SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ધ સર્વોત્કૃષ્ટ મ‘ગળ ભક્તિનું સ્વરુપ આત્મા એ મહિમાશાળી દ્રવ્ય છે. તેથી જ તેને ઓળખાવનાર પરમાત્મા પ્રત્યે શક્તિ જાગે છે, એ ભક્તિ-ક્રિયા તરફ આદર જગાડે છે, અને એ આદર પ્રયત્નમાં પરિણામ પામે છે. ૧૩૫ ક્રિયા વિના ફળ નથી, એવી શ્રદ્ધા જે જ્ઞાનની અપેક્ષા રાખે છે, તે જ્ઞાન આત્માનું તેમજ આત્માના શુદ્ધસ્વરુપનું જ્ઞાન છે, અને એ શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થવાથી પરમાત્માની ભક્તિ જાગે છે. પરમાત્માનાં નામસ્મરણથી શુદ્ધ આત્માનું સ્મરણ થાય છે અને પરમાત્માની મૂર્તિના દશનથી આત્માના શુદ્ધસ્વરુપનું દર્શન થાય છે. આત્માના શુદ્ધસ્વરુપની પ્રતીતિ કરાવનાર પ્રભુના દર્શીન અને સ્મરણુ, પ્રભુની મૂર્તિ અને પ્રભુના નામથી થાય છે. તેથી તે થવામાં પ્રધાન અનુગ્રહ પ્રભુના ગણાય છે. એ અનુગ્રહ કરવાની શક્તિ, પ્રભુ સિવાય બીજા કેઈમાં ન હેાવાથી ભવ્ય પ્રાણીમાત્રને પ્રભુ સેવ્ય છે, ઉપાસ્ય છે, આરાધ્ય છે અને તેમનું વચન-આજ્ઞા શિરસાવ"દ્ય છે, મસ્તકે ચઢાવવા ચેાગ્ય છે. પ્રભુના અનુગ્રહથી જ આત્મજ્ઞાન, સક્રિયા અને સશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. એવા નિણ ય સમ્યગ્દષ્ટિજીવને દૃઢ હોય છે. ધર્મની સત્યતાના આધાર ધર્મના સૌંબંધ સવની સાથે છે, તેનું પ્રમાણુ એ છે કે પ્રત્યેક વિધાયક કે નિષેધક આજ્ઞા, ત્રણ ચેાગ અને ત્રણ કરણ વડે પાળવામાં આવે ત્યારે જ પૂર્ણ બને છે, દા. ત. : શ્રી જિનપૂજા કરવી જોઈએ, શ્રી નવકાર ગણવા જોઈએ. તે વિધાયક અનુષ્ઠાન ત્રણ યાગ એટલે મનથી, વચનથી અને કાયાથી, તથા ત્રણ કરણ એટલે કરવાથી, કરાવવાથી અને અનુમાદવાથી થાય ત્યારે તે પૂજા કે નમસ્કાર, વાસ્તવિક પૂજા કે વાસ્તવિક નમસ્કાર બને છે. મનથી કરે અને વચનથી નિષેધે અથવા મનથી અને વચનથી કરે, પણ કાયાથી નિષેધે તેણે પૂજા કરી ન કહેવાય પણ મશ્કરી કરી કહેવાય. એ રીતે પાતે કરે, પણ બીજા ન કરતા હાય તે કરે એવા વિચાર મનથી પ ન હોય, તેણે પૂજા કરી ન કહેવાય; અથવા જેઓ કરતા હોય, તે સારુ કરે છે, એવી અનુમાઇના ન હોય, તે તેણે પૂજા સારી માની છે અને કરે છે, એવું સાબિત ન થાય.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy