SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનનો પાયો ૧૧૮ ધર્મ એટલે શું....? 'यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः ।' જેનાથી અયુદય અને નિશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ. ધર્મની આ વ્યાખ્યા સર્વ આસ્તિક દર્શનકાને માન્ય છે. અભ્યય એટલે પદગલિક આબાદી, નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક શ્રેય ધર્મથી જેમ આધ્યાત્મિક શ્રેયઃ સધાય છે, તેમ પદગલિક આબાદીનું કારણ પણ ધર્મ જ છે. પીગલિક આબાદી એટલે ભૌતિક ઉન્નતિ. ભૌતિક સુખેની સિદ્ધિ. સુખ બે પ્રકારનાં છે. એક પુદ્દગલના સંગથી થનારાં સુખે, બીજા પુદગલના સંગ વિના થનારાં. પુદગલના સંયોગથી ઉત્પન્ન થના સુખે એ ભૌતિક સુખે છે. કોઈ પણ પુદગલના સાગ વિના કેવળ આત્મપદાર્થથી ઉત્પન્ન થનારું સુખ એ આધ્યાત્મિક સુખ છે. આધ્યાત્મિક સુખની સિદ્ધિ નિરાલક્ષી ધર્મથી છે. પદગલિક સુખની સિદ્ધિ, પુણ્યલક્ષી ધર્મથી છે. જેમાં શુભકર્મોને બંધ એ દયેય છે, તે પુણ્યલક્ષી ધર્મ છે. જેમાં પુણ્ય અને પાપ ઉભયને ક્ષય એ યેય છે, તે નિર્જરાલક્ષી ધમ છે. નિરાલક્ષી ધર્મ, મિક્ષમાં પરિણમે છે. પુણયલક્ષી ધર્મ, સંસારમાં વિવિધ પ્રકારનાં સુખને અનુભવ કરાવે છે. એ સુખ પરદ્રવ્યની ઉપાધિથી થનાર હોવાથી આદિ અને અંતવાળા છે. પરદ્રવ્યની ઉપાધિ વિના, કેવળ આત્મામાંથી ઊપજનારાં આધ્યાત્મિક સુખે છે. તેની આદિ છે, પણ અંત નથી. ભૌતિક સુખની પ્રતિષ્ઠા આજના કાળમાં ભૌતિક સુખેને માટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. ભૌતિક સુખની સિદ્ધિનું કારણ વિજ્ઞાન મનાય છે. વિજ્ઞાનની વિવિધ શોધથી ભૌતિક સુખનાં સાધન વધ્યાં છે અને વધે છે. ઉત્તમ પ્રકારના રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને ઉત્તમ પ્રકારના શબ્દ, તેમ જ તે બધાની પ્રાપ્તિ એ આજના મોટા ભાગના મનનું દયેય હોય છે. એ દયની સિદ્ધિ વિજ્ઞાનથી
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy