SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શારદા સુવાસ પહેલાં અંધકાર દેખાય છે, પછી ઘેાડી વાર થાય ત્યારે પ્રકાશ દેખાવા લાગે છે. આ સતી રાજેમતીએ ગુફામાં પ્રવેશ કર્યાં. એકદમ ભંયકર અંધકાર હતા, એટલે એમને ખબર નથી કે ગુફામાં કાણુ છે? આ ગુફામાં તેમનાથ ભગવાનના નાના ભાઇ થમિ જે તેમનાથ પ્રભુ તાણેથી પાછા ફર્યાં પછી જે રાજેમતીના રૂપમાં પાગલ બનીને તેની સાથે પરણવા તૈયાર થયા હતા પણ રાજેમતી યુક્તિદ્વારા સમજાવીને તેને ઠેકાણે લાવ્યા હતા ને પછી વેરાગ્ય પામીને એમણે દીક્ષા લીધી છે એ રહનેમિ મુનિવર આ ગુફામાં એક ખૂણામાં ધ્યાનાવસ્થામાં મગ્ન બનેલા હતા. રાજેમતીજીને રહનેમિ અંદર છે તે ખખર ન હતી, હવે રાજેમતી સાધ્વીજી વિચાર કરવા લાગ્યા કે આ ગુફ઼ામાં હું એકલી જ છું. મારા વસ્ત્રો પાણીથી રસમેળ થઈ ગયા છે, એટલે કાઢીને સૂકવી નાંખુ જૈનના સાધુસાધ્વીએ વિદ્વાર કરતા હાય ને અચાનક આવા પ્રસંગ બની જાય ને કપડા પલળી જાય તા એને નીચાવે નહિ. નીચેાવે તે અપકાયના જીવા મરી જાય એટલે કાઢીને પહેાળા કરી કે એની મેળે એ સૂકાઇ જાય. શરીર ઉપર વરસાદના સચેત પાણીના ફારા પડયા હાય તે। લૂછાય પણ નહિ. એ એની મેળે જ સૂકાઈ જવા જોઈ એ. આવા જૈન મુનિના આચાર છે. અહીં રાજેમતી સાધ્વીજી પેાતાના ભીંજાયેલા નો ઉતારીને હું સૂકવી દઉં એવા વિચાર કરવા લાગ્યા. જે રહેનેમિય નામનું અધ્યયન છે એની વાત હવે જ શરૂ થાય છે, રહેનેમિ આ રાજેમતીને જોશે ત્યારે એના મનમાં કેવા ભાવ જાગશે, આ સાથે રાજેમતી સાધ્વીજીનું ચારિત્ર કૅવું નિર્મળ છે, એમનામાં કેટલું ખૌર છે તે આપણને જાણવા મળશે. એક સ્ત્રી હાવા છતાં રથનૈમિને પડકાર કરશે કે ચારિત્ર વિનાનું જીવન મડદા જેવું છે. શ્વાસ વિનાના કલેવરની, પાણી વિનાના માતીની અને સુગંધ વિનાના પુષ્પની ક્રાઈ કિંમત નથી, તેમ ચાત્રિ વિનાના જીવનની કેઇ કિંમત નથી. ચારિત્ર એ તે જીવનનુ કાહીનુર છે. જીવનમાંથી ખધું જાય તે ભલે જાય પણ ચારિત્ર કદી ગુમાવશે। નહિં, જેનું ચારિત્ર નિ*ળ નથી એના દુનિયામાં કોઇ વિશ્વાસ કરતું નથી. ચારિત્રના રક્ષણ માટે ભગવાને કોઈ સ્ત્રી કે પુરૂષ વૃદ્ધ હાય, પ્રૌઢ હાય, તેની સાથે એકાંતમાં ઉભા રહેવાની કે બેસવાની ના પાડી છે, કારણ કે એકાંત બહુ ખૂરી ચીજ છે. અહીં એકાંત સ્થાન છે. રાજેમતીજીને અંદર કોણુ છે તે ખખર નથી. પેાતે વસ્રો ઉતારીને પહેાળા કરે છે. હવે રહનેમિનુ ચિત્ત કેવી રીતે ચલાયમાન થશે ને રાજેમતી સાધ્વીજી તેમને કેવી રીતે ઠેકાણે લાવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર :– મદનમાલતી જિનસેનકુમારને પોતે અહી' કેવી રીતે આવી તે વાત કરે છે. મેં રામસેનની રાણી બનવાની ના પાડી એટલે તેમના નિ ય સુભટાએ મને ઉંચકીને દરિયામાં ફેંકી દીધી, ત્યારે મેં પ્રભુને પ્રાથના કરી કે હે ભગવાન ! મેં મારા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy