SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૭૩૧ નેમકુમારે શરીર ઉપરથી ઝડપભેર આભરણે ઉતાર્યા, ધીમે ધીમે નહિ, તમે તે કંઇક આપે તો વિચાર કરે કે કેટલું આપું? શું આપું? કેમકુમારે એવો વિચાર ન કર્યો પણ ઉત્કૃષ્ટ ભાવે ઉદારતાથી શરીર ઉપર પહેરેલા નાના મોટા બધા દાગીને ઉતારીને પશુ પક્ષીઓને અભયદાન આપ્યું તેની ખુશાલીમાં સારથીને ઈનામ તરીકે આપી દીધા. તે કિંમતી અલંકારો મળવાથી સારથીને કેટલે બધે આનંદ થયે હશે? એને અનુભવ તે તે સારથી પિતે કરી શકે અને તમે બધા પણ કરી શકે, કારણ કે આ તે તમારા અનુભવની વાત છે ને? નેમકુમારનું ફરમાન”:- હવે કેમકુમાર સારથીને કહે છે કે સારથી ! તું હાથીને પાછો વાળ. આ સાંભળી સારથી સ્તબ્ધ બની ગયે. સહેજ અચકાઈને આશ્ચર્ય સાથે કેમકુમારને કહે છે કુમાર ! હજુ તે તેરણદ્વારે પહોંચ્યા નથી ને હાથી પાછો વાળવાનું કેમ કહે છે ? આપના દિલમાં મારા લગ્ન નિમિત્તે પશુ પક્ષીઓની હિંસા થશે એ વાતનું દુઃખ હતું, તો પશુ પક્ષીઓને તે આપણે છેડી મૂક્યા. હવે હિંસાને પ્રશ્ન રહેતું નથી, પછી શા માટે પાછા ફરો છે? હું હાથીને પાછો નહિ વાળું. તેણે આવીને લગ્ન કર્યા વિના પાછા ફરવું તે આપને માટે યોગ્ય નથી, માટે આપ આ બાબતમાં વિચાર કરે, ત્યારે નેમકુમારે કહ્યું સારથી! એ બાબતમાં તારે ચિંતા કરવાની જરૂર નથી. સારથીએ કહ્યું છે આયુષ્યમાન ! જે કે આપના હુકમનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે. આપના હુકમથી વિરુદ્ધ કંઈ કરવાને કે કહેવાને મને કંઈ અધિકાર નથી, છતાં હું આપને પ્રાર્થના તે અવશ્ય કરી શકું છું, તે હું નમ્રપણે આપને પ્રાર્થના કરું છું કે આપ આપના હુકમ ઉપર ફરીને એક વાર વિચાર કરવા કૃપા કરો. આપ લગ્ન માટે હશે હરખે જાન જોડીને અહીં આવ્યા ને લગ્ન કર્યા વિના તોરણદ્વાર આગળ આવીને પાછા ફરવું તે આપ જેવા ઉત્તમ પુરૂષ માટે ઉચિત નથી. આપના મેટાભાઈ કૃષ્ણમહારાજા પણ આપને કોઈ રીતે પાછા ફરવા દેશે નહિં. હાથી પાછા ફરતા મચેલો કેલાહલ – સારથીના પ્રશ્નના જવાબમાં નેમકુમારે ગંભીરતાપૂર્વક કહ્યું કે હું મારા કર્તવ્યને બરાબર સમજું છું. મેં જે કંઈ કર્યું છે તે ખૂબ વિચાર કરીને કર્યું છે. આ બાબતમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે હું કહું તેમ કરે. ગમે તેમ તે ય સારથી તે ચિઠ્ઠીને ચાકર છે. શેડ એ શેઠ અને ચાકર તે ચાકર, શેઠના વટહુકમ આગળ ચાકરનું બિચારાનું શું ચાલે ? સારથી નેમકુમાર આગળ વધુ બેલી શકે નહિ, એણે નેમકુમારના હકમ મુજબ હાથી પાછો વાળે. નેમકુમારને હાથી પાછો વળે જોઈને આખી જાનમાં કોલાહલ મચી ગયો કે નેમકુમારને હાથી પાછો ફર્યો. આગળ સૈન્ય અને સાબેલા હતા. તેમને ખબર પડી એટલે આગળના માણસે દેડતા પાછળ આવ્યા અને કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાહ રાજાએ પાછળ હતા. તેમને ખબર પડતાં તેઓ બધા દેડતા આવ્યા. કુણુવાસુદેવે આ વાત સાંભળી ત્યારે એમના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy