SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શાહી અગાસ આ તે રાજા, વાજા ને વાંદરા. રીઝે તે ગામ દઈ દે ને ખીરું તે જીવ લઈ લે. રાજાને પ્રધાન કેટલે વહાલે છે પણ અત્યારે કેવી પરિસ્થિતિ ઉભી થઈ! પ્રધાને કહ્યું-ભલે સાહેબ! હું બરાબર કરી બતાવીશ. પ્રધાને હા તે પાડી દીધી પણ મનમાં મૂંઝવણ થવા લાગી કે આ શું ? અને કેવી રીતે પ્રત્યક્ષ કરી બતાવવું ? કદાચ હું એને જવાબ તે ગમે તેમ આપી દઉં પણ પ્રેક્ટીકલ કરીને કેવી રીતે બતાવવું? પ્રધાનને ચિંતામાં જેતી પુત્રવધુ:- પ્રધાન એને માટે ઘણું ઘણી શોધખોળ કરવા લાગે પણ એને કેઈ ઉપાય જડતું નથી. આ વાતને બે મહિના વીતી ગયા પણ કંઈ સમાધાન થતું નથી, એટલે પ્રધાનજીની ચિંતા વધવા લાગી. ઘેરથી રાજસભામાં જાય ને સાંજે ઘેર આવે. ખાય, પીવે, બેલે, ચાલે પણ બધું જ કાર્ય ઉદાસીનતાપૂર્વક કરે છે. પ્રધાનના પુત્રની વહુના મનમાં વિચાર થયે કે હમણાંથી મારા સસરાજી ખૂબ ઉદાસ રહે છે. એનું કારણ શું હશે ? પૂરું ખાતા પણ નથી, નકકી કેઈમેટી ચિંતામાં હશે, પણ સસરાને પૂછાય કેવી રીતે ? એ જમાનામાં મર્યાદા કેટલી હશે ! કે વહુ કદી સસરાને આડી ન ઉતરે. એને અવાજ પણ સસરા ન સાંભળી શકે, પણ આજે તે મર્યાદાએ હદ વટાવી દીધી છે. આ પુત્રવધૂ ખૂબ ચતુર હતી. તે સસરાજીને પૂછવા ન ગઈ પણ એની સાસુને કહ્યું-બતમે મને ન મને પણ છેલ્લા બે મહિનાથી મારા સસરાજી કઈ ઉપાધિમાં હોય તેમ લાગે છે. એમનું મુખ કેટલું ઉદાસ થઈ ગયું છે, ત્યારે સાસુએ કહ્યું- બેટા તું તે હજુ નાની છે. તને શું ખબર પડે ? તારા સસરા રાજાના પ્રધાન છે. રાજ્યમાં તે અનેક પ્રકારની ઉપાધિઓ અવારનવાર આવ્યા કરે એટલે કેઈ વાર એવું બની જાય ત્યારે ઉદાસ બની જાય. બીજુ કંઈ કારણ નથી. વહુએ કહ્યું-બા ! એવી બાબતમાં કંઈ આટલી બધી ચિંતા ન થાય. એ તે એકાદ બે દિવસ માટે હોય પણ આટલા દિવસ સુધી ન બને, ત્યારે સાસુએ કહ્યું-વહુ ! તારી ભૂલ થાય છે. તું ખેટી ચિંતા ન કર. વહુએ કહ્યું–બા ! ભલે તમને એમ લાગતું ન હોય પણ મને પરણીને આવ્યા એક વર્ષ થયું ત્યારથી હું જોઉં છું કે બાપુજી દરરોજ બહારથી આવતા ત્યારે આનંદ-કિલસેલ કરતા આવતા. સાથે કંઈ ને કંઈ લેતા આવતા, અને ઘરમાં બધાની સાથે પ્રેમથી વાતચીત કરતા હતા અને અત્યારે ઘરમાં આવે છે, જાય છે, ખાય પીવે છે, બધું કરે છે પણ એમનું મન ઉદાસ ને ચિંતાતુર દેખાય છે. અત્યારે કંઈ હસતા બોલતા નથી અને એમને ખેરાક પણ અડધે થઈ ગયું છે. - “સાસુને વિનંતી કરતી ચતુર વહુ” :- સાસુએ કહ્યું-બેટા ! એવું કંઇ નથી. આપણે એવા રાજકાજમાં માથું ન મરાય, પણ વહુ માનતી નથી. એ તે કહે છે બા! તમે ભૂલ કરે છે. પતિના સુખમાં ને દુઃખમાં પત્નીએ ભાગીદાર બનવું જોઈએ, પતિ શા. સુ. ૨૧
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy