SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ થવાની તૈયારી છે. તે તમારા મહેલમાં અમારે કપે તેવી જગ્યા છે? શેઠાણ જૈન હતાં. તે સંતેને જોઈને ખુશ થઈ ગયા ને કહ્યું–ગુરૂદેવ ! ઘણી જગ્યા છે. પધા-૫ધારે મારું ઘર આપના પુનીત પગલાથી પાવન થશે. શેઠાણીએ બંગલામાં છેક નીચેના ભાગમાં જગ્યા આપી. આજ્ઞા લઈને સંતે ઉતર્યા. શેઠાણીને એકને એક દીકરો મહેલના સાતમા માળે એની રૂપવંતી સ્ત્રીઓ સાથે આનંદ વિનેદ કરી રહ્યો હતો. પૂર્વના પુણ્યોદયે દુઃખ શું કહેવાય તેની ખબર નથી. પિતાને ઘેર સંતે પધાર્યા છે તે પણ જાણતું નથી. આ સંતે પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરવા બેઠા. એને મધુર રણકાર મહેલના સાતમે માળે પોં. સાધ્યાય કરતાં “નલીની ગુલ્મ વિમાન” આટલે શબ્દ શેઠાણીના પુત્રના કાને અથડાયે.“નલીની ગુલ્મવિમાન” આ શબ્દ સાંભળતાં સ્ત્રીઓ સાથે આનંદ કરી રહેલા શ્રેષ્ઠીપુત્રના મનમાં થયું કે આવું મેં કયાંક સાંભળ્યું છે. એના ઉપર ચિંતન કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલે નલીની ગુલ્મ વિમાન એની નજર સમક્ષ દેખાયું. તેમાં પિતે ક્યાં હતું, કેવા સુખે ભેગવ્યા હતા એ પ્રત્યક્ષ જોયું. એને આ સંસારના સુખે ગંધાતી ગટર જેવા લાગ્યા. સ્ત્રીઓની સાથે આનંદ કરવાનું છોડીને એકદમ ઉભું થઈ ગયે. એની પત્નીએ કહે છે સ્વામીનાથ ! એકદમ ઉઠીને કયાં ચાલ્યા? ત્યારે કહે છે હવે હું આ સંસારમાં રહી શકું તેમ નથી. તે સડસડાટ સીડી ઉતરીને માતા પાસે આવ્યા. માતાના ચરણમાં પડીને કહે છે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપ. માતા કહે છે દીકરા ! તને એકદમ આ શું થઈ ગયું ? કે આમ દીક્ષા લેવાનું કહે છે? માડી ! હવે હું આ સંસારમાં રોકાઈ શકું તેમ નથી. મારે જલ્દી દીક્ષા લેવી છે. જુએ, એણે સાધુને જોયાં નથી. સંતને પણ ખબર નથી કે શેઠાણીને દીકરે છે. એ તે એમની સ્વાધ્યાયમાં લીન છે. માતાએ પૂછયું બેટા! તને વૈરાગ્ય કેમ આવ્યું પુત્રે વાત કરી એટલે સમજી ગઈ કે સંતની સ્વાધ્યાયને રણકાર સાંભળ્યું લાગે છે. આ જગ્યાએ જે તમે હેત તે એમ જ કહેત કે સંતને ઘરમાં રાખ્યા તે મારું જ ઘર બેઠું. માતાએ કહ્યું-બેટા ! દીક્ષા લેવી તે જેવી તેવી વાત નથી. મહાદુકર છે પણ જેને પૂર્વ ભવેનું જ્ઞાન થયું છે, જે પૂર્વે ચારિત્ર પાનીને નલીની ગુલ્મ વિમાનના સુખ મેળવીને આવ્યું છે એને અહીં કેમ ગમે? માતાને સમજાવીને ગુરૂ પાસે આવી દીક્ષા લીધી. હવે નવદીક્ષિત સાધુ ગુરૂદેવને કહે છે ગુરૂદેવ ! આપની આજ્ઞા હેય તે શમશાનભૂમિમાં જઈને પડિમા વહન કરું. એની ચેગ્યતા જોઈને ગુરૂએ આજ્ઞા આપી. - આ નદીક્ષિત સંત મશાન ભૂમિમાં જઈને પડિમા વહન કરવા કાઉસગ ધ્યાનમાં ઉભા રહ્યા. રાત્રીના સમયે ભૂખી શિયાળણું આવીને તેમના પગે બટકા ભરવા લાગી. બીજી તરફ એના બચ્ચા બટકા ભરવા લાગ્યા. આ સમયે મુનિએ ખૂબ સમતા રાખી. પગ કરી ખાધા એટલે મુનિ ભૂમિ ઉપર ઢળી પડયા તેથી પેટ ચીરીને માંસ ખાવા લાગી. શિયાળણીને માં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy