SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા-ઉત્થાનનેા પાયે ઢાષા એ પ્રકારના છે. ૧. અહંકારરૂપ અને ૨. મમકારરૂપ, મમકાર રૂપ દોષ વિષયૈાના દોષદશનથી દૂર થાય છે. અહંકારરૂપ દોષ પેાતાના દોષદશનથી દૂર થાય છે. ૨૬૪ પોતાનામાં મોટામાં મોટા દોષ કૃતવ્રતા અને સ્વાથ રાયણતા છે. તેનું નિવારણુ માત્ર ભક્તિથી થઈ જાય છે કેમકે ભક્તિ કૃતજ્ઞતા અને પરાતા રૂપ છે. ઉપકારને જાણવાથી કૃતજ્ઞતા અને ઉપકાર કરવાથી પરાતા આવે છે. ભક્તિજન્ય શક્તિથી સવ આસક્તિ ક્ષીણ થાય છે અને આત્મભાવ સશક્ત બને છે. 'E ભક્તિના ભેરૂ ચાગ એટલે ચિત્તવૃત્તિના નિરોધ, ચિત્તવૃતિને અશુભમાંથી શુભમાં જોડવી, તે એક પ્રકારના ભક્તિયેાગ છે. ‘નમેા અરિહંતાણુ` ' પટ્ટમાં ભક્તિયેાગ છે. જ્યાં ભક્તિ હોય ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય પણ હોય જ. આપણી જાતને અલ્પજ્ઞ માનીને સČજ્ઞ, સર્વદર્શી શ્રી અરિહંત પરમાત્માને જે નમસ્કાર કરીએ, તે ભક્તિયાગ છે. સમર્પણભાવપૂર્વક ચિત્તને એક સ્થાને જોડવુ, તે ભક્તિયેાગ છે. જ્ઞાનપૂર્વક ચિત્તને એક સ્થાને જોડવુ, તે જ્ઞાનયેાગ છે. વૈરાગ્યવાન અને જ્ઞાનવાનની ભક્તિ, તે સાચી ભક્તિ છે. જયાં ભક્તિ હોય ત્યાં ગૌણપણે વૈરાગ્ય અને જ્ઞાન પણ હોય છે. વૈરાગ્યમાં ત્યાગ છે તેમાં પણ ગૌણપણે ભક્તિ અને જ્ઞાન રહેલાં છે. ભગવાનના વચન પ્રત્યે સદ્ભાવ રાખીને જે ત્યાગ કરવામાં આવે છે એમાં ભગવાન પ્રત્યે ભક્તિ પ્રગટ થાય છે, કારણ કે એ ત્યાગના મૂળમાં ભગવાનના વચનને સદ્દભાવ પૂર્ણાંકના સ્વીકાર હાઇને એ વચનના દાતા એવા ભગવાન તરફ, વચન કરતાં પણ વધુ સદ્ભાવ ચાને અહ્વાભાવ જાગે તે સ્વાભાવિક છે. શ્રી જિનવચન અનુસારના બેધ અને ત્યાગ એ જ વાસ્તવમાં જ્ઞાન અને વૈરાગ્યરૂપે પરિણમે છે. ચેાથે શુઠાણું ભક્તિ ‘પ્રધાન’ લેખાય છે. પાંચમે છઠ્ઠે વૈરાગ્ય ‘પ્રધાન’ લેખાય છે. પછીના ગુણુઠાણું જ્ઞાન પ્રધાન • લેખાય છે. ' તાત્પર્ય કે, શ્રી અરિહંત પરમાત્મામાં મન પરાવાઇ જાય, એતપ્રાત થઇ જાય તા માનવભવ જરૂર સફળ થાય. 卐
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy