SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ મ શારદા સુવાસ રાખતા જ નથી, ત્યારે સમુદ્રવિજય પ્રેમથી કહેતા મારા લઘુ બાંધવા ! જે તમારી પાસે છે તે બધું મારુ જ છે ને ? તમે તે હું ને હું તે તમે છે, પછી મારા તારાના ભેદ શા માટે ? પાતે મેાટા હતા એટલે બધું જતું કરતા હતા. ભગવાન કહે છે જે જતું કરે તે જગદીશ ખની શકે છે. જતું કરવું એટલે શું? ધન કે વસ્તુ જતી કરવી એટલું જ નહિ પણ કોઈ આપણને ગાળ દે તા પણ જતી કરવાની. કાઈ કટુવચન કહે તા પણુ સમતા ભાવે સહન કરી લેવાના. કેાઈ પથ્થર મારે તા પણુ સહન કરી લેવાના. આપણે નિર્દોષ હાવા છતાં કોઈ આપણને ઢાષિત મનાવે તે પણ સહન કરી લેવું એનુ' નામ જતું કર્યુ કહેવાય. મહાવીર પ્રભુને અનાય દેશમાં અનાય લેાકેાએ કેવા કેવા કષ્ટો આપ્યા છતાં સહન કર્યો ને ? કોઇના સામના કરવા ગયા ? ‘ના.’ એમણે જીવનમાં કેટલું જતુ કર્યુ. ત્યારે જગદીશ બન્યા. જગદીશ તે બધાને ખનવુ છે પણુ જતુ કરવું નથી. જગદીશ ખનવું હાય તે તેને માટે એક ઉપાય છે કે જતું કરતાં શીખા. કોઈ ગાળ દે, કટુવચન કહે, ખાટા દેષનું આરેપણુ કરે ત્યારે એક જ વિચાર કરવા કે મારા પાપકર્મના ઉદય છે. એમ માનીને ક્ષમા રાખીએ તા સામી વ્યક્તિને જરૂર એની ભૂલનું ભાન થશે અને છેવટે ચરણમાં નમી પડશે. “ઇર્ષ્યાએ સરે લી આગ’:-મદ્રાસમાં અન્ય ધર્મના પ્રચારક એક તેલંગ સ્વામી હતા. એમના જીવનમાં ક્ષમા ઘણુ હતી અને જ્ઞાન પણ ખૂખ હતું. આપણા જૈન ધર્મીમાં ક્ષમાનું વિશેષ મહત્વ છે. જૈન સાધુના દશ ધર્મોંમાં પહેલા ધમ ક્ષમા છે, એટલે જૈન ધર્મના સંતા તે ક્ષમાવાન હોય પણ આ તે જૈનેતર સંત હાવા છતાં તેમનામાં ગજબની ક્ષમા હતી, અને પેાતાની પાસે આવનારા ભક્તોને ક્ષમાના ઉપદેશ આપતા, અને આત્મજ્ઞાનની ઉંડી વાતા સમજાવતા, તેથી તેમની ભૂખ પ્રશ‘સા થતી. આ ખીજા ધર્મોના ભક્તોથી સહન ન થયું. અમારા ધર્મ ગુરૂની આટલી પ્રશ'સા નથી કરતા ને આની આટલી બધી પ્રશંસા ! આવી ઈર્ષ્યાના કારણે તેલંગ સ્વામીને હલકા પાડવા માટે તેમણે એક પ્રપંચ ઉભા કર્યાં. એક દિવસ ત્રણ ચાર અજાણ્યા ભક્તો તેલંગ સ્વામીની પાસે આવ્યા ને કહ્યું. સ્વામીજી ! અમારી એક નાનકડી ભક્તિના સ્વીકાર કરશે ? અમે ખૂબ ભક્તિભાવથી આ એક દૂધના ગ્લાસ લાવ્યા છીએ તે આપ પી જાવ તે અમને લાભ મળે. “ચુનાનું પાણી દૂધની માફક પીતા મહાન સંત” :– તેલંગ સ્વામીએ જોયુ તા આ તદ્દન અજાણ્યા ભક્તો હતા. કદી તેમને જોયેલા ન હતા, છતાં તેમની ભક્તિના સ્વીકાર કરીને પ્રેમથી દૂધ પી ગયા. પીતાં ખબર પડી કે આ દૂધ છે કે શુ? એમણે પીધુ' પણ આવનારની આંખા પહેાળી થઈ ગઈ કે હવે શું થશે? દૂધની કેવી અસર થાય છે તે જોવા માટે ભક્તો તેમની પાસે બેસી રહ્યા. તેલૉંગ સ્વામીએ દૂધ પીને ગ્લાસ જમીન પર મૂકી દીધા ને જેવી મુખ ઉપર પહેલાં પ્રસન્નતા હતી તેવી જ પ્રસન્નતાથી બેસી રહ્યા. આવનાર પ્રત્યે જરા પણ દ્વેષ કે અણુગમા ન કર્યાં. હાડ ઉપર પણ કડવાશના વળાંક ન
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy