SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શારદા સુવાસ મારી માતા બગીચામાં એકલી છે. એ મારા વિગે ઝૂર્યા કરશે, માટે તમે બધા એને ઓછું ન આવે તેમ ખબર લેજે. માતૃપ્રેમના કારણે કુમાર આટલું બોલતાં રડી પડે. બધાએ કુંવરને બાથમાં લઈ લીધું. સૌના હદય ભરાઈ ગયા, કુંવરના વિયોગના કારણે આંખમાંથી આંસુની ધારા વહી. હવે રડતી આંખે વિદાય કેવી રીતે દેશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૭૩ આ સુદ ૫ ને શુક્રવાર તા. ૬-૧૦-૭૮ " સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતેએ જગતના છનાં આત્મ ઉદ્ધાર માટે આગમવાણું પ્રકાશી છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં રહનેમીય” નામના અધ્યયનમાં નેમ-રાજુલનો અધિકાર ચાલી રહી છે. તેમનાથ ભગવાન જગતમાં સર્વશ્રેષ્ઠ પુરૂષ છે. મહાન પુરૂષની દૃષ્ટિમાં અને સામાન્ય પુરૂની દ્રષ્ટિમાં અંતર હોય છે. મહાન પુરૂષમાં અને સામાન્ય પુરૂષમાં શું અંતર છે તે બાબતમાં વિચાર કરીએ તે આપણને તેમાંથી ઘણું જાણવા મળે છે. આ જગતમાં બે પ્રકારના મનુષ્ય હોય છે પણ એકમાં કઈ વિશેષતા હેય છે અને બીજામાં કેઈ ન્યૂનતા હેય છે. જેનામાં વિશેષતા હોય તે મહાપુરૂષ ગણાય છે અને જેનામાં કેઈ ન્યૂનતા હોય એટલે કે વિશેષતા હતી નથી તે સામાન્ય પુરૂષ ગણાય છે. હવે આપણે જોવાનું એ છે કે કઈ વિશેષતાને કારણે માણસ મહાન પુરૂષ ગણાય છે ને કઈ ન્યૂનતાને કારણે સામાન્ય માણસ ગણાય છે. દષ્ટિભેદના કારણે ગુરૂતા અને લઘુતાના કારણેમાં ભેદ પડી જાય છે. કેઈ માણસ જેનામાં શારીરિક બળ, પરાક્રમ વધારે હોય તેને મેટા માને છે, અને જેનામાં એને અભાવ હોય તેને નાને માને છે. કેઈ માણસ જેનામાં બુદ્ધિ વધારે હોય તેને માટે માને છે કે જે બુદ્ધિહીન હોય તેને નાને માને છે. કેઈની દષ્ટિએ જેની પાસે ધન વૈભવ અને સંપત્તિ વધારે હેય તે મહાન ગણાય છે અને જેની પાસે ધન વૈભવ નથી તે સામાન્ય ગણાય છે. આ પ્રમાણે જુદા જુદા માણસે ગુરૂતા અને લઘુતાને કારણે પણ જુદા જુદા માને છે, પણ ધર્મને સમજનાર મનુષ્ય ગુરૂતા અને લઘુતાના જે કારણે માને છે તે આ કારણથી સર્વથા ભિન્ન છે. 4આત્માથીજને કહે છે કે શારીરિક બળ હોવું અથવા ન હોવું તે ગુરૂતા અને લઘુતાનું કારણ ન હોઈ શકે, કારણ કે જે માણસ બીજા અનેક પ્રાણીઓ ઉપર અત્યાચાર કરે છે, અનેક જનને સતાવે છે અને અનેકને લૂંટવાનો પ્રયત્ન કરે છે એમનામાં પણ શારીરિક બળ તે ઘણું હોય છે. ધન-વૈભવ સંપ હોવું એ પણ મોટાઈનું કારણ નથી, કારણ કે ધન-વૈભવ સંપન્ન માણસે એવા હેય છે કે જેઓ ગરીની જેટલી ઝૂંટવીને, કંઈકને છેતરીને, દગા-પ્રપંચે કરીને ધનવાન બની જાય છે અને પછી તે જ ધન વડે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy