SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ અંતકાળ સુધી પરિગ્રહ-સંજ્ઞા મટતી નથી. ગમે તેટલા પ્રયત્ન કરી મેળવ્યું હોય તે પણું મૃત્યુ પામે એટલે શરીર પરનું સોનું કાઢી લેશે. અને કહેશે શું ? શરીર પર સોનું રહે તે જીવ અવગતી થાય ! કુટુંબીજને મરનાર માણસનું પાનું ફાડી નાંખે છે. કોઈ સજજને શરાફને ત્યાં નાણાં રેકડા કરાવ્યા હોય પણ તે શરાફ ઉઠાવગીર હેય તે પિતાના કાચા ચોપડે જમા લખી બતાવતે હોય. થેડે વખત છ છ મહિને રોકડું વ્યાજ પણ ઘર બેઠા પહોંચાડી જતે હેય. વળી દિવાળીએ બેનસ આપતે હેય પરંતુ બે પાંચ વર્ષ પછી નાણું પાછા આવતા નથી એટલે કે એ જમાબંધીના પાનાં જ ફાડી નાંખે. પછી પેલે સજજન પિતાના પૈસા લેવા આવે ત્યારે કહી દે, “તમારૂં અહીં કાંઈ છે નહિં, ગળે પડમા” પેલો સજજન કહે, “અરે? તમે ચેપડામાં મારા રૂપિયા જમા કરેલા છે. ચોપડા તે જુઓ” શરાફ કહે “ આ ચોપડે જોઈ લે. એમાં તમારું ખાતું છે? સજજન પડે આ જોઈ વળે પણ પાના જ ફાડી નાંખેલા હોય તે મળે શું! પાસે કઈ રસીદ નથી. કોઈ સાક્ષી નથી. રોકડા રૂપિયા આપ્યા છે. ચેકથી આપ્યા નથી. તેથી બેન્કમાં પણ તેના અક્ષર નથી. એટલે કોરટ, કચેરી થાય તેમ નથી. ચેપડે પાનું હતું તે શરાફે ફાડી નાંખ્યું છે. એટલે જમા મુકનારે નાહીજ નાખવાનું ને? બસ મરનાર માણસનું પાનું આમજ ફાડી નખાય છે. આ જીવનમાં માણસ જે જડચેતન પદાર્થ સાથે સંબંધમાં આવ્યો પણ તેના મરી ગયા પછી એ જડ ચેતન પદાર્થોએ એનું જ પાનું ફાડી નાંખ્યું. મરનારે બુદ્ધિ, શ્રમ અને પુણ્યફળથી મુડી એકઠી કરી. એ મુડી તે શું પણ વ્યાજ પણ તેને મળે નહી. પેલા ઉઠાવગીર શરાફની જેમ મરનારનું કાંઈ જમા નહી, તેની સાથે કાંઈ લેણદેણની વાત જ નહીં. મરનાર કોડ રૂપિયા મુકી મરે અને તે જ ઘરની દાસીના દીકરા તરીકે જન્મે તે એ કોડમાંથી એક રાતે પૈસે પણ તેને મળે ખરે? પૂર્વની સ્ત્રી નહીં, પૂર્વના માતાછોકરાં એના નહીં. પૂર્વ બંગલો તે શું પણ એક કોટડી પણ તેને મળે નહીં. શ્રીમંતના દીકરા પેંડા, બરફી ખાય પણ દાસી પુત્રને તે મળે ખરાં? “ના “ આમ દરેકનું પાનું એક દિવસ ફાટી જવાનું છે. છતાં તેની પાછળ મહાન પુરૂષાર્થ, શકિત, અક્કલ, બુદ્ધિ અને પુણ્યને જીવ ખચી નાંખે છે. આ કઈ જાતની હોંશીયારી છે ? મર્યા પછી કશું સાથે આવવાનું નથી. કશું કામ આવવાનું નથી, છતાં કેવી ખુવારી કરી રહ્યા છે? એ પૈસા માટે કાળા બજાર, અનીતિ, અનાર્યપણું અને અપ્રમાણિકતા કેટલી કરે છે? પૈસાની ચિંતા કરીને આખી જિંદગી ખતમ કરી નાખે, પણ મહેનત બધી પાણીમાં જવાની છે. મેં બાંધેલી મહેલાતે ને દેલતનું કાલે શું થાશે! અણધાર્યું જાવું જે પડશે પરિવારનું ત્યારે શું થાશે ! સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે! જે ના આવે સંગાથે તેની માયા શા માટે! જીવ ખેટી ખોટી ચિંતા કેટલી કરે છે? બે છોકરા તે હોશિયાર છે પણ બે જરા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy