SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય-ગુણ-પર્યાય રૂ. “અgii વોસિરામિ' એ સુકૃતસેવનની પ્રતિજ્ઞા છે તેનાથી જીવને શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ મળે છે. દુષ્કૃત વર્જન વડે શાંતિ થાય છે, સુકૃત સેવન વડે તુષ્ટિ થાય છે. શરણ ગમન વડે પુષ્ટિ થાય છે, કેમ કે તે સ્વરૂપ રમણમાં પરિણમે છે. બધા જીવોની સાથે સમતાભાવ તે સમતા સામાયિક. લાભ-અલાભ માન-અપમાન રાગ-દ્વેષ વગેરે દ્રોમાં સમાન રહેવું તે શ્રુત સામાયિક અને તે જ્ઞાન દ્વારા ક્રિયામાં અપ્રમત્તતા રાખવી તે ક્રિયા સામાયિક છે. સામ એટલે મધુર પરિણામ, નેહ, મૈત્રી. સમ એટલે રાગ દ્વેષમાં મધ્યસ્થપણાનું પરિણામ તે શ્રુતસામાયિક. સમ્મ એટલે જ્ઞાન-ઇન-ચારિત્રની ક્રિયામાં મળી જવું તે ક્રિયા સામાયિક છે. આ પ્રતિજ્ઞા દિવસમાં નવવાર કરવાથી ભાવના પુષ્ટ બને છે. સારી ભાવનાવાળાને તેવા વખતે અંદરથી અદશ્ય બળ મળે છે. દ્રવ્ય-ગુણુ-પર્યાય સજાતીય દ્રવ્યથી વૃદ્ધિ, ગુણની એકતા અને પર્યાયની સમાનતા અનુભવાય છે, તે સામાયિકનું મધુર પરિણામ છે. તેમાં કારણ દ્રવ્યથી સાતીય ચેતનતત્વને સંબંધ વૃદ્ધિનું કારણ બને છે. તુલા પરિણામરૂપ સામાયિક પર્યાય વડે સમાનતાનું ભાન થાય છે અને ખીરખંડયુક્ત સામાયિકનું પરિણામ ગુણ વડે એકતાનું ભાન કરાવે છે. મધુર પરિણામ દ્રવ્યની એકતાના ભાન વડે થાય છે. તુલા પરિણામ પર્યાની સમાનતાના જ્ઞાનથી થાય છે અને ખીરખડયુક્ત પરિણામ ગુણના અભેદનું જ્ઞાન થવાથી થાય છે. અથવા મધુર પરિણામ એ સજાતીય એકતાના સાશ્યાસ્તિત્વ વડે એક્તાના અનુભવથી થાય છે. તુલ્ય પરિણામ સૈકાલિક પર્યામાં અનુસ્મૃત સ્વરૂપાસ્તિત્વ-સ્વરૂપ સત્તાના એકત્વના ભાનથી થાય છે અને ખીરખંડયુક્ત પરિણામ એ ગુણોની એકતા અને અધિષ્ઠાનના એકત્વના ભાગથી થાય છે. ગુખ પચવટુ ટૂચમ્” એમાં ગુણ, પર્યાય અને દ્રવ્યનું વર્ણન છે. અનંત ગુણેને આધાર એક જ દ્રવ્ય છે. ગુણે સહભાવી છે, સપર્યાય ક્રમભાવી છે. અનંત
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy