SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રાણીના મહેલમાં છોકરાને લઈ જવાની મનાઈ હોય છે, આથી પુત્રને છોકરીને વેશ પહેરાવી લઈ જાય છે. ત્યાં પહોંચતાં રાણુને પુત્ર જન્મે છે. નવવર્ષના કાળીદાસના પુત્ર જન્મ સમય જોઈ ભીંતપર કુંડળી બનાવી. ધમાલમાં કેઈનું લક્ષ એ તરફ હતું. ડીવાર પછી કાળીદાસના પત્ની પુત્રને લઈ ઘેર પાછા આવ્યા. પુત્ર જન્મને બરાબર ટાઈમ માના લક્ષમાં રહ્યો નહિં. આથી થોડા ફેરફાર વાળે ટાઈમ અપાઈ ગયે. રાજાએ તિષીઓને બોલાવ્યાં. અને કુંવરનું ભાવિ કહેવા માટે કહ્યું. તિષીએ કુંડળી કરી. અને રાજાને કહ્યું: “તમારે આ દિકરાનું નવ વર્ષ સુધી મોટું જેવું નહિં. જે જોશે તે તમારું મૃત્યુ થશે.” આ સાંભળી રાજાને ખુબ ખેદ થયે. પણ શું થાય? રાણીવાસમાં જઈ એક રૂમમાં લમણે હાથ દઈને બેઠા છે. ત્યાં તેમની નજર કુંડળી પર જાય છે. તાજી જ બનાવેલી કુંડળી છે. આ કોણે બનાવી હશે? તપાસ કરતાં ખબર પડી કે અહીં કાળીદાસનાં પત્નિ આવ્યાં હતાં. તેમની સાથે એક દીકરી હતી. તેને રમત કરી હોય તે ખબર નહિં. એ કુંડળી જોતિષીને બતાવી. તેઓએ કહ્યું. જે આ ટાઈમ પ્રમાણે કુંવર સાહેબને જન્મ થયો હોય તે કઈ વિપ્ન નથી. તમે ખુશીથી કુંવરનું મોટું જોઈ શકે છે. વળી આ કુંવર ખૂબ પરાક્રમી અને બાવેશ થશે” આ સાંભળી રાજાને ઘણે હર્ષ થયા. અને જન્મને સાચે ટાઈમ એજ હવે જોઈએ એવું અનુમાન કર્યું. રાજાએ ખુશ થઈને કાળીદાસને ત્યાં દાગીના, કપડાં વિ. કલાવ્યાં, પણ તેમના પત્નીએ લેવાની ના પાડી. રોકડા રૂપિયા આપવા માંડ્યા, તે પણ ન રાખ્યાં. બાઈએ કહ્યું. છેકરા નિમિત્તે મારે કાંઈ લેવું નથી. “બ્રાહ્મણ ને હાથીના હદે બેઠે હોય તે પણ મૂળ માગે.” એમ કહેવત છે. તે આ કેમ નહિ રાખતા હોય.? એમ બધાને આશ્ચર્ય થયું. છેવટે રાજાએ લાખ લાખ રૂપિયાના એક એક રત્ન નાખી નવ લાડવા વળાવ્યા. અને પીરસણું તરીકે મોકલ્યા. કાળીદાસના પત્નીએ તે લેવાની પણ ના પાડી. ત્યારે દેવા આવનાર માણસે કહ્યું “રાજાને આપવાની કેટલી બધી ઈચ્છા છે, છતાં આપ લેવાને ઈન્કાર કેમ કરો છો ? આ તે પીરસણું છે. એમાં શું વાંધે છે? બહુ જીદ પકડશો તે રાજા સાહેબને કેપ આપના પર ઉતરશે. કાળીદાસનાં પત્નિને પણ આ વાત ઠીક લાગી. તેને થયું આમાં કયાં કોઈ રૂપિયા કે રત્ન લેવાના છે! પીરસણમાં શું વાંધો છે? તેઓએ નવ લાડવા લઈ લીધાં અને કબાટમાં મૂકી દીધાં. આ વખતે પંડિતજી બહારગામ ગયા હતાં. પિલા બાળકને એકદમ કાંઈક થઈ ગયું અને તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. તાબડતોબ કાળીદાસને બોલાવવામાં આવ્યાં. અને પુત્રના મૃત્યુની વાત કરી. કાળીદાસે કહ્યું, મારો પુત્ર મરે જ નહિં. મારું નવલાખનું તેની પાસે લેણું છે. તે ચુકવ્યા વિના જઈ કેમ શકે? પુત્રનું શબ પણ પડયું છે. મૃત્યુ તે થયું જ છે, તેમાં શંકા નથી. પંડિતજીએ તેમના પત્નીને પૂછયું, કોઈ તરફથી ભેટનું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy