SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ–ઉત્થાનને પાયા મુક્તિ તે સ્વભાવ, સંસાર તે વિભાવ. તેની સેવાથી સ્વભાવ વિકૃત થાય. સ`સાર એટલે રાગ-દ્વેષ. ૧૬૨ જડના રાગ ખાટા, જીવના દ્વેષ ખાટા. ખાટા રૂપિયા કોઈ હાથમાં ન લે તે જ રીતે રાગ-દ્વેષયુકત જીવને ક્રાંય નિરાંત ન મળે. તેના સમૂળ ઉચ્છેદ માટે જિનધર્મની અખ′ડ ઉપાસના એ જ ઉત્તમ ઉપાય છે. અને તેથી આન સતત ટકે છે. સુવિશુદ્ધ ધમ रुद्दो खलु संसारो, शुद्धो धम्मो तु ओसहमिमस्स । गुरुकुलसंवासे सो निच्छयओ नायमेतेणं ॥१॥ पंचनमुकारो खलु विहिदाणं सत्तिओ अहिंसा य । કૃત્રિય-શાય—વિનો, ત્તો ધમો મુદ્દોનો રા અર્થ :– સંસાર ખરેખર ભયકર છે. શુદ્ધ ધર્મ તેનું ઔષધ છે. ગુરુકુલવાસમાં વસવાથી અને ગુરુઆજ્ઞા મુજબ જીવન જીવવાથી (તે) શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધધર્મનાં ચાર લક્ષણ છે. ૧. વિધિયુક્ત દાન, ૨. શક્તિ મુજબ અહિંસાદિ સદાચાર, કષાયાના વિજય, ૪. પાઁચ નમસ્કાર આ ધર્મ સુખનું સાધન. ૩. ઇન્દ્રિયેા અને તે અનુક્રમે દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ છે. અનાદિ અવિદ્યાને આધીન થઈને દેવ, નારક, મનુષ્ય અને તિય ́ચ એ ચાર ગતિમાં પરિભ્રમણરૂપ દુઃસાધ્ય જે વ્યાધિથી જીવ પીડાય છે, તેના સચોટ ઈલાજ તે શુદ્ધધર્મનું વિધિપૂર્વકનુ સેવન છે. શુદ્ધધનુ સેવન કરવા માટે ગુરુકુલવાસમાં વસવું પડે, તેમજ ગુરુદેવની આજ્ઞાને શિરસાવદ્ય કરવી પડે. ગુરુઆજ્ઞામાં કુતર્ક કે કુશંકા ન ચાલે. શુદ્ધધર્મ જેને સ્પર્શે છે તે ધન્યાત્મા વિધિપૂર્વક દાન પણ કરતા હાય છે તેમજ અહિંસાદિ સદાચારના પાલનમાં શક્તિ મુદ્દલ ગાપવતા નથી. વિષય-કષાયને પરાસ્ત કરવામાં તેની જાગૃતિ બની રહે છે અને શ્રી પૉંચ પરમેષ્ઠિ ભગવાને સાચા ભાવથી પૂજતા, ભજા, સ્તવતા હોય છે. સુવિશુદ્ધ ધર્મના અંગભૂત, દાન, શીલ, તપ અને ભાવમાં અજોડ વીય ફેારવી અને અપ્રમત્ત જીવનમાં સ્થિર બની સાધક પદ્મ પુના અધિકાર પ્રાપ્ત કરતા હોય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy