SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ શાહા સુવાસ વધુ પ્રોટીન મળે છે, અને હવે તે બાળકોને સ્કૂલમાં દૂધ અને ઈંડાને રસ આપવાની જના ઘડાઈ રહી છે. સાંભળવા મુજબ કેટલીક જગ્યાએ આપવાની શરૂઆત થઈ ગઈ છે ને કેટલીક જગ્યાએ હવે અપાશે. આપણી કલ્પનામાં ન આવે એ રીતે હિંસાની વિષવેલ ફાલી ફૂલી રહી છે. આ હિંસાના વડવાનલને શાંત કરવા માટે માત્ર જૈનેએ જ નહિ પણ સમગ્ર ધર્મપ્રેમી આ જનતાએ સજાગ બનવાની જરૂર છે તે માટે ભારતની આર્ય પ્રજાનું ખમીર જાગી ઉઠવું જોઈએ. સંતે તે ગામેગામ ફરીને અહિંસાને પ્રચાર કરી રહ્યા છે અને માતા-પિતાઓએ પણ પિતાના સંતાનમાં એવા સંસ્કાર રેડવા જોઈએ કે જેથી બાળક ગમે ત્યાં જાય પણ તે હિંસાને માર્ગે આગળ વધી શકે નહિ. અહિંસા તે આ પણ સહુની માતા છે. આપણી નજર સમક્ષ આપણું અહિંસા માતાના વસ્ત્રો ખેંચાઈ રહ્યા છે. એને સખ્ત ફટકે લાગી રહ્યો છે છતાં તમે કેમ સજાગ નથી બનતા? અહિંસા માતાની આબરૂ સાચવવા માટે સમગ્ર આર્ય સમાજે કટિબદ્ધ બનવાની જરૂર છે. | નેમકુમારના દિલમાં વાડામાં પૂરાયેલા પશુ પક્ષીઓને જોઈને કરૂણા આવી. લેકે માને છે કે કેમકુમાર પરણવા જાય છે પણ એમના અંતરમાં સંપૂર્ણ અહિંસાનું પાલન કરવા માટે સંયમની ભાવના રમી રહી છે. આ તરફ કેમકુમાર સાથે પરણવા માટે ઉત્સુક બનેલી રાજુમતીનું જમણું અંગ ફરકવાથી તેને આનંદ ઉડી ગયો છે, તેથી એની સખીઓ એને સમજાવી રહી છે કે બહેન! હવે તું શા માટે રડે છે? જે તે ખરી, વર તરણે પહોંચવા આવે છે. હમણાં પખાશે ને પછી તેને ચોરીમાં લઈ જવામાં આવશે ને હમણાં તમારા લગ્ન પણ થઈ જશે, પણ રાજેમતીનું મન કઈ રીતે માનતું નથી. એટલામાં નેમકુમારને હાથી પશુઓને જે વાડામાં પૂર્યા છે ત્યાં આવી પહોંચ્યું, એટલે તેમણે ચાલ્યા જતા હાથીને ભાગ્યે ને સારથીને પૂછયું કે कस्स अट्ठा इमे पाणा, एए सव्वे सुहेसियो । वाडेहिं पंजरेहिं च, संनिरुद्धा य अच्छई ॥१६॥ ભગવાન તે જન્મથી જ મતિ-શ્રત અને અવધિજ્ઞાનથી યુક્ત હતા. આ પશુઓને વાડામાં અને પક્ષીઓને પાંજરામાં શા માટે પૂર્યા છે તે બધું જાણતા હતા. કોઈને પૂછવાની જરૂર ન હતી પણ જગતના સમગ્ર જી સમક્ષ અહિંસાનું વિશિષ્ટ મહાભ્ય બતાવવા માટે સારથીને આ પ્રમાણે પૂછ્યું. અહીં તમને એમ થશે કે કેમકુમાર તે હાથી ઉપર બેસીને આવ્યા છે ને સારથીને પૂછયું એમ કહેવાનું કારણ શું? હાથીને હાંકનાર તે મહાવત હોય છે. અહીં મહાવતને શાસ્ત્રકાર ભગવંતે સારથી કહે છે, એટલે ગાથામાં કહ્યું કે કેમકુમારે સારથીને આ પ્રમાણે પૂછયું કે તે સારથી ! આ મૃગ આદિ જનાવરો સુખના અભિલાષી છે, છતાં આ પ્રાણીઓને અહીં વાડામાં ને પિંજરમાં શા માટે પૂરવામાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy