SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પટ જેનામાં શ્રાવકના ૨૧ ગુણે હય, જેણે શ્રાવકના બાર વ્રત આદરેલા હોય, જે કરણી અને ક્રિયામાં બરાબર હોય તેને શ્રાવક કહેવાય. શ્રાવક શ્રદ્ધામાં કેવા દઢ હાય ! દેવ અમારા શ્રી અરિહન્ત, ગુરૂ અમારા ગુણિયલ સંત” સા શ્રાવક દેવ અરિહંતને માને. બીજાને માને નહિ, આજે તે ઘરમાં કુળદેવીના ફેટા રાખી તેની પૂજા કરે છે. ગોખલામાં લાકડાના ફળ મૂકી, શ્રીફળ મૂકી ધર્મ માને અને તેની પૂજા કરે. તેની જ આસ્થા રાખનારા હોય અને બહાર કહેવાય કે આ ધર્મના થાંભલા છે. સેક્રેટરી–પ્રમુખ-ઉપપ્રમુખ છે. પણ મિથ્યાત્વ હૃદયથી છેડયું નથી. જે ધર્મ છે તે શું માને? અમારા દેવ અરિહંત છે. ગુરૂ નિર્ગથ અને ધર્મ કેવળી ભગવંતને પ્રરૂપિત છે. બીજે કયાંય અમારૂં મસ્તકન નમે. આજે મોટા ભાગના લોકો જન્મથી જન છે, પણ કર્મથી કોણ છે એની તેમને પણ ખબર નથી. તમને કઈ પૂછે, તમે કયા ધર્મના છે? તે ગર્વથી કહોને કે અમે જેન છીએ. પણ જેન કેણ? જે રાગદ્વેષને જીતે તે જૈન. તમને આ રૂડો ધર્મ મળે પણ પ્રેકટીકલ જીવનમાં ન હતા. પેલા ચાર જણ કહે છે હજુ અમારા પ્રેકટીકલ જીવનમાં ધર્મ બરાબર ઉતર્યો નથી, જેથી અમે ઘેળા તંબુમાં કેમ જઈ શકીએ? તમે તે કરે છેઠું અને બતાવે ઝાઝું. જેના જીવનમાં ધર્મ પરિણયે, જેના હાડેહાડમાં ધર્મને રંગ લાગે એનું જીવન કેવું હોય? સુખની સહેલી અકેલી ઉદાસીનતા, આધ્યાત્મ કી જનની હૈ અકેલી ઉદાસીનતા” જેનામાં ધર્મ આવ્યું તે દરેક પદાર્થમાં ઉદાસીનતા બતાવે છે. પિતાની અપૂર્ણતા કબૂલે છે તેને વીતરાગ થવાની ભાવના છે, છતાં સંપૂર્ણ પણે માર્ગ પાળી શકાતું નથી, તેમ અમે પ્રભુના માર્ગમાં પુરા વફાદાર નથી, તેમ પિતાની ભૂલ કબુલે છે. અભયકુમાર શ્રેણિક મહારાજાને કહે છે સાહેબ! આ લેકનું ધ્યેય પૂર્ણ પદે પહોંચવાનું છે. પહોંચ્યા નથી તેનું દુઃખ છે. તેથી તેમનું દાણ માફ કરે. અને ધેળા તંબુમાં રહેલા બધા કેવા વેપારી છે? કે ધંધો કરે છે? છતાં કેટલો દંભ સેવે છે! ઉપરથી વસ્ત્ર ધળા પહેર્યા પણ અંદર મેશ જેવા કાળા છે. સૌએ પિતાના ધંધાને ધર્મ માની લીધો છે. પણ તેનાથી કેટલાં કાળાં કર્મ કરે છે તે જોતા નથી, માટે તેમનું દાણ માફ નહીં કરવાનું ઘણું સેવાધારીનું બિરૂદ ધરાવે છે, સેવાના નામે સન્માન મળે તે લઈ લે છે. પણ ઘરમાં માબાપ ઘરડા હોય તે તેની સેવા કરત. તેમને શરમ આવે છે. છતાં ઉપરથી બેલે કે, હું સ્વયંસેવક છું. સેવાની મોટી મોટી વાત કરે પણ કરવામાં મીંડું હોય તે શા કામનું? ઔષધ તણાં નામો ઉચ્ચાર્યાથી જ દરદ દબાય ના, સેવા તણી વાત કર્યાથી, સેવાના દુઃખ જાય ના...
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy