SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ હે પ્રભુ ! ક્ષણે ક્ષણે તમે જાગૃત રહીને અનુપમ સાધના દ્વારા આત્માની આરાધના કરી. ત્યારે મે' પ્રમાદની પથારી કરી. આળસનુ' એસિકુ' કરી. સુસ્તિની લાંખી સેાડ તાણી છે. નિદ્રા અને વિકથામાં હું આત્માની ઘેાર વિરાધના કરી રહ્યો છું. આપ પેલે પાર પહોંચી ગયા. ને હું તેા હજુ કાંઠા ઉપર જ છું. મારી અને તમારી વચ્ચે લાખા જોજનનું અંતર છે. મારુ' મુળ સ્થાન તે ત્યાં જ છે. આ તા ચકડોળ છે. ઉપરથી નીચે ને નીચેથી ઉપર જાય છે. ચારગતિના ચકરાવામાંથી મુક્ત થઈ પાંચમી ગતિમાં જવા કેવા પુરૂષાથ જોઈશે ? આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે ' વળગાળાદ્િદ્ગ ” અવસરને જાણે એ પંડિત. આપણા કેટલેા સમય નિદ્રામાં જાય છે ? પ્રમાદમાં પણ કેટલેા સમય કાઢો છે ? પ્રમાદ એ મેહનૃપતિના સેનાપતિ છે. જીવના સંસાર વધારનાર છે. ક’પાકકળ સરખા છે. અનેકગુણાના નાશ કરનાર છે. અનેક દેાષાને લાવનાર છે. માટે પ્રમાદને તો, સાધના કરવાના સુઅવસર છે. માટે પુત્ર-પરિવારની માયા જાળમાંથી છુટા. જેવા જેના નસીબ હાય એવુ' એને મળે છે. સૌનુ ભાવી સૌની સાથે છે. એની ચિન્તા તારે શા માટે? દરેક જીવ છ ખેલ લઈને આવે છે (૧) ગતિ (ર) જાતિ (૩) સ્થિતિ (૪) અવઘેણા (૫) અનુભાગ (૬) પ્રદેશ. નામ ગેાત્રની સાથે આયુષ્ય બંધાય છે. જે પ્રકૃતિના ભદ્રિક હાય, વિનિત હાય, જેનુ હૃદય અનુકંપા વાળુ હાય. એને મનુષ્યગતિનું આયુષ્ય મળે છે. તા તમને મનુષ્યગતિ પ્રાપ્ત થઈ છે. અહિં કેટલુ રહેવાના છે ? જેટલી સ્થિતિ બાંધી હશે એટલુ રહી શકશેા. આયુષ્ય હાય તા જીવાય છે. પંચેન્દ્રિય જાતિ પામ્યા, પચેન્દ્રિયની ચાર જાતિ છે. નારકી, તિય ચ, મનુષ્ય અને દેવતા. તેમાં તમે મનુષ્યભવમાં આવ્યા. મનુષ્યના ગર્ભમાં આવ્યા ત્યારથી આયુષ્ય સ્થિતિ ભગવાય છે. વઘેણા એટલે તમારી ઉંચાઈ પણ એટલી મળી. અનુભાગ એટલે પાપ અને પુન્યના રસ. શુભ રસ અને અશ્રુભરસ. જો શુભ અનુભાગના ઉદય હાય તેા કચરામાંથી લાખા રૂપીયા મળી જાય. અને અશુભ અનુભાગના ઉદ્દય હાય તે મહેનત કરવા છતાં મળે નહિ, ને મળેલુ હાય છતાં ચાલ્યુ જાય તેા પણ જીવ અજ્ઞાન દશાથી પારકાને અર્થે ક્રૂર કર્યાં કરે છે, કાળા બજાર કરવા, કોઇને છેતરવા, કોઈ ને બગલમાં દુખાવવા, આ બધુ થાય છે એ તમને કેમ સમજાતુ' નથી ? “ કાળા ને ધેાળા નાણાં, છેડીને જાવુ' શાણા, મૂકી દે, મૂકી દે, તુ' જ જાળ, મહેલાને મંગલા, ખાગ બગીચા, લાડી અને વાડી, મેાટર ગાડી, અહી'નું અહી'યા રહેવાનું, સાથે નહી' આવવાનું, મૂકી દે મૂકી દે તું જ જાળ," તમે શાણા થઈ ને બેઠા છે. પણ કાળા ને ધેાળા નાણાં છેડીને જાવુ જ પડશે. એક વખત અર્જુન જંગલમાં જાય છે અને ધેાળા હાથી જુએ છે. તે હાથી એ સૂંઢવાળા હાય છે. કૃષ્ણ સમજાવે છે, આ ધેાળા હાથી જેવા માણસા એ બાજુથી પાપા કરે છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy