SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પ હજી સસારના મોહ મારાથી છુટતા નથી. સમકિતીનુ` કે શ્રાવકનું પૂર્ણતાનું લક્ષ હાય છે. એક ગાડાની મુસાફરી કરે છે. એક ટ્રેઈનની મુસાફરી કરે છે. અને એક પ્લેનની મુસાફરી કરે છે. પ્લેનવાળા પહેલા પહોંચે છે. ટ્રેઈનવાળા તેના પછી પહેાંચે છે અને ગાડાવાળા સૌથી મેડા પહોંચે છે. પણ અધાતું ધ્યેય પહેાંચવાનું છે. કાઇ સમકતી જીવ સ્ત્રીને પરણે, લડાઈ કરે, રાજ્ય પણ ભાગવે છતાં તેનું ધ્યેય તા માક્ષનુ જ છે. મા મારી સૌંસારની પ્રવૃત્તિ નથી' એમ તે ખરાખર સમજે છે. નિષધકુમારે ભગવાનની દેશના સાંભળી. તે બહુ રાજી થયા. પૂર્વ ધમ સભળાવનાર, મેાક્ષમાગ બતાવનાર આવા સદ્ગુરૂ મળ્યા, એ મારાં અહેાભાગ્ય છે. કરવા જેવું સવિરતિ પણું છે. તેઓ ઉભા થયા અને હાથ જોડીને કહે છે. इणमेव निग्गंथ पावयणं सच्च अणुत्तर केवलियं पडिपुन्न नेयाज्यं 'મુદ્ધ સત્તાળ = આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, કેવળીપ્રરૂપિત ન્યાયયુક્ત છે, સભ્યપ્રકારે શુદ્ધ છે. સલ્ય, જેમના નાશ કરનાર છે. હે પ્રભુ ! सहामि पत्तियामि रोएम फासेमि पालेमि अणुपालेमि निग्गथं पावयणं હે પ્રભુ ! નિ†ન્થ પ્રવચન પર હું શ્રદ્ધા કરૂ છું. વિશ્વાસ કરૂ' છું. રૂચિ કરૂ છું. એ પ્રવચન આપે કહયુ' તેમ જ છે. એ તથ્ય છે. અતિ તથ્ય છે, ઇષ્ટ છે, અત્યંત ઇષ્ટ છે. આપ દેવાનુપ્રિયની સમીપે ઘણા રાજાઓ-તલવર–માંઢબિક-કૌટુબિક ! શ્રેષ્ઠિ–સેનાપતિ– સાથ વાહ આદિ સંસારને છેડી સાધુ બન્યા છે તેઓને ધન્ય છે. હુ કમજોર છું. મારામાં એટલી તાકાત નથી કે હું સ'સાર છેડી સાધુપણાને સ્વીકાર કરૂં. હું ખરેખર તે માગ લેવા શક્તિમાન નથી. હે સ્વામી! મને પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત અંગીકાર કરાવા. સંસારમાં રહેલા ઘણા ભવ્યાત્માએ જળ કમળવત્ , નિલેપ ખની જાય છે, જેમ કમળ પાણીમાં કે કાદવમાં લેપાતું નથી. તેમ સંસારમાં રહેવા છતાં આસક્તિભાવને તેાડી નાંખે છે. તમને શ્રાવકપણુ' લેવાની મરજી ખરી ? વાણી સાંભળી તા કાંઈક વ્રત પચ્ચખાણ લેવા જોઈએ. जं सोच्चा पडिवजई तबखन्तिं अहिंसयं ॥ જે સાંભળીને તપ, સંયમ અને ક્ષમાના માર્ગમાં આગળ વધે છે તેનુ જ શ્રવણસાચુ' શ્રવણ છે. તમે-સાંભળીને એમ ને એમ ચાલ્યા ન જાવ, વિરતીભાવને આદરા. સાંભળ્યુ તેનુ ફળ બેસવુ જોઈએ પથરણાં ખંખેરીને ઉભા થઇ જવાનુ નથી. પણ તમારા જીવનમાં ઉતારવાનુ છે. નિષધકુમાર સામેથી માંગે છે. આપણે અહી અજરઅમર નથી. મૃત્યુ દરેકને માટે નિશ્ચિત છે. આપણી ચોટલી કાળના હાથમાં છે, ક્યારે ફાળ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy