SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સુવાસ ૭૩૯ તેમને દુઃખ આપે તે શું તમે દુઃખ આપનારનું કૃત્ય સારું માનશે? આપ તે દુખ આપનાર વ્યક્તિના કૃત્યને શું અન્યાયી અથવા અનુચિત નહિ કહ? જે આપને દુઃખ આપનાર વ્યક્તિના કાર્યને અન્યાયી અથવા અનુચિત કાર્ય કરનાર આપ કહી શકો છે તે પિતાના સુખને માટે જેઓને દુખમાં નાંખવામાં આવે છે તે છે શું પિતાને દુખ આપનારના કાર્યને અનુચિત નહિ. કહે? જે કાર્યથી પિતાને દુઃખ થાય છે તે કાર્યથી બીજાને દુઃખ નહિ થતું હોય ? અવશ્ય થાય, પણ લેકે પિતાના સ્વાર્થમાં આ વાત ભૂલી જાય છે, અને એ જ કારણે માંસને માટે અનેક પશુ પક્ષીઓની હિંસા કરે છે, અને તેનાથી જે લગ્નાદિ કા મંગલકાર્ય મનાય છે તે લગ્નાદિ પ્રસંગમાં કેટલા ઇવેનું અમંગલ થઈ જાય છે. કેટલા જની નિર્દયતાપૂર્વક હિંસા કરવામાં આવે છે. એ બાબતમાં કેદી કેઈએ વિચાર કર્યો છે ખરે? પિતાનું મંગલ ઈચ્છવું ને બીજાનું અમંગલ કરવું એ કોના ઘરને ન્યાય છે! આપ બધા આ બાબતમાં બરાબર વિચાર કરે. જેમકુમાર આ પ્રમાણે કૃષ્ણને કહી રહ્યા છે. બીજી બાજુ રાજુલ કલ્પાંત કરી રહી છે. હવે રાજુલને તેના માતા પિતા કેવી રીતે સમજાવશે તે અવસરે. ચરિત્ર: “દરવાજા નહિ ખુલતા રાજાને થયેલે ગભરાટ” – જિનસેનકુમારની પત્ની ચંપકમાલા ગુમ થઈ તેથી તે ચિંતાતુર બની ગયું હતું. ત્યાં તેણે જાણ્યું કે આશ્ચર્યકારક ઘટના બની છે અને આખું ગામ જેવા ઉમટ્યું છે. આ સાંભળીને જિનસેન કુમાર શેઠને સાથે લઈને તે વેશ્યાને ઘેર આવ્યું. તે સમયે રાજાએ વેશ્યાને મરણની ધમકી આપીને સત્ય વાત કહેવાનો હુકમ કર્યો એટલે તેણે રાજાને સત્ય વાત જણાવી દીધી.. વેશ્યાની વાત સાંભળીને રાજાને તેના ઉપર ખૂબ ક્રોધ આવ્યે ને કહ્યું હે પાપણી ! એક તે તું પાપ કરીને પેટ ભરે છે અને પાછું બીજુ આ પાપનું કામ ક્યાં કર્યું? નક્કી આ બાઈ કેઈ સતી દેવી જોઈએ. સતી સ્ત્રીને આવું કષ્ટ આપવાથી જે એ કપાયમાન થશે ને શ્રાપ આપશે તે તારા પાપે આખા નગરના લેકેને બાળીને ભસ્મ કરી મૂકશે. આ દરવાજા ગમે તેમ કરીને ખેલાવવા જાઈએ. વેશ્યા કહે છે વાત સાચી છે પણ થવાનું હતું તે થઈ ગયું. હવે શું કરું! મેં તે ઘણી મહેનત કરી પણ દરવાજા ખુલતા નથી. આપ ખેલા. રાજાએ પિતે દરવાજા પાસે જઈને ખૂબ જોરથી ખખડાવ્યા અને મોટા અવાજે કહ્યું બહેન! તમે જે હોય તે દરવાજા ખેલે, પણ કેણ સાંભળે ? દરવાજા ખોલવાની વાત તે દૂર રહી પણ જવાબ પણ આપતી નથી. રાજાથી દ્વાર ન ખુલ્યા ત્યારે બીજા ઘણું માણસો આવ્યા પણ કેની તાકાત છે કે દ્વાર ખેલાવી શકે. અંદરથી જવાબ ન મળે અને બારણું પણ ન ખુલ્યું એટલે મહારાજાએ હુકમ કર્યો કે આ દરવાજા તેડી નાંખે, તેથી રાજાના માણસે મોટા શસ્ત્રો લાવીને બારણું તેડવા લાગ્યા પણ કઈ રીતે લાકડાના દરવાજા તૂટતા નથી. નહિતર લાકડાના દરવાજાને તેડતા શી વાર? પણ અહીં તે એક જાદું થયું હેય તેમ જે કઈ દરવાજાને ઘા કરવા જાય છે તે તે ઘા પિતાના ઉપર જ આવે છે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy