SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ શારદા સુવાસ જેને જેમાં રસ હોય છે એમાં એને આનંદ આવે છે. શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં કે માણસના મનમાં એમ થાય કે આ માછલીઓ બિચારી પાણીમાં ઠરી જશે, માટે લાવ હું એને બહાર મૂકી દઉં. દયાળુ દયા કરીને બહાર કાઢે છે. પણ માછલી પાણું વિના તરફડીને મરી જાય છે. એમ જ્ઞાનીઓને તમારી દયા આવે છે કે આ બિચારા જીવનું શું થશે? તેથી તમને સમજાવે છે પણ તમને સંસારમાં રસ છે એટલે આટલું દુઃખ હોવા છતાં તમને સુખ દેખાય છે. રાજેમતીને હાહાડની મીજામાં સંયમને રંગ લાગે છે. એના દિલમાં અપૂર્વ આનંદ છે. અહો મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે મારા નાથે આઠ આઠ ભવની પ્રીત ટકાવવા માટે અહીં આવીને મને જાગૃત કરી. એ જે મને પરણવા માટે પધાર્યા ન હોત તે હું કયાં જાગૃત બનવાની હતી! ક્યાંય મેહ નિદ્રામાં આળોટતી હત. મહાન પુરૂષનું આગમન અને સંદેશ આપી જાય છે. મેટા રે માનવીના પાવન પગલા, આત્મ કલ્યાણને માર્ગ બતાવે, નશ્વર દેહના પ્રેમથી અધિકે, આત્મપ્રેમને પંથ બતાવે, સંકેત સ્વામીને હવે સમજાય, સતી રાજુલ સંયમપથે જાય... શજેમતી મનમાં ને મનાથ પ્રભુને ઉપકાર માનતી વિચાર કરે છે કે નાથ ! આપના જેવા મહાનપુરૂષને પગલે મથુરાનગરી પાવન થઈ ગઈ. આપ મને નશ્વરદેહની પ્રીત તેડીને શાશ્વત આત્માની સાથે પ્રેમ જોડવાનો શુભ સંકેત કરવા આવ્યા હતા, પણ અત્યાર સુધી હું મેહમાં પાગલ બનેલી હતી તેથી આપનો સંકેત મને સમજાયે નહિ, હવે હું સાચી વાત સમજી શકી છું, એટલે આપે બતાવેલા પુનિત પંથે આપની પાછળ આવીશ. જેમતી પિતે તે વૈરાગ્ય પામી પણ સાથે પિતાની સાત (૭૦૦) સખીઓને પણ સંસારની અસારતા સમજાવે છે. રામતી વિરક્ત બનીને સંસારમાં વૈરાગ્ય અવસ્થામાં પિતાજીને ઘેર રહીને જ્ઞાનને અભ્યાસ કરવા લાગી. એને ઝળહળતે વૈરાગ્ય જોઈને એના માતા-પિતાના દિલમાં થયું કે હવે આપણી રામતીને સંસારને બિલકુલ રાગ નથી. એ એની આરાધનામાં જ મસ્ત છે. હવે એને સંસારમાં પાડવાની વાત કરવી એ એના દિલને દુભવવા જેવું છે, માટે એને જેમાં રસ છે તે કાર્ય કરવા દે. એનું મન આનંદમાં રહે તે જ આપણે આનંદ છે. રાજેમતીની ૭૦૦ સખીઓ પણ એના જેવી વૈરાગી બની ગઈ. આ પ્રકારે વિશુદ્ધ ભાવનાવાળી બનેલી રાજેમતી વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ સાથે જ્ઞાનાભ્યાસ કરતી પિતાને સમય વ્યતીત કરવા લાગી. જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યામાં લીન રહેવાથી તેને દિવસે સુખપૂર્વક વ્યતીત થવા લાગ્યા. - આ તરફ નેમનાથ ભગવાને વિતક પર્વત ઉપર દીક્ષા લીધી, પછી કૃષ્ણવાસુદેવ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy