SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ઉપાડે. ત્યાં રસ્તામાં એક જગ્યાએ નાટક ચાલતું હતું. તેના સામે જીવાભાઈની દૃષ્ટિ ગઈ. એટલે જોવા માટે એને પગ ત્યાં થેભી ગયે. એને આ નાટકને ખેલ જોવાની ખૂબ મઝા આવી ગઈ, તેથી તે જોવા માટે ઉભો રહ્યો. મનમાં વિચાર કર્યો કે મેવા મીઠાઈની દુકાને ક્યાં ચાલી જવાની છે, ગાડી એક કલાક રોકાવાની છે અને પૈસાની પિટલી તે મારી પાસે છે એમ વિચારીને નાટક જેવા ઉભો રહ્યો, ૦૦ કલાક થયો એટલે વધારે સરસ દશ્ય જેવાનું આવ્યું. જીવાભાઈ વિચાર કરે છે કે આ નાટક બહુ સરસ છે. ગાડી ઉપડવાની વાર છે માટે જોઈ લઉ. એવામાં બીજે ૦ કલાક વીતી ગયે, સહેજ આગળ ગયા ત્યાં એના કરતા વધુ સુંદર દશ્ય આવ્યું, એટલે પાછા જીવાભાઈ મનમાં બેલ્યા કે ભલે મને ભૂખ લાગી. આ દુકાને તે સામે જ છે, પૈસા મારી પાસે છે ને ગાડી કલાક રોકાવાની છે તે આ સુંદર ખેલ જાતે કેમ કરાય? તેમાં ૦ કલાક નીકળી ગયે, આગળ ગયે ત્યાં ત્રણે દશ્યને ટકકર મારે એવું શું દશ્ય આવ્યું, એટલે જીવાભાઈ તે આંખે ફાડીને જેવા લાગ્યા. લેકે નાટક જોઈને તાળીઓ વગાડવા લાગ્યા. આ જીવાભાઈ પણ પિટલી નીચે મૂકીને તાળીઓ વગાડવા લાગ્યા. એમાં જીવાભાઈને ટાઈમને ખ્યાલ ન રહ્યો ને ગાડી ઉપડવાની સીટી વાગી, એટલે જીવરાજભાઈ ઝબક્યા ને કોઈને પૂછયું–ભાઈ! આ સીટી શેની વાગી? ત્યારે કહ્યું કે ગાડી ઉપડવાની સોટી વાગે છે. જીવરાજભાઈ કહે છે શું ગાડી ઉપડે છે? મેં તે હજુ ખાધું પણ નથી. અરે, નાટક જેવામાં જ સમય પસાર થઈ ગયે. એમ અફસેસ કરતે ગાડી ઉપડવાની તૈયારીમાં નીચે મૂકેલી પિટલી લેવા ગયે તે પિટલી મળે નહિ. આટલું મોટું જંકશન હય, માણસની ઠઠ જામી હોય અને પિતે નાટક જોવામાં મશગૂલ બની ગયે હોય ત્યાં નીચે મૂકેલી પિટલી રહે ખરી? જીવાભાઈ તે પિોટલીની શોધ કરવા લાગ્યા. પિોટલીની શોધ કરવા જતાં ગાડી ઉપડી ગઈ જીવાભાઈ ને તે ખાઈ શકયા કે ન ગાડીમાં જઈ શક્યા. બરકે પાસે હતું તે પણ ગુમાવી દીધું ને હતા તેવા થઈ ગયા. આ તે જીવરાજભાઈ વણિકની આપણે એક કપિત વાત કરી પણ હવે આત્મા સાથે ઘટાવીએ. અનાદિ નિગદ તે ગામડું અને આપણે આત્મા તે જીવરાજભાઈ. આપણે આત્મા પેલા ગામડા સમાન નિગોદમાં અનંતકાળ રહ્યો નિગોદમાં રહેલે જીવરાજ એકેન્દ્રિયપણમાં શું વહેપાર કરી શકે? ત્યાં એની પાસે મનબળ કે વચનબળ નથી હોતું. ફકત એક કાયબળ હોય છે. તે પણ અતિ સુમ. તેનાથી શું બની શકે? વ્યવહારમાં એક જુની કહેવત છે ને કે “પંડ રળે પેટ ભરાય પણ કંઈ મૂડીવાળા ન થવાય,” તેમ નિગેદમાં કંઈ વહેપાર કે વકરે ન થાય પછી મૂડી કયાંથી થાય? ત્યાં નિગોદમાં અકામ નિર્જરા કરીને કંઈક પુણ્ય રૂપી મુડી એકઠી કરી તેનાથી બાદરપણું પામે. તેનાથી આગળ વધતા વસાણામાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરન્દ્રિયપણું પ્રાપ્ત કરીને આગળ વધે એટલે કંઈક મુડી થવાથી વહેપાર વધાર્યો.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy