SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ શારદા સુવાસ ખેતરવાની સળી જોઈતી હોય તે તે પણ ગૃહસ્થની આજ્ઞા વિના ન લઈ શકે. સાધુઓનું આચારનું વર્ણન આચારંગમાં ખૂબ સુંદર સમજાવ્યું છે. મૂળ વાત ચતુર્વિધ સંઘમાં તમારે નામ નોંધાવવું હોય તે દેશથી કે સર્વથી વ્રત પચ્ચખાણરૂપી લવાજમ ભરવું જ પડશે. તે સિવાય તમે આ ચતુર્વિધ સંઘના મેમ્બર કે સભ્ય ન બની શકે. તીર્થમાં દાખલ નહિ થઈ શકે, શ્રાવક કુળમાં જન્મ લેવા માત્રથી શ્રાવક બની જવાતું નથી અને સાધુપણાને વેશ પહેરી લેવા માત્રથી સાધુ બની જવાતું નથી. સાધુએ નવ કેટીએ સર્વથા પાપ નહિ કરવાના પચ્ચખાણ લેવાના હોય છે અને શ્રાવકને શક્તિ પ્રમાણે પચ્ચખાણ કરવાના હોય છે. જેમ ખેડૂત ખેતર ખેડે પણ બીજ ન વાવે તે પાક થતું નથી તેમ તમને બધી સામગ્રી મળવા છતાં જે વ્રત-પચ્ચખાણ નહિ કરે તે જીવનમાં વિરતિના વાવેતર થશે નહિ, અને સમ્યકત્વ રૂપ બેલિબીજની પ્રાપ્તિ થશે નહિ. આપણા મહાવીર પ્રભુનું શાસન ખૂબ વિશાળ છે. એમના સંઘરૂપી તીર્થમાં પ્રવેશ કરવાને સહુને સરખે અધિકાર છે. ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હાય, વૈશ્ય હોય કે હરિજન હય, કેઈને અહીં રૂકાવટ નથી. સૌને સરખે હક્ક છે. રાજાના નેકરે પહેલાં દીક્ષા લીધી હોય અને રાજા પછી દીક્ષા લે તે રાજાને નેકરના ચરણમાં નમવું પડે છે. તમે સાધુ ન બની શકે તે શ્રાવક તે અવશ્ય બને. જે બાર વ્રત અંગીકાર કરે, કાંદા કંદમૂળને ત્યાગ કરે, રાત્રીજનને ત્યાગ કરે, સામાયિક પ્રતિક્રમણ કરે, અભક્ષ્ય ચીજોને ત્યાગ કરે, મર્યાદિત બ્રહ્મચર્યનું પાલન કરે તે આ ચતુર્વિધ સંઘના સભ્ય બની શકે છે. આવા નાના મોટા વત પચ્ચખાણ દ્વારા માનવી ધીમે ધીમે વૃત્તિઓ ઉપર વિજય મેળવે છે ને તેના જીવનમાં સંતોષ આવે છે. તેથી છવડે સુખમાં ને દુઃખમાં સમભાવ રાખે છે. તેને પાપરૂપી સંસાર ખટકે છે ને તે વિચારે છે કે હું જ્યારે આ સંસારમાંથી છૂટું! આવી ભાવનાવાળા અને ગમે તેટલું ધન મળે તે પણ તેને ભેગું કરવાની ઈચ્છા થતી નથી. એક ગામમાં ધર્મની દઢ શ્રદ્ધાવાળા શ્રાવક અને શ્રાવિકા રહેતા હતા. કર્મોદયે ખૂબ ગરીબ હતા પણ તેમને આત્મા અમીર હતું. વ્રત-નિયમ તે તે તેમનું જીવન હતું. એક દિવસ તેઓ બંને જમવા માટે બેઠા. ઘરમાં એક તેલો જેટલું ઘી હતું તે સાચવીને રાખી મૂક્યું હતું. પોતે બંને માણસ લૂખી રોટલી ખાતા હતાં. એટલામાં એક ભૂખે કૂતરે ત્યાં આવીને એમના ભાણામાંથી રોટલી લઈ ગયે. બાઈ કૂતરા પાછળ ઘેડા ધીની વાટકી હતી તે લઈને દેડી. જ્યાં કૂતરું રોટલા ખાય છે ત્યાં જઈને ઘી પડી આપ્યું. બેલે તે ખરા, તમારા ભાણામાંથી કૂતરે રેટલી લઈ જાય તે તમે લાકડીને દંડે લઈને મારવા દે કે ઘી પડે? અહીં ગરીબીમાં પણ આ દંપતીની કેટલી અમીરી છે!! કૂતરાને સંજ્ઞા હોય છે, કૂતરે વિચાર કરવા લાગ્યું કે બીજા લેકને પર જાઉં છે ત્યાં તે મને દંડને માર પડે છે. હાકોટા કરીને મને કાઢી મૂકે છે ત્યારે આ તો
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy