SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ એક ગામમાં જૈન ધર્મની દઢ શ્રદ્ધાવંત ઘણું શ્રાવકે વસતા હતા. એમની રગેરગમાં જૈન ધર્મની શ્રદ્ધા હતી. એ ગામના રાજા મરણ પામ્યા ને નવા રાજા આવ્યા. રાજા સાથે પ્રધાન પણ બદલાય. એ રાજા અને પ્રધાન બને ધર્મના કેવી હતા. એમણે જૈન ધર્મને વિરોધ કરવા માંડે અને શ્રાવકને બેલાવીને કહે છે તમારે જૈન ધર્મ હંબક છે. મારા ગામમાં જૈન ધર્મનું નામનિશાન ન જોઈએ તમારો ધર્મ છોડી દે. શ્રાવકે કહે છે મહારાજા! અમારા પ્રાણ જશે તે કુરબાન પણ દેડમાં પ્રાણ છે ત્યાં સુધી જૈન ધર્મ નહિ છૂટે. ત્યારે રાજાએ કહ્યું જે તમે જૈન ધર્મ નહિ છોડો તે હું તમને બધા જૈનધમીઓને તેલના કડકડતા તાવડામાં તળી નાંખીશ. શ્રાવકે કહે છે તેલની કડાઈમાં તળાઈ જવા તૈયાર છીએ. ધર્મને ખાતર પ્રાણ છુટશે તે પણ અમારું તે કલ્યાણ જ છે. રાજાને ખૂબ ક્રોધ આવ્યું ને ઓર્ડર કર્યો કે આ લોકોને પકડીને તાવડામાં તળી નાંખે. બધા યુવાન શ્રાવકને પકડી લીધા ને બીજે દિવસે મેટે ભઠ્ઠો સળગાવી તેના ઉપર તેલને તાવડે મૂકાવ્ય ને ઉકળતા તેલમાં શ્રાવકને તળવા લાગ્યા. જોઈ ન શકાય એવું કરૂણ દશ્ય હતું, પણ જિનશાસન માટે પ્રાણુ દેવા શ્રાવકે હસતા હસતા તાવડામાં પડવા લાગ્યા. જેમ અંધક અણગારના શિને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા ત્યારે ગુરૂ શિષ્યને કહેતા હતા કે હું મારા શિષ્યો! કસોટીને સમય છે. મન સમાધિમાં રાખજો, ત્યારે શિષ્ય કહે છે “ગુરૂદેવ ! “અમે નથી પીલાતા, અમારા કમે પીલાય છે. તો પીલાય છે ચીચેડામાં, પણ મન રમે છે નવકારમાં.” જેમ અંધક મુનિના શિષ્ય હસતા હસતા ઘાણીમાં પલાયા હતા તેમ આ શ્રાવકે હસતા મુખે તાવડામાં તળાવા લાગ્યા. એક પછી એક એમ કરતા એકવીસ શ્રાવકેને તળી નાંખ્યા, પછી એક યુવાન શ્રાવકની નવેઢા પત્ની આવીને કહે છે અમારા પતિને તાવડામાં તળ્યા તે હવે અમારે જીવને શું કામ છે? અમને પણ તળી નાંખે. આ દશ્યથી આખી સભામાં કમકમાટી છવાઈ ગઈ. કેટલાક પુરૂષે બેભાન બની ગયા અને જ્યાં નવયુવાન મીંઢળ બાંધેલી કન્યા રૂમઝુમ કરતી તેલના ઉકળતા તાવડા પાસે આવી ત્યાં રાજા અને પ્રધાન ધ્રુજી ઉઠયા, ને બોલી ઉઠયા બસ કરે. હવે આ દશ્ય અમારાથી નથી જેવાતું. હવે મારા રાજયમાં જનધર્મને વજ ફરકશે. જે જૈન ધર્મની ટીકા કરશે તેને સજા કરવામાં આવશે, અને હું પણ આજથી જૈન ધર્મ સ્વીકારું છું. બંધુઓ ! શ્રાવકની અડગ શ્રદ્ધાને કારણે જૈન ધર્મના કેવી રાજા પણ પ્રેમી બની ગયા, પણ એ કયારે બન્યું કે એક વાર પ્રાણુનું બલીદાન આપવું પડ્યું. તમારે માથે આવું ધર્મસંકટ આવે તે પ્રાણ આપવા તૈયાર છે? આવા દઢ શ્રાવકે જૈનશાસનને જયવંતુ બનાવે છે. અહીં રાજેમતીની પણ કરી આવી છે. રહનેમિને એણે અત્યાર સુધી સમજાવ્યું પણ જાણ્યું કે હવે આ તે સમજે તેમ નથી. એની સાથે કડકાઈથી કામ લેવું પડશે. હવે રામતી રહનેમિને કેવા કડક શબ્દો કહેશે કે કેવી રીતે સંયમમાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy