SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ લાવ્યો ? તારે લાવવાની જરૂર ન હતી કારણ કે રનવતી આ વાત જાણશે તે તારા પિતાજી સાથે ઝઘડશે. કુંવરને રત્નાવતીની વાત કરતી જિનસેના” - રત્નાવતી રાજા સાથે ઝઘડી છે તે વાતની રાણીને ખબર ન હતી, પણ જેવું માણસ હોય છે તેવી તેની છાપ પડે છે, એટલે જિનસેના કહે છે હે દીકરા ! મને લાગે છે કે આ વસ્તુઓ આપણે ત્યાં ટકી શકે જ નહિ, કારણ કે જેવી રત્નાવતીને ખબર પડશે તેવી એ તરત રાજાની સાથે ભયંકર ઝઘડો કરશે. તે બેટા ! આ બે ચીજો માટે તારા બાપુજીને કેટલું સહન કરવું પડશે ? તે આપણે એ બે ચીજો લઈને ઝઘડામાં નિમિત્ત બનવું નથી, માટે તું જઈને બે વસ્તુઓ - રાજાને પાછી આપી આવ. આ પ્રમાણે જિનસેના અને જિનસેનકુમાર વાત કરતા હતા, ત્યાં પ્રધાનજી રાણી પાસે આવ્યા ને બધી વાત કરી. જિસેનાએ તે પહેલેથી જ ભવિષ્ય ભાંખ્યું હતું તેવું જ બન્યું. હવે જિનસેને રાણી જિનસેનકુમારને વસ્તુઓ પાછી દેવાની વાત કરશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૫ ભાદરવા સુદ ૮ ને રવીવાર દુબળી આઠમ તા. ૧૦-૯-૭૮ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, ત્રિલેકીનાથ, શાસનપતિ ભગવાને જગતના જીના એકાંત હિત માટે આત્મકલ્યાણને મંગલકારી માર્ગ બતાવ્યું. છે. પર્યુષણ પર્વના પવિત્ર દિવસો આવ્યા ને ગયા અને આપણને નવીન સંદેશ આપતા ગયા કે હે આત્માઓ! મેહનિદ્રામાંથી જાગૃત બને. દિવસે તે બધા ઉગે છે ને આથમે છે પણ પર્વના દિવસેની વિશેષતા છે. કર્મના મર્મને ભેદી નાખવા એ આ પર્વનું અદૂભૂત કાય છે. તાડના ઝાડ ઉપરના મર્મ ભાગમાં જેના આધારે એ તાડનું ઝાડ અડીખમ ઉભું રહે છે ત્યાં સોય ભેંકવામાં આવે તે અડીખમ ઉભેલું તાડનું ઝાડ તરત પિડી જાય છે, એવી રીતે આ પર્યુષણ પર્વ કર્મના મર્મને સેય ભેંકવાનું કામ કરે છે, જેથી એ કર્મરૂપી તાડનું ઝાડ ભેંય ભેગું થઈ જાય છે. આપણું આત્માએ અનંત ભવમાં કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ આદિ કરીને કર્મો બાંધ્યા છે તેને ક્ષય આ માનવ ભવમાં સમ્યક્ દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ દ્વારા થઈ શકે છે. 5. પર્યુષણ પર્વને દિવસમાં ઘણું ભાઈ બહેનેએ ધર્મની આરાધના કરી. કેઈએ યથાશક્તિ દાન દીધું, કંઈ કે શીયળ વ્રતના પચ્ચખાણ લીધા, ઘણએ શક્તિ અનુસાર તપશ્ચર્યા કરી. આજે મલાડ સંઘ તપસ્વીઓનું બહુમાન કરે છે. તપનું બહુમાન શા માટે કરે છે ! આપણું જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ છે. તપને મહિમા અપાર છે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy