SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ દાન ધર્મ ૧૬૯ એના ભાવ. એને પણ પ્રભાવના કરવાના ભાવ જાગશે મતલબ કે આપણી પ્રભાવનાઓ નિષ્ફળ નથી. એ લેનારા પણ પ્રભાવના કરનારા બને છે. શ્રી જૈનશાસન વિશાળ ભાવનાવાળું છે. જરા પણ સંકુચિત નથી. માત્ર જેને શાસન પામો અને બીજા ન પામે, એવું એના હૈયામાં ન હોય. જે બીજાને દાન જ ન દેવાય-એમ જૈનધર્મના નામે કહેવાય, તે તે જેનધર્મની મહાન અપભ્રાજના થાય, અને શાસન માલિત્ય એ તે મહાપાપ છે. જ્યારે બીજાને આપવાથી, બીજા શાસન તરફ ખેંચાય અને પરિણામે શાસન પામી પણ જાય. આપણે ત્યાં અવગુણને જીવનમાંથી બાદ કરવાની વાત છે. પણ કોઈ જીવને બાદ કરવાની વાત નથી અવગુણીને સદ્દગુણું બનાવવા માટે તેને દિલથી અપાતું દાન, તેના દિલમાં પણ સદ્દગુણ માટેની ઝંખના પેદા કરે છે. આમ દાન શીલ તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મના પાલન વડે જીવનની સુંદરતા આત્મવ્યાપી બને છે અર્થાત્ આત્મા સુંદરતમ બને છે. લક્ષમીની મૂરછ ઘટતા જ શરીરાદિની મૂછ પણ ઘટવા માંડે છે અને મૂછિત આત્માનું તે જ આપણા આચારમાં મૂર્તિમંત થઈ અનેકને ધર્મ કરવાની પ્રેરણા કરે છે. દાન એ સ્નાન છે, એનાથી પરિગ્રહ સંજ્ઞાને મેલ દૂર કરવાનું છે. શીલ, તપ એ કપડા છે, અને ભાવ એ અલંકાર છે, આ ચાર જાતના ધર્મના આચરણથી આત્મા સુશોભિત બની શકે છે. દાન ધર્મ ધર્મ અને પુણ્યને એક વિશિષ્ટ અને ગાઢ સંબંધ છે. પુણ્યને લૌકિક તથા ધર્મને લોકોત્તર માનવે એ યુક્તિ સંગત નથી. માણસ સામાયિક કરે, પરંતુ જે પ્રભુ પૂજા ન કરે, તે એ ધર્મ નથી કહેવાત. ધર્મનું મૂળ દાન છે. દાનમાં સર્વ શ્રેષ્ઠ દાન સમાન દાન છે. જેમાં અભયદાનનો સમાવેશ થાય છે. પૂજ્યમાં પરમ પૂજ્ય શ્રી પંચપરમેષ્ટિ છે. માટે જે એવા પૂજ્યની પૂજા ન કરીએ, તે એ ધર્મ નથી કહેવાતે. દાન દેવાની પ્રવૃત્તિને વિકસિત કર્યા વિના થાનાદિમાં વિકાસ શક્ય નથી. દાનથી ધ્યાન આવે છે. ધર્મનો પ્રારંભ દાનથી જ છે. આ. ૨૨
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy