SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ વાની છે. યેગ્યતા પિતાને મેળવવાની છે. તમને કઈ, ઉપર ચડાવી દે એમ બની ન શકે! તમારી મહેનતનું તમને ફળ મળે. હવે મારે મોહને ન પીવે નથી. શેતાનના સાથમાં રહેવું નથી, આત્માને પામે છે,” એ નિર્ણય તું કર. સત્ પુરૂષે જાગૃત કરે છે. જમ્યા પછી આત્મવૃદ્ધિ માટે સેવા આપે છે અને ફુટ આપે છે. બ્રહ્મભાવની બદામ, કલ્યાણના કાજુ અને ચિદાનંદની ચારોળી, પુરૂષાર્થના પીસ્તા, આરાધનાના અંજીર, જાગૃતિના જડદાલૂ, અમરતાના અખરોટ, સત્યના સફરજન, મૃદુતાની મસંબી, પ્રમેદભાવના પપૈયા, દયાની દ્રાક્ષ અને હિંમતને હલ આપે. નમ્રતાની નારંગી, સમભાવના સીતાફળ વિ. જાનૈયાને પીરસે છે. જે ભવ્ય ભાવથી ભજન કરે છે તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. આ અમારું ભોજન હૈયામાં ઉતારશે તે ગુણની વૃદ્ધિ થશે. તમે પૈસાની વૃદ્ધિથી રાજી થશે. આ વર્ષે ખૂબ કમાયા-ધાર્યા કરતાં ઘણું મળ્યું, પણ ગુણની વૃદ્ધિની પડી છે, ખરી ! તમારે આત્મા કે બને? આત્મજ્ઞાનમાં ઓટ આવી છે કે ભરતી ? કે એ છ થયે કે વળે? કષાયથી સ્થિતિ અને અનુભાગને બંધ થાય છે, અને યેગથી પ્રકૃતિને પ્રદેશને બંધ થાય છે, બંધ પડે એવા ભાવે સેવવા જ નથી. એ નિર્ણય કરેજે ચીલે મહાવીર ચાલ્યા એ ચીલે મારે ચાલવું છે. જેને સ્વ દયા હોય એને પર દયા હોય જ છે. કષાય કરીશ તે અશુભ બન્ધ થશે એવી જેને ખાત્રી છે તે કદી કોઈ પર ક્રોધાદિ કરશે નહિ. જ્યારે આપણે કષાય કરીએ ત્યારે આપણે આત્મા પહેલે બગડે છે. પછી બીજાને નુકશાન થાય છે. દીવાસળીને સળગાવે ત્યારે પહેલાં પોતે બળે છે. પછી બીજાને બાળે છે. તેમ ક્રોધ કરનાર પિતે પહેલે બળે છે, પણ બીજાને તે નુકશાન થાય અથવા ન પણ થાય, એક શંકરલાલભાઈ હતા. રજ નાહી જોઈ પૂજાપાને સામાન લઈ મંદિરે પૂજા કરવા જાય. એક દિવસ સવારના નદીએથી નાહીને આવી રહ્યા છે. એક સાંકડી ગલ્લીમાંથી પસાર થાય છે. ત્યાં જકલી નામની બંગડી વાળતી હતી. શંકરલાલને જોતાં તે એક બાજુ ઉભી રહી ગઈ ધૂળની ડમરી ઉડાડવી બંધ કરી દીધી, સાવરણે લઈને ઉભેલી બંગડીને જતાં શંકરલાલ ગેર કહે છે આવા ભંગીયા રસ્તામાં આડે ને આડે ઉભા હોય છે. અમારા પવિત્ર દેહ પર તેને પડછા પડે છે, બેફામ ગાળો બેલવા માંડ્યા. જાતે બ્રાહ્મણ છે અને કષાય ખૂબ કરે છે. દરબારમાં રાજગોર તરીકે પૂજાય છે. તેના હોદ્દા પ્રમાણે બંગડીએ તે તેની આમન્યા જાળવી. ત્યાં ઘણા માણસે ભેગા થાય છે. છતાં તેઓ ખૂબ આવેશમાં આવી ગયા છે. તમાસાને કાંઈ તેડું હોય? બ્રાહાણ તે માણસે જઈને વધુ ભરાટે થાય છે. ભંગડીના મનમાં વિચાર થયે કે હું એકબાજુ ખસી ગઈ છતાં આ બ્રાહ્મણ આટલે કેાધ કરે છે. તે હવે એની સાન ઠેકાણે લાવવી જોઈએ. એણે છેડો પકડી લીધે અને કહે-મુંડા લાગે છે, હવે ઘરે પધારે, સ્વામીનાથ, ઘરે પધારો. આ બધાએ સાંભળ્યું અને અરસપરસ કહેવા લાગ્યા, અરે જોયે બગલે ભગત! નહાવા જાય, પૂજાને ટૅગ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy