SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ચડાવી ખાત્રી કરે” રાજાએ ચશ્મા ચડાવ્યા અને પ્રધાન સામે જોયું તે વિકરાળ સિંહ દેખાશે. પછી ચશમા પ્રધાનજીને આપ્યા અને કહ્યું હું કેવું દેખાઉં છું ! પ્રધાનજી એ જોયું તે રાજા વાઘ સ્વરૂપ દેખાયા. આથી કહ્યું. મહારાજ ? કાંઈ નહિ બેલું પણ આપ જ અરીસા મંગાવી ખાત્રી કરે, રાજાએ તેમ કર્યું. તે પછી રાજાએ અંતઃપુરમાં દષ્ટિ કરી. અમલદારોને પણ જોયા પણ કોઈ વાઘ-સિંહ-રીંછ-કૂતરા-બિલાડા-સર્ષ– સસલા આદિ વિધ વિધ પશુઓ દેખાયા. રાજાએ બ્રાહાણને પ૦૦ રૂા. આપી વિદાય કર્યો અને મેચીના પગમાં પડી કહ્યું, આ સિંહાસન તમે સંભાળે અને અમને એગ્ય ઠેરવણી આપી માણસ બનાવો.” મેચીએ કહ્યું. “બાપુ ! એ પરિગ્રહ મારે ન જોઈએ. તમે માગશે તે સલાહ હું આપીશ. પણ મારે ધંધે મને કરવા દયે. મને અણહકનું કાંઈ ખપતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે માનવી આકૃતિને માનવી હોય પણ પ્રકૃતિ વિધવિધ પ્રકારની હેય છે. તમે પણ તમારી પ્રકૃતિ તરફ દષ્ટિપાત કરજે કે તમે કેના જેવા છે ! પ્રકૃતિના માણસ ન તે માણસ બનવા પ્રયત્ન કરજે. ક્રોધ કરે ત્યારે અરીસામાં મોટું જોઈ લેવું કે હું કે લાગું છું ! ઇન્દ્રિયનું દમન અને કષાયોનું શમન કરતાં શીખે. અનેક ગુણોથી અલંકૃત આચાર્ય દેવ રહિતક નગરીમાં પધાર્યા છે. અને ભાવિકે તેમની વાણીનું પાન કરવા જાય છે. તેમની વાણીમાં અપૂર્વ જાદુ છે. એકવાર સાંભળે તે પણ કંઈક પામીને જાય. વાણીની જાદુઈ અસર બધા પર કેવી થશે તે અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન...૯૮ કારતક સુદ ૮ મંગળવાર તા. ૨૬-૧૦-૭૧ નાથે સિદ્ધાંત પ્રરૂપ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ તેનું નામ સિદ્ધાંત. બલભદ્રના પુત્ર નિષધકુમારને અધિકાર ચાલી રહ્યો છે. અનંતજ્ઞાની નેમનાથ ભગવંત વરદત્ત નામના પ્રથમ ગણધર ભગવંતને નિષકુમારના પૂર્વભવની વાત કરી રહ્યા છે. તેમણે પૂર્વભવમાં આત્માની કેવી આરાધના કરી, ઉત્તમ સાધના કરી, તેમને કયા એવા મહાજ્ઞાની-યાની ગુરૂદેવને ભેટે થયે, તે કહી રહ્યા છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy