SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ સારા સુવાસ e દશ ન કરીને પૂછ્યું કે ભગવત! આ સમસરણમાં આપના જેવા તીથ કરપદ પામનાર કાઈ આત્મા છે ? ભગવાને કહ્યું-હે ભરત ! આ સમાસરણની બહાર તારા જ પુત્ર મરીચીકુમાર અત્યારે જે ત્રિદંડીના વેશમાં છે તે આ જ ચાવીસીમાં ચાવીસમા તીર્થંકર વધુ માન સ્વામી બનશે. નવ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ થશે અને મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામે ચક્રવતિ થશે. આ વાત સાંભળીને ભરત મહારાજા તરત જ સમાસરણની બહાર બેઠેલા મરીચીકુમાર પાસે આવીને વંદન કરતાં પહેલા ખેલ્યા હૈ મરીચી ! હું તારા ત્રિદંડીવેશને વદન કરતા નથી પણ ભગવાને સ્વમુખે ભાંખ્યુ છે કે તું વાસુદેવ થઈશ, ચક્રવર્તિ થઈશ અને આ ચેાવીશીમાં ચરમ તીર્થકર મહાવીર સ્વામી બનવાનો છે, તેથી હું તારા ભાવિ તીથંકરપટ્ટને નમસ્કાર કરુ' છું. એમ કહીને વંદન કરીને ચાલ્યા ગયા, પણ મરીચીને આ સાંભળીને ખૂબ આનંદ થયો. તે અભિમાનમાં આવી ખૂબ નાચ્યા કે હે ! અમારું કુળ કેવું ઉજ્જવળ છે! મારા દાદા આ ચાવીશીમાં પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તિ અને હું' વાસુદેવમાં પ્રથમ વાસુદેવ થઈશ. ચક્રવર્તિ પણ થઈશ અને તીર્થંકર પણ થઈશ. આ રીતે કુળના મદ કરવાથી નીચ ગાત્ર કમ બાંધ્યું. એક વખત મરીચી બિમાર પડયો. ભગવાનના શિષ્ય અત્રતીની સેવા કરે નહિ. તે સમયે એમ થયુ` કે મારે એક શિષ્ય હાય તા સારુ. એક વખત કપિલ નામે રાજા મરીચી પાસે આવે છે. તેને ધના ઉપદેશ આપ્યા. કપિલે પૂછ્યુ કે તમે એમ કહેા છે કે ભગવાન પાસે જ ધર્મ છે તે શુ' તમારી પાસે ધર્મ નથી ! ત્યારે મરીચીના મનમાં થયું કે મેં ઘણાંને પ્રતિષેધ પમાડીને ભગવાન પાસે મેાકલ્યા પણ કઈ મારી સેવા કરતું નથી, તેથી ચેલા કરવાની ભાવના થઈ એટલે તેણે કપિલ રાજાને કહ્યું કે અહીં પણ ધ છે ને ત્યાં પશુ ધર્મ છે. આ ઉત્સૂત્રની પ્રરૂપણાથી તેમના સંસાર વધી ગયા, પછી મરીચૌ ત્રિ’ડીના વેશમાં મરીને ચેાથા ભવે પાંચમા દેવલાકે ગયા. ત્યાંથી દેવનું આયુષ્ય પૂર્ણ કરીને પાંચમા ભવે કૌશિક નામે બ્રાહ્મણ થયા, ત્યાંર્થી છઠ્ઠા ભવે પુષ્પમિત્ર નામે બ્રાહ્મણુ થયા. સાતમા ભવે પહેલા દેવલાકે ગયા. આઠમા ભવે અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. નવમા ભવે ખીજા દેવલાકે ગયા. દશમા ભવે અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. અગિયારમા ભવે ત્રીજા દેવલાકે ગયા. બારમા ભવે ભારદ્વાજ નામે બ્રાહ્મણુ થયા. તેરમા ભવે ચેાથા દેવલે કે ગયા. ચૌદમા ભવે થાવરવિત્ર નામે બ્રાહ્મણુ થયા. પંદરમા ભવે પાંચમા દેવલાકે ગયા. આમ પદર ભવ થયા તેમાં બ્રાહ્મણના ભવમાં ત્રિદંડીના વેશ લીધેા. સોળમા ભવે તેઓ વિશ્વભૂતિ નામે રાજકુમાર બન્યા. “સાળમા ભવે કરેલું નિયાણું ’:- આ વિશ્વભૂતિકુમાર ખૂબ પરાક્રમી હતા, પણુ એની એરમાન માતાને એક પુત્ર હતા. તેને રાજ્ય આપવાની રાજા પાસે માંગણી કરી. તેથી વિશ્વભૂતિના પિતાજીએ કપટથી એને યુદ્ધમાં મોકલી દીધા તે પાછળથી આરમાન
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy