SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્ત્રા સુવાસ :::: મનમાં થયું' કે આજે બાપુજી બધાને શું કહેશે? શેઠ ખૂબ ગભીર હતાં. એકદમ એમ કહે કે લક્ષ્મી ચાલી જવાની છે તે દીકરાને આઘાત લાગે, એટલે ખાખર ગઠવીને વાત કરવી જોઈએ. તેથી શેઠે કહ્યું કે હું મારા પુત્રો અને પુત્રવધુએ ! આજે મધસગે મારા શયનગૃહમા લક્ષ્મીદેવી પધાર્યાં હતા આ સાંભળીને શેઠાણી, પુત્રો અને પુત્રવધુઓની આંખોમાં ચમક આવી ગઇ. તેમના રામરાય ખીલી ઉઠયા અને અત્યંત ઈંતેજારીથી પૂછ્યું હે....લક્ષ્મીજી શા માટે પધાર્યાં હતા? એમણે શુ કહ્યુ ? વિગેરે ઘણાં પ્રશ્નો પૂછ્યા. આ બધાના મનમાં આશ્ચય થાય ને ? તમને પણ થાય ને ? ‘હા.’ શેઠે કહ્યુ. લક્ષ્મીજી કહી ગયા તે હું તમને કહું છું. હૈયુ કઠણ કરીને શાંતિથી સાંભળો. લક્ષ્મીદેવીએ મને કહ્યુ કે હવે તમારા પુણ્ય છૂટયા છે ને પાપકમ'ના ઉદય થાય છે, એટલે હું તમારા ઘરમાંથી આજથી સાતમા દિવસે જવાની છું. એમ કહીને લક્ષ્મીદેવી અદૃશ્ય થઇ ગયા. ખેલેા, હવે હું તમને બધાને એક વાત પૂછું છું કે હવે આપણે શુ કરવુ છે? લક્ષ્મી જવાની છે તે વાત ચાક્કસ છે. તેમાં મીનમેખ ફેર નહિં પડે પણ એ જાય તેના કરતાં આપણે જ તેને વિદાય કરીએ તે કેમ? કરાએ પૂછે છે બાપુજી! લક્ષ્મીને વિદાય કરવી એટલે શુ? ત્યારે શેઠે કહ્યું હું મારા વ્હાલા પુત્રો ! લક્ષ્મી આપણને છેડીને સાતમા દિવસે જાય તે તે પહેલાં આપણે જ છ દિવસમાં એ લક્ષ્મીને દાન, પુણ્યમાં વાપરીને શા માટે પુણ્ય ઉપાર્જન ન કરીએ ? અસ્થિર લક્ષ્મીથી સ્થિર એવા ધમ શા માટે ન કમાઈ લઈએ ? હજુ છ દિવસ લક્ષ્મી આપણે ઘેર રહેવાની છે તેના ક્ડાવા ખરામર લઈ લઈ એ. પછી સાતમે દિવસે એ રવાના થાય તે પહેલાં સવારના પ્રતુરમાં આપણે બધાએ ચારિત્ર અંગીકાર કરી લેવાનું. એલે, આ વાત તમને બધાને મંજુર છે? આખુ કુટુંબ એકી સાથે ખેલી ઉઠયુ.... હા.... ડા.... હા... પુત્રી, પુત્રવધૂએ અને શેઠાણી બધા કહે છે—શું આપની બુદ્ધિ છે! આપે બહુ સરસ વાત કરી. અમે બધા જ આપની સાથે ચારિત્ર લેવા તૈયાર છીએ, બ'એ ! સાંભળે આ કુટુંબ કેવું પવિત્ર હશે! પુણ્યશાળીને જ આવું કુટુંબ મળે કે વડીલની વાતમાં એકી અવાજે સંમત થઇ જાય. તમારે ઘેર આવા શ્રીમતીજી, પુત્રા અને પુત્રવધૂએ છે? દીક્ષા લેવાનું હું નથી કહેતી પણ સંતના દન રાજ કરવા એટલુ કરે તેાય ધન્યઘડીને ધન્યભાગ્ય ! એ તે એમ જ કહી દેશે કે હૈ મા-બાપુજી! તમે ઘરડા થયા છે માટે ઉપાશ્રયે જઇને બેસે અમારે ધમ કરવાની હજુ ઘણી વાર છે (હસાહસ) શેઠની ભવ્ય તત્ત્વવિચારણા ઉપરથી એ ખાધ લેવાના છે કે લક્ષ્મી, બગલા, લાડી-વાડી અને ગાડી બધુ... છેડીને એક દિવસ જવાનું છે તે એ સંસારના પદાથે તમને છેડીને જાય તે પહેલાં તમે એને છેડીને સંસારને રાજીનામુ` આપીને ઉભા પગે સંસારમાંથી નીકળીને સંયમના ઘરમાં આવી જાવ તે કેવા આનદ આવે! તમે જાતે નહિં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy