા પછી જ કાર્ય કરાવવાનું ફરમાવ્યું છે. એથી વિરુદ્ધ ઈરછા કરાવ્યા સિવાય, નાનામાં નાનું પણ કઈ કાર્ય કરાવવું તે આરાધકને વિરાધક બનાવવા જેવું છે. અનિચ્છાએ કરાવેલાં મેટાં મોટાં કાર્યો પણ પરિણામે એટલાં દીપતા નથી, જેટલાં ઈચ્છાપૂર્વક કરાવેલાં નાના કાર્યો દીપે છે. ગુરુકુળવાસમાં વસતા મુનિએ, ગુરુકુળવાસમાં રહેતા અન્ય મુનિઓ પાસેથી કંઈને કંઈ સાર ગ્રહણ કરવાની વૃત્તિ પણ રાખવી જોઈએ. જે આત્મા મુનિ ધર્મને સ્વીકાર કરે છે તે આત્મામાં કઈને કઈ પ્રકારની વિશેષતા ઘણું કરીને હોય જ છે. જે મુનિ બને છે તેમાં, ઓછામાં ઓછો એકાદ ગુણ તે એ નસર્ગિક હવે સંભવ છે કે જે બીજાને મેળવવા જે હોય તે તે ગુણ નાના કે મોટા ગમે તે મુનિમાં હોય, તે તે મેળવવા માટે મુનિએ પ્રયત્નશીલ બનવું જોઈએ કે, જેથી પરસ્પર વચ્ચે સ્નેહ અને વાત્સલ્ય ભાવની વૃદ્ધિ થાય. નાના પાસેથી પણ ગુણ ગ્રહણ કરવામાં નાનમ નથી. તેથી મેટાની મહત્તા ઘટતી નથી પણ વધે છે. જેટલી ઉતાવળ જીવને બીજાને ગુણ આપવાની છે, તેટલી જ ઉતાવળ બીજમાંથી ગુણ ગ્રહણ કરવાની આવી જાય, તે મુનિજીવન ખરેખર ઉજજવળ બની જાય. આ. ૬૨
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy