SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પ તેને વિચાર આવ્યા, કે મને અત્યારે આ પોષાક પહેરવાનુ મન થાય છે. તેા પછી મારા મૃત્યુ બાદ આ પાષાક કોઈ ને રાખી લેવાનું મન નહીં થઈ જાય, એની શી ખાત્રી? આની મારે ખાત્રી કરવી જોઈએ. રાજાને પ્રાણાયામ બહુ સારી રીતે આવડે છે. ત્રણ ત્રણ કલાક સુધી સમાધિ ચડાવી શકે છે. ખધાની કસેાટી કરવા માટે તેણે એક દિવસ સમાધિ ચડાવી અને શ્વાસ રોકી નિશ્ચેતન જેવા અની ગયા. પ્રધાન, રાજકુમાર, રાણીએ, કમ ચારીઓ બધા હાજર થઈ ગયા. અને સૌએ માની લીધું કે રાજા પંચત્વ પામી ગયા. આથી સૌ કલ્પાંત કરવા લાગ્યા. મૃતદેહની સ`સ્કાર વિધિ શરૂ કરી. પ્રધાનજીએ રાજકુમાર પાસે પેલા પાષાક મંગાળ્યા. રાજકુમાર પાષાકની પેટી લઈ આવ્યા, અને પેટી ખેાલતાં તેમને વિચાર આવ્યે કે આવે! સુંદર અને લાખા રૂા.થી તૈયાર થયેલા પાશાક સળગાવી દેવાના ! કાઢતાં અટક્યા એટલે પ્રધાનજી રાજકુમારના વિચાર જાણી ગયા. તેમણે કહ્યું. “ આ પાષાક રાજાને પહેરાવશુ તા પણુ એની તા રાખ જ થવાની છે. એનાં કરતાં ખીજો પહેરાવી દઈ એ. અને આ પાષાક રાજકુમાર માટે રાખીએ. ” રાજકુમારના વિચારને પ્રધાનનાં ખેલવાથી પ્રાત્સાહન મળ્યુ, અને બીજો પોષાક પહેરાવી દીધા. રાજા માટે પાલખી તૈયાર થઈ ગઈ. રાજાને પાલખીમાં બેસાડવાની તૈયારી કરે છે ત્યાં સમાધિ ઉતરી અને રાજાએ હાથપગ જરા ટટ્ટાર કર્યાં. અને તેએ બેઠા થઈ ગયા, રાજા સ્વગ લેાક સિધાવ્યા નથી એ જાણી બધાને આનંદ થયા. અને સૌ ખાલી ઉઠયા, “ઘણું જીવા અન્નદાતા ! અમારા ભાગ્ય હજી તેજ છે, તેથી આપને કાંઈ થયુ નહી. ” રાજાએ તે પહેલી નજર પાષાક ઉપર કરી અને પ્રધાનજીને કહ્યું. “ કેમ પ્રધાનજી ! આપે મારી આજ્ઞાના અનાદર કર્યાં ? ' પ્રધાને કહ્યું, “ મહારાજ! એ કિંમતી પાષાક જલાવી દેવા પડે તેથી અમે એમ કર્યું. આપ ઉદાર દિલનાં છે, અમારા ગુના માફ કરો. મારૂ કરી માનેલ જે મારૂં જરી યે ના થયું, એથી જ મારૂ આ હૃદય સ'સારથી ઉઠી ગયુ. આ પ્રસંગથી રાજાને દિવ્ય ચક્ષુ મળ્યાં, તેમને સમજાઈ ગયુ` કે સૌ સ્વાર્થનાં સગા છે. આપણે જેને પેાતાના માન્યા હોય તે આપણા ગયા પછી આપણા કહેલા વચન પાળતા નથી. હવે તે મારે હાથે જેટલા સક્તવ્ય થાય તેટલા કરતા જાઉ. આ પછી રાજાનાં જીવનનુ પરિવત ન થઈ ગયું. તે લાભ-કષાય પર વિજય મેળવી ઉદારતા દાખવવા લાગ્યા. ઉદારસ્ય તૃણું વિત્ત શુરસ્ય મરણું તૃણમ વિરક્તસ્ય તૃણુ` ભાર્યો નિસ્પૃહસ્ય તૃણું જગત્” જે ઉદાર પુરૂષ છે તેને પૈસા તૃણુવત્ છે. શુરવીરને મૃત્યુ, વિરક્ત-વૈરાગીને શ્રી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy