SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ જીવન ચાર દિવસની, આ તે ચાંદની રે લોલ, તારું જોબનીયું વહી જાશે, તારી કાયા કુબડી થાશે, આંખે કંઈ નહિ દેખાશે, કાને કંઈ નહિ સંભળાશે, છે. ઉંબરા તે ડુંગરા થાશે, નહિ ઘરની બહાર જવા” જીવન ચાર .... તમારી જિંદગી સામે દષ્ટિ કરે જેમ સૂર્યના કિરણો પડે ત્યારે નાના કાણામાંથી તમારા ઘરમાં તલક છાયા પડે છે પણ સૂર્ય ખસી જાય એટલે તક છાંયા અદશ્ય થઈ જાય છે. રાત્રે આકાશમાં ચાંદની ખીલે છે ને સવાર પડતા પહેલ ચાંદની અદૃશ્ય થઈ જાય છે, તેમ જિંદગીની ચાંદની ક્યારે અદશ્ય થઈ જશે તેની ખબર નહિ પડે. બાળપણ વીત્યુંને યુવાની આવી. એ યુવાની પણ પાણીના પૂરની જેમ વહી જશે અને વૃદ્ધાવસ્થા આવશે (વારે ગાત્રો ઢીલા પડી જશે, ચામડી લટકશે, આંખના તેજ ઘટી જશે, કોને ઓછું સંભળાશે અને શરીર લથડી જશે ત્યારે ઘરને એક ઉંબરે ઓળંગ તે ડુંગરા જેવા લાગશે, આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે જરા જ્યાં સુધી ના પડે, જ્યાં સુધી વ્યાધિ ના વધે, થઈ ઈન્દ્રિય હાની ના, ત્યાં સુધી ધર્મ આચરેજ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, શરીરમાં રેગ આવ્યો નથી, ઈન્દ્રિયે હાનિ થઈ નથી ત્યાં સુધી તમે ધર્મનું આચરણ કરી લે. પછી કંઈ નહિ કરી શકે. દિવસના પહેલા પ્રહરે વીતર ગ વાણી સાંભળીને બીજા પ્રહરે પ્રકૃતિ બનાવે શાણી” જે વીતરાગ વાણી સાંભળે, અંતરમાં ઉતારે અને તેના ઉપર જે શ્રદ્ધા કરે તે તેની પુષ્ટ પ્રકૃત્તિઓ શણી બન્યા વિના રહે જ નહિ. “ત્રીજે પ્રહરે બને ગુણખાણી” જેની પ્રકૃત્તિ શણ બને તેના જીવનમાંથી કોઇ, માન, માયા, લેભ, નિંદા, વિકથા આદિ દુર્થ છે ચાલ્યા જાય એટલે તે આત્મા ગુણની ખાણ જેવું બની જાય છે. એટલે “ચેથે પ્રહરે કરે કમને ધૂળધાણ” જેના જીવનમાં ગુણે પગટે છે તેના કર્મો ધૂળધાણી થઈ જાય છે. ચાતુર્માસ કહ૫ એટલે શુ ?:- કર્મને ધૂળધાણી કરવા માટે આજથી ચાતુર્માસના મંગલ દિવસોની શરૂઆત થાય છે. જે માસામાં ખેડૂત ખૂબ મહેનત કરે છે. જમીન ખેડી તેમાં બીજ વાવે છે. આપણું જીવન પણ એક ખેતર છે. આપણે આળસુ બનીને જીવન ખેતરમાં વાવવા જેવું કંઈ ન વાવીએ તે દેષ કેને ? ખેતરો કે ખેડૂતો? ચોમાસું એટલે શું એ તમે જાણે છે? દાન, શીયળ, તપ અને ભાવ એ ચારેય ધર્મના બીજેને માનવ ભવ રૂપી ક્ષેત્રમાં વાવ ને ખરેખર કાળ એટલે ચેડમાસુ. અષાડ સુદ પૂર્ણિમાથી કારતક સુદ પૂર્ણિમા આ ચાર મહિના ખેડૂતને મન સૌથી વધુ મહત્વના દિવસે છે. કારણ કે તેને બાર મહિનાને બધે આધાર ચોમાસાના ચાર મહિના ઉપર જ છે જે આ ચાર મહિના લખા ગયા તે બારેય મહિના લુખા સમજી લે. ગમે તે આળસુ ખેડૂત હોય પણ જયાં આકાશમાં વાદળા ચઢી આવે, મેરલા ટહુકવા માંડે, એટલે આળસ છોડીને હળ અને કેદાળી લઈને ખેતરમાં દેડતે જશેને ગીત ગાશે કે “આ તે વાવણની વેળા થઈ ભાઈ વાવી લે, ભાઈ વાવી લો.” એક અભણ ખેડૂત પણ પિતાના ખેતરને ખેડવામાં, બીજ વાવવામાં ને બીજમાંથી અનાજ પકવવા માટે કેટલી તકેદારી રાખે છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy