SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આ લાંચને હિસાબે જ આવું અધઃપતન થયું છે. અબ્રાહમ લીકનનાં જીવનને એક પ્રસંગ છે. તેઓ એક આદર્શ વકીલ હતાં. એક વખત એક અમીર તેમની પાસે આવે છે. અને કહે છે. સાહેબ! મારે એક ખેડૂત પાસે અઢી ડોલરનું લેણું છે. તે એ અભિમાની બની ગયે છે કે મારી વાતને ધ્યાનમાં લેતે જ નથી. તેને બરાબર પાઠ ભણાવવાની જરૂર છે. તેથી આપની પાસે આવ્યો છું. તેના ઉપર કેસ કરવા માગું છું. આ સાંભળી વકીલ સાહેબ હસી પડે છે. ભાઈ! અઢી ડોલરમાં શી મોટી વાત છે? ન આપે તે પણ તારે શું આવવાનું છે? અમીર અને ખેડૂત વચ્ચેનો સંબંધ બાપબેટા જે હેય. તમે જતું કરતાં શીખે. વળી આપને ખબર હશે કે મારી ફી ૧૦ કેલર છે. અઢી ડોલર માટે ૧૦ ડેલર ભરશે? અમીરે જવાબ આપે “સાહેબ! આ પૈસાને સવાલ નથી. પ્રતિષ્ઠાને સવાલ છે હું દસ ડેલર ભરીશ પણ કેસ તે લડે જ છે.” ભલે-દસ ડોલર ફી મૂકી દે. તારું કામ પતાવી આપીશ.” વકીલ સાહેબે ટૂંકામાં પતાવ્યું. પેલે અમીર ૧૦ ડોલર આપી રવાના થયે. પછી લિંકન સાહેબે ખેડૂતને બેલાબે અને પૂછયું. “તારી પાસે પેલા અમીરના અઢી ડોલર માગણી છે”? “હા સાહેબ, ખેડૂતે કહ્યું. “આ પાંચ ડેલર લઈ જા, તેમાંથી રાા ડેલર શેઠને આપી આવ અને પહોંચ મને આપી જજે. બાકીના અઢી ડેલર તારી પાસે રાખજે.” એમ કહી વકીલ સાહેબે પાંચ ડોલર ખેડૂતના હાથમાં મૂક્યા. ખેડૂતે તે પ્રમાણે કર્યું. અઢી ડોલર શેઠને આપી, પહોંચ વકીલ સાહેબને પહોંચાડી દીધી. પિલા અમીરને પિતાના પૈસા મળી જતાં મોટર લઈ વકીલ પાસે આવ્યા અને કહ્યું “સાહેબ! પૈસા મળી ગયા છે. હવે કેસ ચલાવવાની જરૂર નથી.” અમીરે લિંકન સાહેબના ટેબલ ઉપર પિતાના હાથે લખેલી પહોંચ જેઈ અને લિંકન સાહેબની વિચિક્ષણતાને પામી ગયા. ઘણા વકીલેને આવી રીતે કુનેહથી કામ લેતાં આવડે છે. બુદ્ધિશાળી માણસે ઝગડા કરતા નથી. ઘણું વકીલે પણ સારા હોય છે. જે ઝગડા થતાં અટકાવે છે અને બને બાજુના પક્ષેની સાથે સમજાવટથી અને શાંતિથી કામ લે છે. મન મોટું છે જેનું, તે જન મેટા હોય, ક્ષમા, ગુણ, ધૈર્ય, નમ્રતા, સદાય તેનામાં હોય.” ઉંમરમાં મોટો તે ખરેખર મોટે નથી પણ જેનું મન મોટું છે, ક્ષમા, પૈયું આદિ ગુણો જેનામાં છે તે મોટો માણસ છે. જેનામાં ગંભીરતા નથી તે કુટુંબમાં કલેશ, જ્ઞાતિમાં કલેશ અને વાતવાતમાં કલેશ કરે છે. કલેશ થતાં વેરનાં બીજ વવાય છે નાની વાતને મોટું સ્વરૂપ આપી સંબંધ તોડી નાખે છે, જરા જેટલી પણ ઉદારતા બતાવી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy