SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ઈલાયચીને કેવળજ્ઞાન થયા પછી વાંસ ઉપરથી નીચે ઊતરે છે, ને દેવતા સાધુને વેશે તેને આપે છે. રાજા, રાણી, નટકન્યા કલિકા વગેરેને ધર્મધ પમાડી, સાચું સ્વરૂપ સમજાવી, ધર્મના મમ બતાવી, ભ્રમને તેડાવી ભાન કરાવે છે. મોહની એકચકી ચાલતી રાજસત્તામાં સળગતે પૂળ મૂકી, હું અને મારાપણની મેહ-પતિ સંકેલી સંસારને ત્યાગ કરી, મોહના દાંત ખાટા કરી, આત્મામાં નિજસ્વરૂપને અનુભવ્યું. રાજા, રાણ, નટકન્યા, એ સૌ પણ સંયમ માર્ગ સ્વીકારી કેવળજ્ઞાન, કેવળદર્શન પામી શાશ્વત સુખનાં અધિકારી બન્યાં. જ્ઞાની પુરૂષ કહે છે. सलं कामा विसं कामा, कामा आसीविसोवमा । કામે ય સ્થમાળા, શામાં કન્તિ લોકારું ઉત્ત. ૯ અધ્ય. ગા. ૫૩ કામગ શલ્ય જેવા છે. આસી વિષ જેવા છે. કામગની ઈચ્છા કરવાવાળો જીવ અકાળે મૃત્યુ પામી દુગતિમાં ચાલ્યા જાય છે. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાત્રતા જોઈશે. પાત્રતા વિના વસ્તુ ટકી શકતી નથી. પાત્ર વિના વસ્તુ નવ રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.” બ્રહ્મચર્ય ભાવ વિના ધર્મજીવનમાં વણાતું નથી. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ રહે તેમ સૂત્ર સિદ્ધાંતના અમૂલ્યભાવે બ્રહ્મચર્યરૂપી પાત્રમાં જ ટકી શકે છે. અબ્રહ્મભાવમાં રમતાં ભાઈ-ભાઈનું, મિત્ર-મિત્રનું, દિકરે બાપનું ખૂન કરી નાખે છે. મયગુરહાના રૂપમાં અંધ બનેલા મણીરથે પિતાના સગા ભાઈ યુગબાહનું ખૂન કર્યું. બે ભાઈ વચ્ચે કેટલો પ્રેમ હતો ! મણીરથે પિતાના પુત્રને નહિં પણ નાનાભાઈને યુવરાજની પદવી આપી હતી. પણ મોહપાશમાં ફસાયેલા મોટાભાઈએ નાનાભાઈના પ્રેમને ઠોકરે માથે. સીતાના મોહની ખાતર જ રાવણ રણમાં રેળાયે ને ? તમે તમારી આખી લાઈફમાં એક પણ કાળા ડાઘ લગાડે નથી એમ કહી શકશે? તમારા જીવનને જુઓ. આંતર નિરીક્ષણ કરે તે ભૂલે દેખાશે. ભૂલ દેખાયા પછી તેને સુધારવા પ્રયત્ન કરે. ચારિત્ર્ય એ કહીનૂર હીરે છે. તેનું રક્ષણ કરશે તે જીવન ઉજજવળ બનશે. નિષકુમાર ચોથા વ્રતના ભાવે સમજે છે. વિશેષ અધિકાર અવસરે. વ્યાખ્યાન...૭૫ આસો સુદ ૧૦ ને બુધવાર તા. ૨૯-૯-૭૧ અનંતજ્ઞાની, ચરમશાસનપતિ, પ્રભુ મહાવીરે ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલ વરતુ, તેનું નામ સિદ્ધાંત.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy