SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શાદી સુ આપણે એ દિવસથી એક દષ્ટાંત ચાલે છે. પેલા ક્ષત્રિયના છેશ ઉપર દેવ પ્રસન્ન મા અને તેને વચન આપ્યું કે તું સાત દિવસમાં આ નગરના રાજા બનીશ. હવે તે દેવવચન કેવી રીતે સત્ય મને છે તે વાત સાંભળેા. છેકર તેા દરરોજ એના ભગવાનના દર્શન કરવા જાય છે. બન્યું એવુ કે એ કરી જે સંતથી ધર્મ પામેલા છે ને જેને ભગવાન તુલ્ય માને છે તેમને કેવળજ્ઞાન થયું. એટલે દેવ-દેવીએ અને મનુષ્ય તેમના કેવળજ્ઞાન મહાત્સવ ઉજવવા માટે આવ્યા. છેકરી જે ગામમાં રહે છે તે ગામના મહારાજાને શ્મા વાતની ખબર પડી. રાજા જૈનધમી હતા. એટલે તે કેવળીભગવાનનાં દર્શને આવ્યા. છેકરાના ગુરૂ સાચે જ ભગવાન મની ગયા. મહારાજાએ કેવળી ભગવાનના દર્શન કર્યાં. એમની વાણી સાંભળીને ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ! હવે મારું આયુષ્ય કેટલું માકી છે ? ત્યારે કેવળ ભગવંતે કહ્યું હું રાજન્ ! તારુ... આયુષ્ય સાત દિવસ બાકી છે. ચેતી જા. તારે જે સાધના કરવી હાય તે કરી લે. મધુએ ! તમને કાઈ કહે કે સાત દિવસ જ તું જીવવાના છે. તે તમારા માતીયા વળી જાય, તમને સ્વપ્નેય માતગમતું નથી, ત્યારે આ રાજાને મનમાં જરા પણ ગણાટ કે દુઃખ ન થયું. કેવળી ભગવ'તને કહે છે પ્રભુ! મારા આત્માનું સુધારવા માટે જ આપ મને મળ્યા છે. આપ મને ન મળ્યા હાત તા મારું મૃત્યુ કેવું થાત ? રાજા રાજ્યનું વીલ કરવા ન ગયા. એમણે નક્કી કર્યુ કે મારે દીક્ષા લેવી છે, રાજા દીક્ષા લેવા નીકળ્યા, ત્યારે રાણી કહે છે નાથ ! મને મૂકીને કયાં ચાલ્યા ! રાજા કહે છે મહારાણી! કેવળી ભગવંતના વચન મિથ્યા ન હેાય, મારું આયુષ્ય સાત દિવસનું ખાકી છે. “ ચાર નિકી ચાંદની ફીર ઘેર અંધેરી રાત હૈ, '' માટે મને મારી સાધના કરી લેવા કે, સંચમ હાઈ લઉ પછી માતને આવવુ હાય તેા આવે. મને શી ચિંતા ! મને મરણના ડર નથી. જેણે ઝળકાવી છે જીવનની યાત, સાા છે એણે તે આતમના ઉદ્યોત, મૃત્યુના હુમલાની અને શાની બીક, એવા માનવને તે મીઠું લાગે માત ...જે..... મહારાજાને મરણના ડર નથી. રાણીને કહે છે જો તમને મારા પ્રત્યે પ્રેમ હાય તે મારી સાથે ચાલો દીક્ષા લેવા, ત્યાં રાણી કહે છે આપણે ત્યાં દીકરો નથી તે આ રાજ્યનુ શુ અને હું દીક્ષા લઉં તા આ દીકરી કુંવારી છે. તેને મેના ભરાસે મૂકવી “ ગુણુસેનના ચમકેલા ભાગ્ય-સિતારા '' :–આ સમયે દેવવાણી થઈ કે દીકરી અને રાજ્યની ચિંતા ન કરો, હું રાજન્! તમે એક હાથણી શણગારી તેની સૂંઢમાં કાશ આપે. જેના ઉપર તે કળશ ઢાળે તેને તમારી પુત્રી પરણાવીને રાજ્યાભિષેક કરીને દીક્ષા તા. દેવવાણી થઈ એટલે રાજાએ તે પ્રમાણે કર્યું. સૂંઢમાં કળશ લઈને હાથણી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy