SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે પણ તેને ત્યાં તેટલાં નળીયાં પણ નહેાતાં. અને એક જગ્યાથે ૧૦ તેજાર મૂકયા હતા, પણ તે વેપારી એવા હતા કે ૧૦ ૮જનુ પંચ કરે તે ૧૦ હજાર મળે તેમ હતુ. આ વેપારીને હવે દેવાળુ ફૂંકવાના વારા આવે કે ખીજું કંઈ થાય ? મા મનુષ્ય જન્મનું અાયુષ્ય ૧ધારેમાં વધારે ૧૦૦ વર્ષેતુ' ગણીએ તા તેના ઇંત્રીશ પણ નથી હજાર દહાડા થાય. અઢાર વીસ વર્ષનાં થાય ત્યાં સુધી તા પરભવના વિચાર આવતા. પરભવનું ભાતું બાંધવું જોઈએ, કમાણી કરવી જોઇએ, એવી કલ્પના પણ નથી આવતી. ત્યાં સુધીમાં સાત આઠ હજાર દહાડા ચાલ્યા જાય છે. ૨૦ થી ૫૦ વર્ષના ગાળામાં ૩૦ વર્ષ માજશેાખમાં, યુવાનની મરતીમાં અને સંસારના સીદરા ખેંચવામાં ચાલ્યા જાય. કોઈ પ્રભુનું સ્મરણ કરવાનું કહે, તા કહી દે કે અત્યારે ધન ભેગું કરવા, ઘો, જ્યારે ઘરડા થશું ત્યારે ધમ કરીશું અને પચાશ પછીના વર્ષોમાં જ્ઞાનાભ્યાસ, ચારિત્રની તીવ્રતા કે શાસનની સેવા કરવામાં અદમ્ય ઉત્સાહ જાગે નહિ. શારીરિક સ્થિતિ પણ નબળી પડી ગઈ હૈાય અને માણસ માનસિક રીતે પણ થાકી ગયા હૈાય તેથી એ બધા દહાડા દેખવાનાં, કમાણીનાં નહીં. આ માણસ પેલા વેપારીની જેમ કમાણી કરવાનાં સંચાગમાં તે મૂકાય છે, પણ પેાતાની જોખમદારીનુ ભાન પાતાને જ નથી. આખી જીંદગી ધૂળમાં મળી જાય છે. પણ તેનું ફળ કેવુ મેળવવુ. જેઈએ તેના વિચાર પણ કરતા નથી. તેમ તમે તમારા જીવનમાં નજર નાખજો કે માનવ જન્મના સત્કૃત વ્યરૂપ કમાણી કરી કે જે મૂડી પાસે હતી તે પણ ખાવાતી જાય છે? આપણી પાસે એકએક દિવસ તે સાધના કરવાની, કમાણી કરવાની અણુમાલ તક સમાન છે. સા વર્ષના વીસ યુગ થાય, સા સંવત્સર, મસા અયન, છસેા ઋતુ, બારસેા મહિના ચાવીસેા પક્ષ, અડતાલીસેા અઠવાડિયા, ૩૬ હજાર દિવસ, બે લાખ અઠયાસી હજાર પહેાર, દસ લાખ ૮૦ હજાર મુર્હુત, એકવીસ લાખ સાઠ હજાર ઘડી, ચારસેા સાત ક્રાડ અડતાલીસ લાખ, ચાલીસ હજાર શ્વાસેાશ્વાસ થાય. આવા એક એક શ્વાસે અરિતનું નામ રટા. શ્વાસ શ્વાસ પે હરી ભો, મિથ્યા શ્વાસ મત ખાય, કયા જાનેગા શ્વાસકા, આવન હાય ન હાય. શ્વાસેાશ્વાસમાં ભગવાનનાં નામનું રટણ કરો. એક શ્વાસમાં ભગવાનનું નામ ન લેવાય તા તે શ્વાસ ખાઈ નાખ્યા. શ્વાસ મૂકેલા લેવાશે કે કેમ એટલે પણ ખ્યાલ નથી. મૃત્યુ આવવાનુ છે પણ કઈ મીનીટે આવશે તે ખબર નથી. માટે ચેતતા રહેા. ધર્મારાધન કરવા જેવુ લાગે છે કે નહિ? તમને શેની રૂચિ છે? રસ્તા પરથી નીકળે ને અજાણીયા રમતા હાય તે સાઠ વરસના વૃદ્ધ પણ જોવા ઊભે રહેશે. તેમાં કેટલે સમય પસાર થઈ જાય છે. તેના પણ ખ્યાલ રહેતા નથી. ભગવાને કહ્યું છે કે જીવ પ્રમાદમાં દિવસેાનાં દિવસ વ્યતિત કરે છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy