SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ fET શાશ્ત્રી સુષાસ ગયું તે એમ થશે કે આજે કંઈક નુકશાન થશે. ઘરની બહાર નીકળ્યાને બિલાડી આડી ઉતરે તેા કહેશે કે અપશુકન થયા. થોડીવાર થેલીને આગળ ચાલશે. કોઈ વિધવા બહેન સામી મળે તે માટું બગડી જાય છે કે આ ક્યાં સામી મળી? પણ હું તમને પૂછુ કે વિધવા બહેન સામી મળી તેા તમે અપશુકન ગણ્યા, તે કોઈ ભાઈની પત્ની મરી ગઈ હાય એવા વિધુર પુરૂષ સામા મળે તે અપશુકન ગણાય ને? (હસાહસ) તમે ભલે ફરીને પરણ્યા હા પણ વિધુર થયેલા તેા ખરા જ ને? વિધવા બહેન તા જિંદગીભર બ્રહ્મચર્ય નુ પાલન કરે છે ને વિધુર બનેલા પુરૂષ તા પરણીને લેાગી બને છે. ખ ંધુએ ! દ્રવ્યમંગલના સાંસારની દૃષ્ટિએ અમુક અંશે લાભ મળે છે. જ્યારે ભાવમંગલ જગતના સર્વ મ ́ગલે.માં શ્રેષ્ઠ મંગલ છે. મંગલ એટલે શું? “મામ શત્તિ વાપાત્ '' મને જે પાપાથી ગાળે એટલે કે પાપાથી દૂર કરે તે મંગલ કહેવાય. જીવને પાપથી દૂર કરે એવુ ભાવમ ંગલ કર્યુ છે એ જાણેા છે? ભગવાને દશવૈકાલિક સૂત્રના પ્રથમ અયનની પ્રથમ ગાથામાં કહ્યું છે કે धम्मो मंगलमुकिटं, अहिंसा संजमो तवो । देवा वितं नमसंति, जस्स धम्मे सयामणो ॥ ', અહિંસા, સંયમ અને તપ રૂપી ધ' એ સાચુ' અને ઉત્કૃષ્ટ મગઢ છે. એ ધમ જેના દિલમાં આવી જાય છે તે પવિત્ર ખની જાય છે અને એવા પુષિત્ર આત્માના ચરણમાં દેવા નમે છે. આવુ ભાવમંગલ આવી જાય પછી દ્રવ્યમંગલની કિંમત રહેતી નથી. ભાગમ`ગલ થઇ ગયા પછી કદાચ દ્રવ્ય અમંગલ થયું હેાય તે પણ તેના પ્રભાવ રહેતા નથી દા. ત. તમારે ઘેર પુત્રના જન્મ થાય તેને તમે મોંગલ માના છે, પુત્રને પરણાવવા જાવ તે તેને પણ મંગલ માનો છે, નવુ ઘર બંધાવીને તેમાં કુંભ મૂકવા, વાસ્તુ કરવુ તેને પણુ તમે મંગલ માના છે. પણ વિચાર કરે, શું એ મંગલનું અમંગલ નથી થતું! પુત્રને જન્મ થયા ને મરી ગયા તે શું થયુ...! અમંગલ જ થયું ને ? કેટલી હાંશથી માટુ મકાન બંધાવ્યું, એ બંગલામાં રહેવાના કેટલા કાડ હતા પણ એમાં રહેવા જતાં પહેલાં જ એ બંગલે વેચી દેવાના સમય આવ્યે તે એ અમંગલ ખરુ ને? સંસારના બધા કાર્યાં તમે શુકન, મુર્હુત બધુ... જોઇને જ કરી છે ને? છતાં તેમાં અમંગલ થાય છે ને ? તે હવે વિચાર કરો કે જે મંગલ કર્યાં પછી અમંગલ થાય તે સાચુ` મંગલ કે જે મંગલ કર્યાં પછી કઢી તેમાં અમંગલ ન થાય તે સાચું મંગલ ? ધમ` એ સ` મગલેામાં ઉત્કૃષ્ટ ભાવમંગલ છે. તેમાં કદી અમંગલ થતુ નથી, જે ભાવમંગલનું મહત્ત્વ સમજે છે તેને પછી કદાચ દ્રવ્ય અમંગલ થાય તે પણ તે ભાવમાંગલધમાં એને દુઃખના સમયે સાચી સમજણ આપે છે ને તેનુ દુઃખ હરે છે. આત્માના અનંત સુખમાં જે સહાયક અને તે ભાવમ ́ગલ કહેવાય. ભાવમંગલ એવા ધમ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy